Chapter : નમાઝના જરૂરી મસાઈલ
(Page : 178 to 184)
- તહિય્યતુલ વુઝૂ :
વુઝૂ કર્યા પછી બે રક્અત નફલ નમાઝ પઢવાનો ઘણો સવાબ છે. હદીષ શરીફમાં છે કે, વુઝૂ પછીની બે રક્અત તહિય્યતુલ વુઝૂ પઢવાથી જન્નત વાજિબ થઈ જાય છે. (મુસ્લિમ) બીજી પણ ઘણી ફઝીલત છે. જે વખતે નફલ પઢવી મકરૂહ હોય ત્યારે પઢે નહીં.
- તહિય્યતુલ મસ્જિદ :
જે માણસ મસ્જિદમાં દાખલ થાય, તેને માટે આ નમાઝ પઢવી સુન્નત છે. આ નમાઝનો મકસદ મસ્જિદની તઅઝીમ કરવાનો છે. મસ્જિદમાં દાખલ થયા પછી બેસવા પહેલા બે અથવા ચાર રક્અત તહિય્યતુલ મસ્જિદ પઢી લે. પરંતુ મકરૂહ વખતે પઢે નહીં. એ વખતે ચાર વખત “સુબ્હાનલ્લાહિ વલ્હમ્દુ લિલ્લાહિ વલા ઈલાહ ઈલ્લલ્લાહુ વલ્લાહુ અકબર” પઢે અને પછી દુરૂદ પઢે. જો મસ્જિદમાં વારંવાર જવાનું થાય તો એક વાર તહિય્યતુલ મસ્જિદ પઢવી પણ બસ છે.
જો મસ્જિદમાં દાખલ થતાં જ કોઈ ફર્ઝ નમાઝ અથવા સુન્નત નમાઝ પઢવામાં આવશે, તો તે જ ફર્ઝ અથવા સુન્નત તહિય્યતુલ મસ્જીદની જગ્યાએ થઈ જશે. એટલે કે, તેના પઢવાથી તહિય્યતુલ મસ્જિદનો સવાબ પણ મળી જશે. એવી રીતે કોઈ મસ્જિદમાં જઈને બેસી જાય અને તે પછી તહિય્યતુલ મસ્જિદ પઢે, તો એમાં પણ કોઈ વાંધો નથી. પણ બેહતર એ છે કે, બેસવા પહેલાં જ પઢી લે.
નબીએ કરીમ (સલ.)એ ફરમાવ્યું કે, તમારામાંથી કોઈ જ્યારે મસ્જિદમાં જાય, તો જ્યાં સુધી તે બે રક્અત નમાઝ પઢી ન લે ત્યાં સુધી બેસે નહીં. (બુખારી, મુસ્લિમ)
- ઈશ્રાક :
ઈશ્રાકની નમાઝનો તરીકો એ છે કે, ફજરની નમાઝ જમાઅત સાથે પઢ્યા પછી તે જગ્યા ઉપરથી ઉઠે નહીં અને તે જગ્યા ઉપર બેઠા બેઠા દુરૂદ શરીફ, ઝિક્ર કે કોઈ વઝીફહ પઢતો રહે અને અલ્લાહ તઆલાની યાદમાં લાગેલો રહે. કોઈ દુન્યવી કામ કે વાતચીત કરે નહીં. અને જ્યારે સૂર્ય નીકળી આવીને એક નેઝા બરાબર ઉંચો થઈ જાય, ત્યારે બે રક્અત અથવા ચાર રક્અત નફલ પઢે. તે નમાઝને ઈશ્રાકની નમાઝ કહે છે. આવી રીતે ઈશ્રાકની બે રક્અત નમાઝ પઢવાનો સવાબ એક હજ્જ અને એક ઉમરહનો મળે છે. (તિરમિઝી)
બીજી એક હદીષ શરીફમાં છે કે, ઈશ્રાકની બે રક્અત નમાઝ પઢનારના તમામ ગુનાહ માફ કરી દેવામાં આવે છે. (અબૂ દાઉદ) અને જો ફજરની નમાઝ બાદ કોઈ કામધંધામાં લાગી જાય, તો સૂર્ય ઉંચો થવા પછી પણ આ નમાઝ પઢી શકે છે, પરંતુ તેનો સવાબ ઓછો મળશે.
