Chapter : નમાઝના જરૂરી મસાઈલ
(Page : 60 to 62)
Views:
99
- નમાઝની શર્તોમાંથી એક “કિબ્લા તરફ મોઢું કરવું” પણ છે. પરંતુ કોઈ માણસ એવી જગ્યાએ પહોંચી ગયો, જ્યાં એને કિબ્લાની દિશા ખબર નથી અથવા કોઈ એવો માણસ નથી જેને તે પૂછી શકે, તો એવા સમયે જે દિશા વિશે કિબ્લો હોવાનું પાકું અનુમાન અને કયાસ હોય તે દિશા તરફ મોઢું કરીને નમાઝ પઢી લેવી જોઈએ. (જદીદ ફિકહી મસાઈલ : ૧ર૬)
- આજકાલ દિશા જાણવા માટે કિબ્લાનુમાનો ઉપયોગ થાય છે. તો પાકું અનુમાન અને અંદાજો કરવા માટે એ પણ કિફાયત થઈ પડશે. જેમકે દિશાઓ બતાવવા માટે બીજા નવા નવા સાધનોનો ઉપયોગ અને અનુભવથી અંદાજો આવે છે.(જદીદ ફિકહી મસાઈલ : ૧ર૭)
- ટ્રેનની બનાવટ એ પ્રકારની છે કે એમાં કિબ્લાની દિશામાં ઉભા રહી શકાય છે. અને વચમાં ટ્રેન દિશા બદલે તો માણસ પણ ફરી શકે છે. એટલે ટ્રેનમાં નમાઝ શરૂ કરતી વખતે અને નમાઝની વચમાં પણ કિબ્લા તરફ ઉભા રહેવું જરૂરી છે. કોઈ માણસે ટ્રેનમાં કિબ્લા તરફ ઉભા રહીને નમાઝ શરૂ કરી અને નમાઝની વચમાં ટ્રેને દિશા બદલી, તો નમાઝીએ પણ દિશા બદલવી જોઈએ. (જદીદ ફિકહી મસાઈલ : ૧ર૭)
- જો ટ્રેનમાં એટલી ભીડ હોય કે નમાઝીએ નમાઝની વચમાં દિશા બદલવી શક્ય ન હોય અને ટ્રેનથી બહાર નીકળીને પણ નમાઝની અદાયગીનો મોકો ન હોય, તો પછી જે દિશામાં નમાઝ શરૂ કરી છે, તે જ દિશામાં નમાઝ પૂરી કરી લે. (જદીદ ફિકહી મસાઈલ : ૧ર૮)
- બસની બનાવટ અને આકાર એ પ્રકારનો હોય છે કે જો બસ કિબ્લાની દિશામાં ન જતી હોય તો એવા સમયે જો બસ ઉભી હોય તો નીચે ઉતરીને કિબ્લા તરફ નમાઝ પઢવી વાજિબ છે. અને બસ ચાલુ છે, પરંતુ નમાઝ પઢનાર બસ થોભાવી શકે છે, તો તેવા સમયે પણ બસ થોભાવીને નીચે ઉતરી કિબ્લા તરફ મોઢું કરી નમાઝ પઢવી પડશે. અને જો બસ થોભાવી શકતો ન હોય તો એવા સમયે બસમાં કિબ્લા તરફ મોઢુ કર્યા વગર પણ નમાઝ પઢી શકે છે. (જદીદ ફિકહી મસાઈલ : ૧ર૮)
- ટ્રેનમાં ફર્ઝ નમાઝ સખત મા’ઝુરી (સખત ઉઝર) વગર બેસીને પઢવી જાઈઝ નથી. જો કોઈ ઉઝર વગર બેસીને નમાઝ પઢશે, તો તેને ફરીવાર પઢવી જરૂરી છે. (ફતાવા ઉસ્માની : ૪૦૧/૧)
- ટ્રેનની જેમ વિમાન મુસાફરીમાં પણ નમાઝ પઢી લે. (જદીદ ફિકહી મસાઈલ : ૧ર૯) જો વિમાન નાનું હોય અથવા કિબ્લાની દિશા ખબર ન હોય, વુઝૂની વ્યવસ્થા ન હોય અથવા ભીડ વધારે હોય, તો નમાઝમાં મોડું કરે અને વિમાનમાંથી ઉતર્યા બાદ તરત જ કઝા કરે. (ફતાવા રહીમિય્યહનો હાંશિયો : ૪ર૦/ર)
- જે શહેરો અને ગામડાઓમાં જુની મસ્જિદો હોય, ત્યાં એ મસ્જિદોના મહેરાબના આધારે કિબ્લાની દિશા નક્કી કરવામાં આવે. જ્યાં મસ્જિદો ન હોય ત્યાં આસપાસમાં રહેતા મુસલમાનોને પૂછીને કિબ્લાની દિશા વિશે તેહકીક કરવામાં આવે અને જ્યાં કોઈ પણ બતાવવાવાળો ન મળે, ત્યાં કિબ્લાનુમા, ચંદ્ર, સૂરજ વગેરે દ્વારા તથા ચિંતન-મનન કરીને કિબ્લાની દિશા નક્કી કરવામાં આવે. (કિતાબુલ મસાઈલ : ર૬પ)
Log in or
Register to save this content for later.