Chapter : તહારત
(Page : 104)
સવાલ :– મસ્જિદમાં વુઝૂના પાણી માટે એક ટાંકી છે, જે ચાર ફૂટ ઉંડી છે અને પ પ ફૂટ લાંબી પહોળી છે, તેના પાણીથી એક સમયે વુઝૂ કરતાં બદબૂ આવવા લાગી. તપાસ કરતાં માલૂમ પડયું કે તેમાં મરેલી ખીસકોલી ફુલીને પાણીની સપાટી ઉપર આવેલી હતી.
ટાંકીનું પાણી ખાલી કરતાં ખીસકોલીના શરીરના બે ત્રણ ટૂકડા તથા અમુક કણો દેખાયા, તો આ સૂરતમાં અહિંયાના રહીશોએ કેટલી નમાઝો દોહરાવવી પડશે ?
જવાબ :– મઝકૂર સૂરતમાં જે લોકોએ આ ટાંકીના પાણીથી વુઝૂ કરી નમાઝો પઢી છે, તેઓને જયારથી ટાંકીમાં મરેલી ખિસકોલી હોવાની જાણ થઈ ત્યારથી પાછલા ત્રણ રાત–દિવસમાં જે નમાઝો આ ટાંકીના પાણીથી વુઝૂ કરી પઢી હોય તે નમાઝો દોહરાવવી પડશે અને જે કપડાંઓને મઝકૂર સમયમાં આ ટાંકીનું પાણી લાગ્યું હોય તે ધોઈને પાક કરવાં પડશે. (‘દુર્રે મુખ્તાર શામી ૧/૧ર૪, ૧૪પ)
Log in or Register to save this content for later.