- ચાશ્ત :
જ્યારે સૂર્ય ઘણો ઉંચે ચઢે અને તડકામાં તેજી આવે ત્યારે ઓછામાં ઓછી બે રક્અત અથવા ચાર રક્અત પઢે. એથી વધુ આઠ અથવા બાર રક્અત પઢે, એને ચાશ્તની નમાઝ કહે છે. એનો પણ ઘણો સવાબ મળે છે. હદીષ શરીફમાં તેની ઘણી ફઝીલત આવેલી છે. ચાશ્તની બે રક્અત પઢનારના દરેક ગુનાહો બખ્શી દેવામાં આવે છે. માણસના શરીરમાં ૩૬૦ સાંધાઓ છે. તે દરેક સાંધાનો સદકો અદા કરવો લાઝિમ છે. અને આ બે રક્અત તે સર્વ સદકાઓ માટે પુરતી છે. ચાર રક્અત પઢનારનું નામ આબિદોમાં લખાય છે, અને તે સાલેહીન (નેક પૂર્વજો)ની સુન્નત છે. તેના માટે અલ્લાહપાક ફરમાવે છે કે, સાંજ સુધી તેની સંભાળની જીમ્મેદારી મારી છે. અને છ રક્અત પઢનારને દિવસભરની ચિંતાઓથી મુક્ત કરી દેવામાં આવે છે. આઠ રક્અત પઢનારનું નામ પરહેઝગારોમાં લખી દેવામાં આવે છે. અને બાર રક્અત પઢનારના માટે જન્નતમાં સોનાનો મહેલ તૈયાર કરવામાં આવે છે. (તિરમિઝી, ઈબ્ને માજહ, અહમદ, અબૂ યઅ્લા)
- અવ્વાબીન :
મગરિબની ફર્ઝ અને સુન્નત નમાઝ પઢ્યા બાદ ઓછામાં ઓછી છ અને વધુમાં વધુ વીસ રક્અત નફલ પઢે. તેને અવ્વાબીન કહેવામાં આવે છે. એને પઢવાની પણ હદીષ શરીફમાં ઘણી ફઝીલત આવેલી છે. હદીષ શરીફમાં છે કે, “મગરિબની નમાઝ પછી જે છ રક્અત નમાઝ પઢે અને વચ્ચે કોઈ નકામી વાત કરે નહીં, તેને બાર વર્ષ નફલ ઈબાદતનો સવાબ મળે છે.” (તિરમિઝી) બીજી હદીષમાં છે કે, તેના દરેક ગુનાહો માફ કરી દેવામાં આવશે, ચાહે દરિયાના ફીણ બરાબર હોય. (તબરાની) અને વીસ રક્અત પઢનારા માટે જન્નતમાં ઘર બનાવી દેવામાં આવે છે. (તિરમિઝી)
- તહજ્જુદ :
અડધી રાત્રે ઉઠીને નમાઝ પઢવાનો ઘણો સવાબ છે. આ નમાઝ અલ્લાહ તઆલાની નઝદીક ઘણી મકબૂલ છે. નફલ નમાઝોમાં સૌથી વધુ સવાબ એનો મળે છે. તહજ્જુદની ઓછામાં ઓછી ચાર રક્અત અને વધુમાં વધુ બાર રક્અત છે. જો ન બને તો બે રક્અત પણ જરૂર પઢે. પાછલી રાતમાં ઉઠવાની હિંમત ન હોય તો ઈશાંની નમાઝ પછી પઢી લે. જો કે એવો સવાબ નહીં મળે. હદીષ શરીફમાં આ નમાઝની ઘણી ફઝીલત છે. હદીષ શરીફમાં છે કે, તહજ્જુદની ચાર રક્અત પઢવાનો સવાબ શબે કદ્રની ચાર રક્અત બરાબર છે. (બયહકી) બીજી હદીષમાં છે કે, ફર્ઝ નમાઝો પછી રાતની નમાઝ તમામ નમાઝોથી અફઝલ છે. (મુસ્લિમ) વળી બીજી હદીષ શરીફમાં છે કે, રાત્રિનું ઉઠવું પાછલા થઈ ગયેલા સાલેહીનની રીત છે, પરવરદિગારથી નજદીક (નિકટ) કરનાર છે, પાછલા ગુનાહનો કફ્ફારો છે અને ભવિષ્ય માટે અટકાવ છે. (તિરમિઝી)
