Chapter : નમાઝના જરૂરી મસાઈલ
(Page : 143 to 145)
ઈદુલ અદહાની નમાઝથી લઈને ૧રમી તારીખના સૂરજ ડુબવા સુધીનો કુર્બાનીનો સમય છે. આ દિવસોમાં કુર્બાનીનો એટલો સવાબ છે કે, જાનવરના વાળ અને લોહીના ટીપાં-ટીપાં પર સવાબ મળશે.
કુર્બાનીનો કાયદો એ છે કે, જાનવરને કરવટથી સુવડાવીને તેનું મોઢું કિબ્લા તરફ કરી દો. કુર્બાનીની દુઆ “બિસ્મિલ્લાહિ અલ્લાહુ અકબર” પઢીને જડબાની પાસેથી તેનું ગળુ એટલુ કાપો કે ખાલની સાથે રગો (નસો) અને નરખરો (શ્વાસની નળી) પણ કપાઈ જાય. પોતાના હાથે ઝબહ કરવામાં વધારે સવાબ છે. રાતના વખતે કુર્બાની કરવી પણ જાઈઝ છે. (જ્યારે લાઈટની બરાબર વ્યવસ્થા હોય.)
લોકોમાં પ્રચલિત છે કે, ઔરતના હાથે ઝબહ કરવું દુરૂસ્ત નથી, એ ગલત છે. હા, ઝબહ કરવાના કાયદાની જાણકારી હોવી જરૂરી છે.
કુર્બાનીના ગોશ્તના ત્રણ હિસ્સામાંથી એક હિસ્સો અલ્લાહપાકના નામનો મિસ્કીનોને આપી દો. અને બાકીના બે હિસ્સામાંથી જેટલું ચાહો પોતે ખાઓ અને જેટલું ચાહો દોસ્તોને વહેંચો.
કુર્બાનીની ખાલ વેચો, તો તેની રકમ કોઈ મોહતાજને આપવી જરૂરી થશે. અને જો ન વેચો, અને તેને ધોવડાવીને મુસલ્લો બનાવો યા નાની મશક કે ડોલ સિવડાવી લો અને પોતાના અથવા મસ્જિદના કામમાં લાવો, તો એમાં પણ કંઈ વાંધો નથી.
આજે એ મશહુર છે કે, ખસ્સી કરેલ જાનવરની કુર્બાની જાઈઝ નથી, તો એ ગલત છે. બલ્કે ખસ્સી કરેલ જાનવર તો અફઝલ છે. હા, જાનવર આંધળુ ન હોવુ જોઈએ, પૂછડી યા કાન ત્રીજા ભાગથી વધારે કપાયેલ પણ ન હોય અને એટલુ દુબળુ યા લંગડુ પણ ન હોવુ જોઈએ, કે જેથી ઝબહની જગ્યા સુધી ન જઈ શકે.
અકીકાના જાનવરમાં પણ એ જ શર્ત છે, જે કુર્બાનીના માટે છે. એટલે કે તે તંદુરસ્ત અને બે-ઐબ (ખોડખાંપણ વગરનું) હોય. બાળકના પેદા થવાથી સાતમા દિવસે જો છોકરો હોય તો બે બકરા અને છોકરી હોય તો એક બકરો યા બકરી “બિસ્મિલ્લાહી અલ્લાહુ અકબર” કહીને ઝબહ કરો. અકીકામાં કોઈ ખાસ દુઆ પઢવી જરૂરી નથી. ફક્ત નિય્યત કરી લો કે, આ જાનવર બાળકના અકીકામાં ઝબહ કરૂં છું.
આ જે મશહુર છે કે, છોકરાના તરફથી જાનવર નર હોવું જોઈએ અને છોકરીને માટે માદા, એ ગલત છે.
એવી જ રીતે એ પણ મશહુર છે કે, અકીકાનું ગોશ્ત બાળકના માં-બાપ, દાદા-દાદી, નાના-નાની ન ખાઈ શકે, એ પણ ખોટું છે. અકીકાના ઝબહ અને તકસીમ (વહેંચણી) કરવાનો તરીકો બકરહ ઈદની કુર્બાની જેવો જ છે.
આજે રિવાજ થઈ ગયો છે કે, કુર્બાની અને અકીકાની ખાલ ઘરનું પાણી ભરનાર લઈ લે છે. અને એટલુ દબાણ કરે છે કે, જો તેને ન આપો, તો પાણી ભરવાનું છોડી દે છે. એ રિવાજને તોડો, એ ઠીક નથી. કેમકે એ ખાલને પાણી ભરવાની મજૂરીનો ભાગ બનાવી દેવા જેવો છે. જો કે ખાલ યા ગોશ્તને ન કસાઈની મજૂરીમાં આપવું જાઈઝ છે, ન કોઈ પાણી ભરનારને યા મસ્જિદના ઈમામના પગારમાં ગણવું જાઈઝ છે.
