Chapter : નમાઝના જરૂરી મસાઈલ
(Page : 156)
આ મુબારક મહિનાના છેલ્લા દસ દિવસમાં “એઅતિકાફ”કરવું સુન્નતે મુઅક્કદહ કિફાયહ છે. જનાબ નબીએ કરીમ (સલ.)થી મજકૂર દિવસોમાં ઘણા બંદોબસ્ત સાથે એઅતિકાફ કરવો સહીહ હદીષોમાં આવેલ છે. પણ આ સુન્નતે મુઅક્કદહ અમૂક માણસોના કરી લેવાથી સર્વેના માથા ઉપરથી ઉતરી જશે.
હદીષ શરીફમાં છે કે, રમઝાનના દસ દિવસોમાં એઅતિકાફ કરવાનો સવાબ બે હજ્જ અને બે ઉમરહની બરાબર છે. એટલે કે, બે હજ્જ અને બે ઉમરહનો સવાબ મળે છે. (બયહકી)
Log in or Register to save this content for later.