હદીષ શરીફમાં છે કે, અલ્લાહ તબારક વ તઆલા પોતાના બંદાથી રાતના છેલ્લા ભાગમાં ઘણો જ નજદીક હોય છે. જો તું તે વેળા તારૂં નામ ઝાકેરિનના લીસ્ટમાં લખાવી શકતો હોય, તો ગફલત ન કર. અર્થાત્ જો એ પ્રસંગથી કંઈક લાભ ઉઠાવવા ચાહતો હોય તો લાભ ઉઠાવી લે. (તિરમિઝી શરીફ)
બીજી એક હદીષમાં છે કે, અલ્લાહ તઆલા તે બંદા ઉપર રહમત નાઝિલ કરે છે, જે પાછલી રાત્રે નમાઝ માટે ઉઠે છે. અને પોતાની પત્નિને પણ જગાડે છે. જો પત્નિ ઉઠતી ન હોય, તો તેના મોઢા ઉપર પાણી છાંટે છે. અલ્લાહ તઆલા તે સ્ત્રી ઉપર રહમત નાઝિલ કરે છે, જે પાછલી રાત્રે ઉઠે છે અને પોતાના પતિને પણ જગાડે છે. જો પતિ ઉઠતો ન હોય તો તેના મોઢા ઉપર પાણી છાંટી તેને જગાડે છે. (અબૂ દાઉદ, નસાઈ, ઈબ્ને હબ્બાન)
હુઝૂરે અકરમ (સલ.)એ ફરમાવ્યું કે, દરેક નમાઝોમાંથી અલ્લાહપાકને હઝરત દાઉદ (અલૈ.)ની નમાઝ પસંદ છે. એમની નમાઝની રીત એ હતી કે, અડધી રાત ઉંઘ લેતા હતા અને રાતનો ત્રીજો ભાગ ઈબાદત કરતા હતા. અને ઈબાદત પછી ફરી રાતના છઠ્ઠા ભાગમાં આરામ ફરમાવતા હતા. (બુખારી, મુસ્લિમ) આ ઉપરાંત તહજ્જુદની નમાઝની ફઝીલતમાં ઘણી હદીષો બયાન થઈ છે.
અલ્લાહ તઆલા દરરોજ રાતના આખરી હિસ્સામાં આસ્માની દુનિયામાં આવીને ફરમાવે છે કે, “છે કોઈ માંગવાવાળો કે તેનો સવાલ પૂરો કરવામાં આવે, છે કોઈ મગફિરત ચાહનાર કે તેને બખ્શી દેવામાં આવે.” તે વખતે ખાસ કરીને તેની રહમતના દ્વાર ખુલ્લા હોય છે. અને દુઆની કબૂલિયતનો પણ ખાસ વખત છે.
- સલાતુત્તસ્બીહ :
આ નમાઝ ચાર રક્અત પઢવી મુસ્તહબ છે. એ ચાર રક્અતમાં ૩૦૦ તસ્બીહ પઢવાની છે. અને તેનો ઘણો સવાબ છે. તેના માટે હદીષ શરીફમાં બે રીતો છે. પહેલી જે રીત તિરમિઝી શરીફમાં હઝરત અબ્દુલ્લાહ બિન મુબારક (રહ.)ની રિવાયતમાં છે, તેનો પઢવાનો તરીકો આ પ્રમાણે છે કે, પહેલી રક્અતમાં સના પઢ્યા પછી અને અલ્હમ્દુ શરીફથી પહેલાં પંદર વખત “સુબ્હાનલ્લાહિ વલ્હમ્દુ લિલ્લાહિ વલા ઈલાહ ઈલ્લલ્લાહુ વલ્લાહુ અકબર” પઢે. પછી અલ્હમ્દુ અને સૂરત પઢ્યા પછી ૧૦ વાર આ જ તસ્બીહ પઢે. ફરી રુકૂઅમાં રુકૂઅની તસ્બીહ પઢ્યા પછી મજકૂર તસ્બીહ ૧૦ વાર પઢે. ફરી કવમહમાં ‘રબ્બના લકલ હમ્દ’ કહી લીધા પછી ૧૦ વાર પઢે. ફરી સિજદહમાં સિજદહની તસ્બીહ પઢ્યા બાદ મજકૂર તસ્બીહ ૧૦ વાર પઢે. ફરી જલ્સામાં આ તસ્બીહ ૧૦ વાર પઢે. ફરી બીજા સિજદહમાં પહેલા સિજદહની જેમ ૧૦ વાર તસ્બીહ પઢે. આ રીતે એક રક્અતમાં ૭પ વખત તસ્બીહ થઈ. આવી રીતે ચાર રક્અતોમાં ૩૦૦ તસ્બીહ પઢે.
