જે કારણથી વુઝૂ તૂટતું નથી

Chapter : નમાઝના જરૂરી મસાઈલ

(Page : 34 to 35)
  • મોઢું ભરાય ન જાય તેટલી થોડીક જ ઉલટી નીકળવાથી વુઝૂ તૂટતુ નથી, પણ જીવ ગભરાયને અનેકવાર થોડી થોડી એટલી ઉલટી થાય કે જો તેને ભેગી કરવામાં આવે તો મોઢુ ભરાય જાય, તો વુઝૂ તૂટી જશે.
  • બેઠા બેઠા કે ઉભા ઉભા ટેકો લગાડ્યા વગર સૂઈ જવાથી વુઝૂ તૂટશે નહીં.
  • વુઝૂ કર્યા પછી કોઈની સતર (નગ્નતા) જોઈ લીધી અથવા પોતાનું સતર ખુલી ગયું અથવા નગ્ન અવસ્થામાં વુઝૂ કર્યું, તો તે જાઈઝ છે. ફરી વુઝૂને દોહરાવવાની જરૂર નથી.
  • તમાકુ ખાવાથી કે બીડી પીવાથી વુઝૂ તૂટતું નથી. કોગળો કરી મ્હોં સાફ કરી નમાઝ પઢી શકાય છે. પણ જો તેમાં નશો ચઢી જાય અને દિમાગ ઠેકાણે ન રહે, તો વુઝૂ તૂટી જશે.
  • સખત તાપ કે વધુ પડતો પ્રકાશ, પ્યાજ કાપતી વેળા, બગાસુ- ખાંસી ખાવાથી, સૂરમો લગાડવાથી આંખમાંથી પાણી નીકળે તો એનાથી વુઝૂ તૂટશે નહીં. (કિતાબુલ મસાઈલ : ૧પ૧)
  • શરીરના કોઈપણ અવયવને પકડવાથી વુઝૂ તૂટતુ નથી. જ્યાં સુધી નાપાકી ન નીકળે. (મસાઈલે વુઝૂ : ૮૩)
  • હુક્કો, બીડી-સિગારેટ અને પાન મસાલાથી વુઝૂ તૂટતું નથી. પરંતુ નમાઝથી પહેલાં મોઢામાંથી એની દુર્ગંધ દૂર કરવી જરૂરી છે. જો નમાઝમાં આ વસ્તુઓની દુર્ગંધ અને વાસ આવતી રહેશે, તો નમાઝ મકરૂહ થશે. (મસાઈલે વુઝૂ : ૯૧)
  • મચ્છર, માખી કે માંકડ લોહી પીશે, તો વુઝૂ તૂટશે નહીં. (મસાઈલે વુઝૂ : ૯૩)
  • વુઝૂ કર્યા પછી વાળ કે નખ કાપવાથી વુઝૂ તૂટશે નહીં. એ જ રીતે અત્તર લગાવવાથી પણ વુઝૂ નહીં તૂટે. (મસાઈલે વુઝૂ : ૧૦૦)
Log in or Register to save this content for later.