તૌબાની નમાઝ

Chapter : નમાઝના જરૂરી મસાઈલ

(Page : 186 -187)

જ્યારે કોઈ શરીઅત વિરૂદ્ધ ગુનાહનું કામ થઈ જાય, તો બે રક્‌અત નફલ નમાઝ પઢી અલ્લાહ તઆલાની સામે સારી રીતે આજીજી કરીને તે કામથી તૌબા કરે અને પોતાના એ કાર્ય પર પશ્ચાતાપ કરે. અલ્લાહપાકથી માફી માંગે અને ભવિષ્ય માટે પાકો નિશ્ચય કરે કે, હું હવે આ કામ કદી કરીશ નહીં. આથી તે ગુનોહ અલ્લાહ તઆલાના ફઝલથી માફ થઈ જશે. (શામી)

અમીરૂલ મુઅમિનીન હઝરત અબૂબક્ર સિદ્દીક (રદી.) બયાન કરે છે કે, સરવરે કાએનાત (સલ.)એ ફરમાવ્યું કે, જ્યારે કોઈ માણસથી ગુનોહ થઈ જાય, તો તેણે તરત વુઝૂ કરી બે રક્‌અત નમાઝ પઢી લેવી જોઈએ, અને નમાઝ બાદ ઈસ્તિગફાર કરી લે, તો અલ્લાહ તઆલા એના ગુનાહો માફ કરી દે છે. પછી આપ (સલ.)એ આ આયત પઢી : વલ્લઝીન ઈઝા ફઅલુ ફાહિશતન અવઝલમુ અન્ફુસહુમ ઝકરૂલ્લાહ ફસ્તગફરૂ લિઝુનૂબિહિમ વ મંય્યગફિરૂઝ

ઝુનૂબ ઈલ્લલ્લાહ.” (અબૂ દાઉદ)

અર્થ : તે લોકો, જેઓ ગુનાહ કરી બેસે છે અથવા પોતાના ઉપર ઝુલ્મ ગુઝારે છે, પછી અલ્લાહપાકને યાદ કરે છે અને પોતાના ગુનાહોની માફી ચાહે છે, તો અલ્લાહ તઆલા સિવાય કોણ ગુનાહોને માફ કરી શકે છે ?

જ્યારે કોઈ શરીઅત વિરૂદ્ધ ગુનાહનું કામ થઈ જાય, તો બે રક્‌અત નફલ નમાઝ પઢી અલ્લાહ તઆલાની સામે સારી રીતે આજીજી કરીને તે કામથી તૌબા કરે અને પોતાના એ કાર્ય પર પશ્ચાતાપ કરે. અલ્લાહપાકથી માફી માંગે અને ભવિષ્ય માટે પાકો નિશ્ચય કરે કે, હું હવે આ કામ કદી કરીશ નહીં. આથી તે ગુનોહ અલ્લાહ તઆલાના ફઝલથી માફ થઈ જશે. (શામી)

અમીરૂલ મુઅમિનીન હઝરત અબૂબક્ર સિદ્દીક (રદી.) બયાન કરે છે કે, સરવરે કાએનાત (સલ.)એ ફરમાવ્યું કે, જ્યારે કોઈ માણસથી ગુનોહ થઈ જાય, તો તેણે તરત વુઝૂ કરી બે રક્‌અત નમાઝ પઢી લેવી જોઈએ, અને નમાઝ બાદ ઈસ્તિગફાર કરી લે, તો અલ્લાહ તઆલા એના ગુનાહો માફ કરી દે છે. પછી આપ (સલ.)એ આ આયત પઢી : વલ્લઝીન ઈઝા ફઅલુ ફાહિશતન અવઝલમુ અન્ફુસહુમ ઝકરૂલ્લાહ ફસ્તગફરૂ લિઝુનૂબિહિમ વ મંય્યગફિરૂઝ

ઝુનૂબ ઈલ્લલ્લાહ.” (અબૂ દાઉદ)

અર્થ : તે લોકો, જેઓ ગુનાહ કરી બેસે છે અથવા પોતાના ઉપર ઝુલ્મ ગુઝારે છે, પછી અલ્લાહપાકને યાદ કરે છે અને પોતાના ગુનાહોની માફી ચાહે છે, તો અલ્લાહ તઆલા સિવાય કોણ ગુનાહોને માફ કરી શકે છે ?

Log in or Register to save this content for later.