બીજી રિવાયતમાં જે હઝરત ઈબ્ને અબ્બાસ (રદી.)થી નકલ છે, તેની રીત આ પ્રમાણે છે કે, સના, અલ્હમ્દુ શરીફ અને સૂરત પઢી રહ્યા પછી રુકૂઅથી પહેલાં ૧પ વખત મજકૂર તસ્બીહ પઢે. પછી રુકૂઅમાં, કવમહમાં, સિજદહમાં, ફરી જલ્સામાં, ફરી બીજા સિજદહમાં ઉપર પ્રમાણે જ મજકૂર તસ્બીહ ૧૦ વાર પઢે. અને બીજો સિજદહ કરી બેસે અને તેમાં ૧૦ વાર મજકૂર તસ્બીહ પઢીને બીજી રક્અત માટે ઉભા થાય. એવી રીતે એક રક્અતમાં ૭પ વખત તસ્બીહ પઢે. અને બીજી રક્અતમાં કાએદહમાં બેસે ત્યારે પ્રથમ ૧૦ વાર તસ્બીહ પઢ્યા પછી અત્તહિય્યાત પઢે. આવી રીતે આ બન્ને તરીકા સલાતુત્તસ્બીહ પઢવાના છે. એમાં માત્ર તફાવત એટલો જ છે કે, પહેલી રિવાયતથી કિયામમાં બે વખત મળીને રપ વાર તસ્બીહ પઢાય છે. પંદર (૧પ) વાર અલ્હમ્દુ શરીફના પહેલાં અને ૧૦ વાર કિરાઅતના પછી. અને બીજી રીતમાં કિયામમાં કિરાઅત પછી ૧પ વાર અને બીજા સિજદા પછી બેસીને ૧૦ વાર પઢીને ઉભા થવાનું છે. આપણા હનફી મુહક્કિક બુઝુર્ગોએ પહેલો તરીકો વધુ પસંદ ફરમાવ્યો અને બેહતર કહ્યો છે. પરંતુ બન્ને તરીકાથી પઢવું હદીષ શરીફથી સાબિત છે. એમાં ચારેવ રક્અતમાં સૂરત પઢવી કોઈ ખાસ મુકર્રર નથી. જોઈએ તે પઢી શકે છે. અને તેના પઢવાના માટે ખાસ કોઈ વખત મુકર્રર નથી. જ્યારે જોઈએ ત્યારે પઢી લે. મકરૂહ વખતે અને જે વખત નફલ પઢવી મકરૂહ હોય તે વખતે પઢે નહીં. જો આ નમાઝમાં સહવ થઈ જાય, તો સહવનો સિજદહ કર્યા પછી તસ્બીહ પઢે નહીં. કારણકે દરેક રક્અતમાં ૭પ વખત જ તસ્બીહ પઢવાની છે. કોઈ રુકનમાં તસ્બીહ પઢવાનું ભૂલી જવાય તો બીજા રુકનમાં એટલી વધુ પઢી લે. અને જો રુકૂઅમાં ભૂલી જાય, તો કવમહમાં વધુ ન પઢે, પણ નાના રુકનમાં પઢવા કરતાં પહેલાં સિજદહમાં એટલી તસ્બીહ વધુ પઢી લે. એવી રીતે દરેક રક્અતમાં ૭પ વાર તસ્બીહ પુરી કરી લે. તસ્બીહને આંગળીઓ પર ગણે નહીં, પણ આંગળી દબાવીને યાદ રાખે.
હદીષમાં આ નમાઝની ઘણી ફઝીલત આવી છે. આ નમાઝના સવાબ માટે હુઝૂર (સલ.)એ પોતાના કાકા હઝ. અબ્બાસ (રદી.)થી ફરમાવ્યું : આ ચાર રકાત નમાઝ (સલાતુત્તસ્બીહ) પઢવાથી અલ્લાહ પાક તમારા આગલા-પાછલા, નાના-મોટા, છૂપા અને જાહેર, જાણેઅજાણે કરેલા સર્વે ગુનાહ માફ કરી દેશે. અને ફરમાવ્યું કે, આ નમાઝ રોજ પઢ્યા કરો. અને જો રોજ ન બની શકે તો જુમ્આના દિવસે પઢી લો અને જુમ્આના ન બની શકે તો મહિનામાં એક વખત પઢી લેશો અને જો એ પણ ન બની શકે તો વર્ષમાં એક વાર પઢી લેશો. જો એ પણ અશક્ય હોય તો આખી ઝિંદગીમાં એક વાર તો એ નમાઝને પઢી લેજો.
આ તસ્બીહ સાથે “લા હવ્લ વલા કુવ્વત ઈલ્લા બિલ્લાહિલ અલિય્યીલ અઝીમ” પણ મેળવીને પઢવાથી એનો સવાબ ઘણો વધી જશે. આ પઢવા માટે ઘણા સહાબા (રદી.)થી રિવાયત છે.