એવી જ રીતે એ રિવાજ પણ છે કે, હજામ બાળકના માથા પર અસ્તરો રાખે અને કસાઈ જાનવરના ગળા પર છરી મૂકે, એ પણ વાહિત છે. મકસદ અકીકો કરવાનો છે, તો પહેલાં માથુ મુંડાવે યા જાનવર પહેલાં ઝબહ કરે, દરેક રીતે જાઈઝ છે. માથુ મુંડાવ્યા પછી બાળકના માથા પર ઝાફરાન વગેરે લગાડી દો, જેથી શરદીની અસરથી મહફુઝ રહે તથા વાળના વજન બરાબર ચાંદીની મિકદાર ખયરાત કરી દો.
અકીકા માટે સાંજનો સમય નક્કી કરવો પણ વાહિયાત છે. કુર્બાનીની જેમ જે વખત ચાહો ઝબહ કરી શકો છો.
ઈદુલ અદહાના એક દિવસ પહેલાં એટલે કે, ઝિલ્હજ્જની ૯મી તારીખની ફજરથી લઈને ૧૩મી તારીખની અસર સુધી (કુલ ર૩ નમાઝોમાં) દરેક જમાઅતની ફર્ઝ નમાઝ પછી મોટા અવાજે એક વાર તકબીરે તશરીક પઢવી મર્દો માટે વાજીબ છે. જો ઈમામ ભૂલી જાય તો તમે તકબીર કહો, જેથી ઈમામને પણ યાદ આવી જાય અને તે પણ કહી લે. તકબીર આ છે : “અલ્લાહુ અકબર, અલ્લાહુ અકબર, લા ઈલાહ ઈલ્લલ્લાહુ વલ્લાહુ અકબર, અલ્લાહુ અકબર, વલિલ્લાહિલ હમ્દ.”
જે વ્યક્તિ બીજી યા ત્રીજી રકઅતમાં શરીક થયો, તો તે પણ પોતાની રક્અત પુરી કરીને સલામ ફેરવ્યા પછી તકબીર જરૂર કહે. ઘણા લોકો મોટા અવાઝથી તકબીર કહેતાં શરમાય છે, પરંતુ દીનની વાતોમાં શરમ ન રાખવી જોઈએ.
ઈદુલ અદહાની નમાઝથી લઈને ૧રમી તારીખના સૂરજ ડુબવા સુધીનો કુર્બાનીનો સમય છે. આ દિવસોમાં કુર્બાનીનો એટલો સવાબ છે કે, જાનવરના વાળ અને લોહીના ટીપાં-ટીપાં પર સવાબ મળશે.
કુર્બાનીનો કાયદો એ છે કે, જાનવરને કરવટથી સુવડાવીને તેનું મોઢું કિબ્લા તરફ કરી દો. કુર્બાનીની દુઆ “બિસ્મિલ્લાહિ અલ્લાહુ અકબર” પઢીને જડબાની પાસેથી તેનું ગળુ એટલુ કાપો કે ખાલની સાથે રગો (નસો) અને નરખરો (શ્વાસની નળી) પણ કપાઈ જાય. પોતાના હાથે ઝબહ કરવામાં વધારે સવાબ છે. રાતના વખતે કુર્બાની કરવી પણ જાઈઝ છે. (જ્યારે લાઈટની બરાબર વ્યવસ્થા હોય.)
લોકોમાં પ્રચલિત છે કે, ઔરતના હાથે ઝબહ કરવું દુરૂસ્ત નથી, એ ગલત છે. હા, ઝબહ કરવાના કાયદાની જાણકારી હોવી જરૂરી છે.
કુર્બાનીના ગોશ્તના ત્રણ હિસ્સામાંથી એક હિસ્સો અલ્લાહપાકના નામનો મિસ્કીનોને આપી દો. અને બાકીના બે હિસ્સામાંથી જેટલું ચાહો પોતે ખાઓ અને જેટલું ચાહો દોસ્તોને વહેંચો.
કુર્બાનીની ખાલ વેચો, તો તેની રકમ કોઈ મોહતાજને આપવી જરૂરી થશે. અને જો ન વેચો, અને તેને ધોવડાવીને મુસલ્લો બનાવો યા નાની મશક કે ડોલ સિવડાવી લો અને પોતાના અથવા મસ્જિદના કામમાં લાવો, તો એમાં પણ કંઈ વાંધો નથી.
