[ર૩૩ ] નમાઝમાં બેસવાનો તરીકો

Chapter : નમાઝ

(Page : 302-303)

સવાલ :–(ર) બેસીને ફર્ઝ નમાઝ પઢનાર મઅઝૂર નમાઝી કઈ સૂરતમાં બેસે? તશહ્‌હુદ પઢવાની સૂરતમાં બેસે અથવા પલાંઠીવાળીને પણ બેસી શકે છે?

જવાબ :–(ર) મઅઝૂર  માણસ જો આસાની સાથે અત્તહિય્યાતના કઅ્‌દહની સૂરતમાં બેસી શકતો હોય તો તે તરીકાથી બેસવું બેહતર છે અને જો આ તરીકાથી બેસવામાં તકલીફ અને અગવડ અનુભવતો હોય તો પલાંઠીવાળીને કે બીજી ગમે તે સૂરતથી બેસવું જેમાં સરળતા હોય, એ જાઈઝ છે.                       (શામી– ૧/પ૦૯, બહર–ર/૧૧૩)

Log in or Register to save this content for later.