આ નમાઝ બની શકે તો રોજ પઢે, અને ન બને તો જુમ્આના દિવસે જરૂર પઢે. કેમકે જુમ્આના દિવસની ઘણી ફઝીલત છે. અને મોટી (ફઝીલતવાળી) રાતોમાં ખાસ કરીને બીજી નફલ નમાઝો સાથે આ નમાઝ પઢવાનું ભૂલવું ન જોઈએ. એક તો મોટી રાતની બરકત અને આ નમાઝની ફઝીલત, આ બન્નેના સબબથી પણ આપણા ગુનાહોની મગફિરતનું કારણ બની જાય. અલ્લાહ તઆલાની શાને કરીમી તો બક્ષિસના માટે હર વખત બહાનું શોધે છે, બલ્કે તેની રહમતના દરવાજા હર વખત ખુલ્લા હોય છે.
તુ વોહ દાતા હય કે દેને કે લીએ
દર તેરી રહમતકે હંય હર દમ ખુલે
અને જ્યારે કોઈ દુનિયાને છોડીને અલ્લાહ તઆલાના દરવાજા પર જઈ પડે છે, તો પછી તેના નવાજવામાં શું કમી હોઈ શકે? અને તેના ભરપૂર ખજાનાનું તો પૂછવું જ શું ?
- તહિય્યતુલ વુઝૂ :
વુઝૂ કર્યા પછી બે રક્અત નફલ નમાઝ પઢવાનો ઘણો સવાબ છે. હદીષ શરીફમાં છે કે, વુઝૂ પછીની બે રક્અત તહિય્યતુલ વુઝૂ પઢવાથી જન્નત વાજિબ થઈ જાય છે. (મુસ્લિમ) બીજી પણ ઘણી ફઝીલત છે. જે વખતે નફલ પઢવી મકરૂહ હોય ત્યારે પઢે નહીં.
- તહિય્યતુલ મસ્જિદ :
જે માણસ મસ્જિદમાં દાખલ થાય, તેને માટે આ નમાઝ પઢવી સુન્નત છે. આ નમાઝનો મકસદ મસ્જિદની તઅઝીમ કરવાનો છે. મસ્જિદમાં દાખલ થયા પછી બેસવા પહેલા બે અથવા ચાર રક્અત તહિય્યતુલ મસ્જિદ પઢી લે. પરંતુ મકરૂહ વખતે પઢે નહીં. એ વખતે ચાર વખત “સુબ્હાનલ્લાહિ વલ્હમ્દુ લિલ્લાહિ વલા ઈલાહ ઈલ્લલ્લાહુ વલ્લાહુ અકબર” પઢે અને પછી દુરૂદ પઢે. જો મસ્જિદમાં વારંવાર જવાનું થાય તો એક વાર તહિય્યતુલ મસ્જિદ પઢવી પણ બસ છે.
જો મસ્જિદમાં દાખલ થતાં જ કોઈ ફર્ઝ નમાઝ અથવા સુન્નત નમાઝ પઢવામાં આવશે, તો તે જ ફર્ઝ અથવા સુન્નત તહિય્યતુલ મસ્જીદની જગ્યાએ થઈ જશે. એટલે કે, તેના પઢવાથી તહિય્યતુલ મસ્જિદનો સવાબ પણ મળી જશે. એવી રીતે કોઈ મસ્જિદમાં જઈને બેસી જાય અને તે પછી તહિય્યતુલ મસ્જિદ પઢે, તો એમાં પણ કોઈ વાંધો નથી. પણ બેહતર એ છે કે, બેસવા પહેલાં જ પઢી લે.
નબીએ કરીમ (સલ.)એ ફરમાવ્યું કે, તમારામાંથી કોઈ જ્યારે મસ્જિદમાં જાય, તો જ્યાં સુધી તે બે રક્અત નમાઝ પઢી ન લે ત્યાં સુધી બેસે નહીં. (બુખારી, મુસ્લિમ)
- ઈશ્રાક :
ઈશ્રાકની નમાઝનો તરીકો એ છે કે, ફજરની નમાઝ જમાઅત સાથે પઢ્યા પછી તે જગ્યા ઉપરથી ઉઠે નહીં અને તે જગ્યા ઉપર બેઠા બેઠા દુરૂદ શરીફ, ઝિક્ર કે કોઈ વઝીફહ પઢતો રહે અને અલ્લાહ તઆલાની યાદમાં લાગેલો રહે. કોઈ દુન્યવી કામ કે વાતચીત કરે નહીં. અને જ્યારે સૂર્ય નીકળી આવીને એક નેઝા બરાબર ઉંચો થઈ જાય, ત્યારે બે રક્અત અથવા ચાર રક્અત નફલ પઢે. તે નમાઝને ઈશ્રાકની નમાઝ કહે છે. આવી રીતે ઈશ્રાકની બે રક્અત નમાઝ પઢવાનો સવાબ એક હજ્જ અને એક ઉમરહનો મળે છે. (તિરમિઝી)
બીજી એક હદીષ શરીફમાં છે કે, ઈશ્રાકની બે રક્અત નમાઝ પઢનારના તમામ ગુનાહ માફ કરી દેવામાં આવે છે. (અબૂ દાઉદ) અને જો ફજરની નમાઝ બાદ કોઈ કામધંધામાં લાગી જાય, તો સૂર્ય ઉંચો થવા પછી પણ આ નમાઝ પઢી શકે છે, પરંતુ તેનો સવાબ ઓછો મળશે.