આજે એ મશહુર છે કે, ખસ્સી કરેલ જાનવરની કુર્બાની જાઈઝ નથી, તો એ ગલત છે. બલ્કે ખસ્સી કરેલ જાનવર તો અફઝલ છે. હા, જાનવર આંધળુ ન હોવુ જોઈએ, પૂછડી યા કાન ત્રીજા ભાગથી વધારે કપાયેલ પણ ન હોય અને એટલુ દુબળુ યા લંગડુ પણ ન હોવુ જોઈએ, કે જેથી ઝબહની જગ્યા સુધી ન જઈ શકે.
અકીકાના જાનવરમાં પણ એ જ શર્ત છે, જે કુર્બાનીના માટે છે. એટલે કે તે તંદુરસ્ત અને બે-ઐબ (ખોડખાંપણ વગરનું) હોય. બાળકના પેદા થવાથી સાતમા દિવસે જો છોકરો હોય તો બે બકરા અને છોકરી હોય તો એક બકરો યા બકરી “બિસ્મિલ્લાહી અલ્લાહુ અકબર” કહીને ઝબહ કરો. અકીકામાં કોઈ ખાસ દુઆ પઢવી જરૂરી નથી. ફક્ત નિય્યત કરી લો કે, આ જાનવર બાળકના અકીકામાં ઝબહ કરૂં છું.
આ જે મશહુર છે કે, છોકરાના તરફથી જાનવર નર હોવું જોઈએ અને છોકરીને માટે માદા, એ ગલત છે.
એવી જ રીતે એ પણ મશહુર છે કે, અકીકાનું ગોશ્ત બાળકના માં-બાપ, દાદા-દાદી, નાના-નાની ન ખાઈ શકે, એ પણ ખોટું છે. અકીકાના ઝબહ અને તકસીમ (વહેંચણી) કરવાનો તરીકો બકરહ ઈદની કુર્બાની જેવો જ છે.
આજે રિવાજ થઈ ગયો છે કે, કુર્બાની અને અકીકાની ખાલ ઘરનું પાણી ભરનાર લઈ લે છે. અને એટલુ દબાણ કરે છે કે, જો તેને ન આપો, તો પાણી ભરવાનું છોડી દે છે. એ રિવાજને તોડો, એ ઠીક નથી. કેમકે એ ખાલને પાણી ભરવાની મજૂરીનો ભાગ બનાવી દેવા જેવો છે. જો કે ખાલ યા ગોશ્તને ન કસાઈની મજૂરીમાં આપવું જાઈઝ છે, ન કોઈ પાણી ભરનારને યા મસ્જિદના ઈમામના પગારમાં ગણવું જાઈઝ છે.
એવી જ રીતે એ રિવાજ પણ છે કે, હજામ બાળકના માથા પર અસ્તરો રાખે અને કસાઈ જાનવરના ગળા પર છરી મૂકે, એ પણ વાહિત છે. મકસદ અકીકો કરવાનો છે, તો પહેલાં માથુ મુંડાવે યા જાનવર પહેલાં ઝબહ કરે, દરેક રીતે જાઈઝ છે. માથુ મુંડાવ્યા પછી બાળકના માથા પર ઝાફરાન વગેરે લગાડી દો, જેથી શરદીની અસરથી મહફુઝ રહે તથા વાળના વજન બરાબર ચાંદીની મિકદાર ખયરાત કરી દો.
અકીકા માટે સાંજનો સમય નક્કી કરવો પણ વાહિયાત છે. કુર્બાનીની જેમ જે વખત ચાહો ઝબહ કરી શકો છો.
ઈદુલ અદહાના એક દિવસ પહેલાં એટલે કે, ઝિલ્હજ્જની ૯મી તારીખની ફજરથી લઈને ૧૩મી તારીખની અસર સુધી (કુલ ર૩ નમાઝોમાં) દરેક જમાઅતની ફર્ઝ નમાઝ પછી મોટા અવાજે એક વાર તકબીરે તશરીક પઢવી મર્દો માટે વાજીબ છે. જો ઈમામ ભૂલી જાય તો તમે તકબીર કહો, જેથી ઈમામને પણ યાદ આવી જાય અને તે પણ કહી લે. તકબીર આ છે : “અલ્લાહુ અકબર, અલ્લાહુ અકબર, લા ઈલાહ ઈલ્લલ્લાહુ વલ્લાહુ અકબર, અલ્લાહુ અકબર, વલિલ્લાહિલ હમ્દ.”
જે વ્યક્તિ બીજી યા ત્રીજી રકઅતમાં શરીક થયો, તો તે પણ પોતાની રક્અત પુરી કરીને સલામ ફેરવ્યા પછી તકબીર જરૂર કહે. ઘણા લોકો મોટા અવાઝથી તકબીર કહેતાં શરમાય છે, પરંતુ દીનની વાતોમાં શરમ ન રાખવી જોઈએ.
Log in or Register to save this content for later.