- ચાશ્ત :
જ્યારે સૂર્ય ઘણો ઉંચે ચઢે અને તડકામાં તેજી આવે ત્યારે ઓછામાં ઓછી બે રક્અત અથવા ચાર રક્અત પઢે. એથી વધુ આઠ અથવા બાર રક્અત પઢે, એને ચાશ્તની નમાઝ કહે છે. એનો પણ ઘણો સવાબ મળે છે. હદીષ શરીફમાં તેની ઘણી ફઝીલત આવેલી છે. ચાશ્તની બે રક્અત પઢનારના દરેક ગુનાહો બખ્શી દેવામાં આવે છે. માણસના શરીરમાં ૩૬૦ સાંધાઓ છે. તે દરેક સાંધાનો સદકો અદા કરવો લાઝિમ છે. અને આ બે રક્અત તે સર્વ સદકાઓ માટે પુરતી છે. ચાર રક્અત પઢનારનું નામ આબિદોમાં લખાય છે, અને તે સાલેહીન (નેક પૂર્વજો)ની સુન્નત છે. તેના માટે અલ્લાહપાક ફરમાવે છે કે, સાંજ સુધી તેની સંભાળની જીમ્મેદારી મારી છે. અને છ રક્અત પઢનારને દિવસભરની ચિંતાઓથી મુક્ત કરી દેવામાં આવે છે. આઠ રક્અત પઢનારનું નામ પરહેઝગારોમાં લખી દેવામાં આવે છે. અને બાર રક્અત પઢનારના માટે જન્નતમાં સોનાનો મહેલ તૈયાર કરવામાં આવે છે. (તિરમિઝી, ઈબ્ને માજહ, અહમદ, અબૂ યઅ્લા)
- અવ્વાબીન :
મગરિબની ફર્ઝ અને સુન્નત નમાઝ પઢ્યા બાદ ઓછામાં ઓછી છ અને વધુમાં વધુ વીસ રક્અત નફલ પઢે. તેને અવ્વાબીન કહેવામાં આવે છે. એને પઢવાની પણ હદીષ શરીફમાં ઘણી ફઝીલત આવેલી છે. હદીષ શરીફમાં છે કે, “મગરિબની નમાઝ પછી જે છ રક્અત નમાઝ પઢે અને વચ્ચે કોઈ નકામી વાત કરે નહીં, તેને બાર વર્ષ નફલ ઈબાદતનો સવાબ મળે છે.” (તિરમિઝી) બીજી હદીષમાં છે કે, તેના દરેક ગુનાહો માફ કરી દેવામાં આવશે, ચાહે દરિયાના ફીણ બરાબર હોય. (તબરાની) અને વીસ રક્અત પઢનારા માટે જન્નતમાં ઘર બનાવી દેવામાં આવે છે. (તિરમિઝી)
- તહજ્જુદ :
અડધી રાત્રે ઉઠીને નમાઝ પઢવાનો ઘણો સવાબ છે. આ નમાઝ અલ્લાહ તઆલાની નઝદીક ઘણી મકબૂલ છે. નફલ નમાઝોમાં સૌથી વધુ સવાબ એનો મળે છે. તહજ્જુદની ઓછામાં ઓછી ચાર રક્અત અને વધુમાં વધુ બાર રક્અત છે. જો ન બને તો બે રક્અત પણ જરૂર પઢે. પાછલી રાતમાં ઉઠવાની હિંમત ન હોય તો ઈશાંની નમાઝ પછી પઢી લે. જો કે એવો સવાબ નહીં મળે. હદીષ શરીફમાં આ નમાઝની ઘણી ફઝીલત છે. હદીષ શરીફમાં છે કે, તહજ્જુદની ચાર રક્અત પઢવાનો સવાબ શબે કદ્રની ચાર રક્અત બરાબર છે. (બયહકી) બીજી હદીષમાં છે કે, ફર્ઝ નમાઝો પછી રાતની નમાઝ તમામ નમાઝોથી અફઝલ છે. (મુસ્લિમ) વળી બીજી હદીષ શરીફમાં છે કે, રાત્રિનું ઉઠવું પાછલા થઈ ગયેલા સાલેહીનની રીત છે, પરવરદિગારથી નજદીક (નિકટ) કરનાર છે, પાછલા ગુનાહનો કફ્ફારો છે અને ભવિષ્ય માટે અટકાવ છે. (તિરમિઝી)
હદીષ શરીફમાં છે કે, અલ્લાહ તબારક વ તઆલા પોતાના બંદાથી રાતના છેલ્લા ભાગમાં ઘણો જ નજદીક હોય છે. જો તું તે વેળા તારૂં નામ ઝાકેરિનના લીસ્ટમાં લખાવી શકતો હોય, તો ગફલત ન કર. અર્થાત્ જો એ પ્રસંગથી કંઈક લાભ ઉઠાવવા ચાહતો હોય તો લાભ ઉઠાવી લે. (તિરમિઝી શરીફ)
બીજી એક હદીષમાં છે કે, અલ્લાહ તઆલા તે બંદા ઉપર રહમત નાઝિલ કરે છે, જે પાછલી રાત્રે નમાઝ માટે ઉઠે છે. અને પોતાની પત્નિને પણ જગાડે છે. જો પત્નિ ઉઠતી ન હોય, તો તેના મોઢા ઉપર પાણી છાંટે છે. અલ્લાહ તઆલા તે સ્ત્રી ઉપર રહમત નાઝિલ કરે છે, જે પાછલી રાત્રે ઉઠે છે અને પોતાના પતિને પણ જગાડે છે. જો પતિ ઉઠતો ન હોય તો તેના મોઢા ઉપર પાણી છાંટી તેને જગાડે છે. (અબૂ દાઉદ, નસાઈ, ઈબ્ને હબ્બાન)
હુઝૂરે અકરમ (સલ.)એ ફરમાવ્યું કે, દરેક નમાઝોમાંથી અલ્લાહપાકને હઝરત દાઉદ (અલૈ.)ની નમાઝ પસંદ છે. એમની નમાઝની રીત એ હતી કે, અડધી રાત ઉંઘ લેતા હતા અને રાતનો ત્રીજો ભાગ ઈબાદત કરતા હતા. અને ઈબાદત પછી ફરી રાતના છઠ્ઠા ભાગમાં આરામ ફરમાવતા હતા. (બુખારી, મુસ્લિમ) આ ઉપરાંત તહજ્જુદની નમાઝની ફઝીલતમાં ઘણી હદીષો બયાન થઈ છે.
અલ્લાહ તઆલા દરરોજ રાતના આખરી હિસ્સામાં આસ્માની દુનિયામાં આવીને ફરમાવે છે કે, “છે કોઈ માંગવાવાળો કે તેનો સવાલ પૂરો કરવામાં આવે, છે કોઈ મગફિરત ચાહનાર કે તેને બખ્શી દેવામાં આવે.” તે વખતે ખાસ કરીને તેની રહમતના દ્વાર ખુલ્લા હોય છે. અને દુઆની કબૂલિયતનો પણ ખાસ વખત છે.
- સલાતુત્તસ્બીહ :
આ નમાઝ ચાર રક્અત પઢવી મુસ્તહબ છે. એ ચાર રક્અતમાં ૩૦૦ તસ્બીહ પઢવાની છે. અને તેનો ઘણો સવાબ છે. તેના માટે હદીષ શરીફમાં બે રીતો છે. પહેલી જે રીત તિરમિઝી શરીફમાં હઝરત અબ્દુલ્લાહ બિન મુબારક (રહ.)ની રિવાયતમાં છે, તેનો પઢવાનો તરીકો આ પ્રમાણે છે કે, પહેલી રક્અતમાં સના પઢ્યા પછી અને અલ્હમ્દુ શરીફથી પહેલાં પંદર વખત “સુબ્હાનલ્લાહિ વલ્હમ્દુ લિલ્લાહિ વલા ઈલાહ ઈલ્લલ્લાહુ વલ્લાહુ અકબર” પઢે. પછી અલ્હમ્દુ અને સૂરત પઢ્યા પછી ૧૦ વાર આ જ તસ્બીહ પઢે. ફરી રુકૂઅમાં રુકૂઅની તસ્બીહ પઢ્યા પછી મજકૂર તસ્બીહ ૧૦ વાર પઢે. ફરી કવમહમાં ‘રબ્બના લકલ હમ્દ’ કહી લીધા પછી ૧૦ વાર પઢે. ફરી સિજદહમાં સિજદહની તસ્બીહ પઢ્યા બાદ મજકૂર તસ્બીહ ૧૦ વાર પઢે. ફરી જલ્સામાં આ તસ્બીહ ૧૦ વાર પઢે. ફરી બીજા સિજદહમાં પહેલા સિજદહની જેમ ૧૦ વાર તસ્બીહ પઢે. આ રીતે એક રક્અતમાં ૭પ વખત તસ્બીહ થઈ. આવી રીતે ચાર રક્અતોમાં ૩૦૦ તસ્બીહ પઢે.
બીજી રિવાયતમાં જે હઝરત ઈબ્ને અબ્બાસ (રદી.)થી નકલ છે, તેની રીત આ પ્રમાણે છે કે, સના, અલ્હમ્દુ શરીફ અને સૂરત પઢી રહ્યા પછી રુકૂઅથી પહેલાં ૧પ વખત મજકૂર તસ્બીહ પઢે. પછી રુકૂઅમાં, કવમહમાં, સિજદહમાં, ફરી જલ્સામાં, ફરી બીજા સિજદહમાં ઉપર પ્રમાણે જ મજકૂર તસ્બીહ ૧૦ વાર પઢે. અને બીજો સિજદહ કરી બેસે અને તેમાં ૧૦ વાર મજકૂર તસ્બીહ પઢીને બીજી રક્અત માટે ઉભા થાય. એવી રીતે એક રક્અતમાં ૭પ વખત તસ્બીહ પઢે. અને બીજી રક્અતમાં કાએદહમાં બેસે ત્યારે પ્રથમ ૧૦ વાર તસ્બીહ પઢ્યા પછી અત્તહિય્યાત પઢે. આવી રીતે આ બન્ને તરીકા સલાતુત્તસ્બીહ પઢવાના છે. એમાં માત્ર તફાવત એટલો જ છે કે, પહેલી રિવાયતથી કિયામમાં બે વખત મળીને રપ વાર તસ્બીહ પઢાય છે. પંદર (૧પ) વાર અલ્હમ્દુ શરીફના પહેલાં અને ૧૦ વાર કિરાઅતના પછી. અને બીજી રીતમાં કિયામમાં કિરાઅત પછી ૧પ વાર અને બીજા સિજદા પછી બેસીને ૧૦ વાર પઢીને ઉભા થવાનું છે. આપણા હનફી મુહક્કિક બુઝુર્ગોએ પહેલો તરીકો વધુ પસંદ ફરમાવ્યો અને બેહતર કહ્યો છે. પરંતુ બન્ને તરીકાથી પઢવું હદીષ શરીફથી સાબિત છે. એમાં ચારેવ રક્અતમાં સૂરત પઢવી કોઈ ખાસ મુકર્રર નથી. જોઈએ તે પઢી શકે છે. અને તેના પઢવાના માટે ખાસ કોઈ વખત મુકર્રર નથી. જ્યારે જોઈએ ત્યારે પઢી લે. મકરૂહ વખતે અને જે વખત નફલ પઢવી મકરૂહ હોય તે વખતે પઢે નહીં. જો આ નમાઝમાં સહવ થઈ જાય, તો સહવનો સિજદહ કર્યા પછી તસ્બીહ પઢે નહીં. કારણકે દરેક રક્અતમાં ૭પ વખત જ તસ્બીહ પઢવાની છે. કોઈ રુકનમાં તસ્બીહ પઢવાનું ભૂલી જવાય તો બીજા રુકનમાં એટલી વધુ પઢી લે. અને જો રુકૂઅમાં ભૂલી જાય, તો કવમહમાં વધુ ન પઢે, પણ નાના રુકનમાં પઢવા કરતાં પહેલાં સિજદહમાં એટલી તસ્બીહ વધુ પઢી લે. એવી રીતે દરેક રક્અતમાં ૭પ વાર તસ્બીહ પુરી કરી લે. તસ્બીહને આંગળીઓ પર ગણે નહીં, પણ આંગળી દબાવીને યાદ રાખે.
હદીષમાં આ નમાઝની ઘણી ફઝીલત આવી છે. આ નમાઝના સવાબ માટે હુઝૂર (સલ.)એ પોતાના કાકા હઝ. અબ્બાસ (રદી.)થી ફરમાવ્યું : આ ચાર રકાત નમાઝ (સલાતુત્તસ્બીહ) પઢવાથી અલ્લાહ પાક તમારા આગલા-પાછલા, નાના-મોટા, છૂપા અને જાહેર, જાણેઅજાણે કરેલા સર્વે ગુનાહ માફ કરી દેશે. અને ફરમાવ્યું કે, આ નમાઝ રોજ પઢ્યા કરો. અને જો રોજ ન બની શકે તો જુમ્આના %
Log in or Register to save this content for later.