ઝકાત કોને આપી શકાય ?

Chapter : રોઝા અને ઝકાતના જરૂરી મસાઈલ

(Page : 102-104)
  • જે લોકોને ઝકાત આપવી દુરૂસ્ત છે. ચાલુ સમયમાં તે મસારિફે ઝકાત (જેમને ઝકાત આપી શકાય તે) આ છે :
  • ગરીબ, એટલે કે તે માણસ જેની પાસે થોડો માલસામાન છે, પણ નિસાબથી ઓછો હોય.
  • મિસ્કીન, એટલે કે જેની પાસે કંઈ પણ માલ નથી. અને પોતાના ખાવા, પહેરવાથી પણ મોહતાજ હોય.
  • કર્ઝદાર, એટલે કે તે માણસ કર્ઝદાર ગણાશે, જેને પોતાની પાસેના માલ કરતાં કરજ વધુ હોય.
  • મુસાફિર, એટલે કે સફરની હાલતમાં કોઈ કારણથી તંગદસ્ત થઈ ગયો હોય, એને તેની હાજત જેટલી ઝકાત આપવી જાઈઝ છે.
  • ઝકાત, સદકાત અને ખયરાત આપવામાં સૌથી વધારે પોતાના સગા-વહાલાનું ધ્યાન રાખે. પ્રથમ પોતાના સગાઓ, જેવા કે, ભાઈ, બહેન, ભત્રીજા, ભત્રીજીઓ, ભાણેજો, ભાણકીઓ, કાકા, ફોઈ, માસી, મામા, સાસુ, સસરા, જમાઈ વિગેરેમાંથી જે કોઈ હાજતમંદ અને હકદાર હોય તે લોકોને આપવામાં ઘણો સવાબ છે. તે પછી પોતાના પાડોશીઓને, પછી પોતાના શહેરના લોકો- માંથી જેઓ વધુ હાજતવાળા છે, તેમને આપવું બેહતર છે. દીની ઈલ્મ પઢનારાઓને અને દીન પર ચુસ્ત ચાલનારા આલિમોને આપવામાં પણ ઘણો મોટો સવાબ છે.
  • દીની મદ્રસાઓમાં ઝકાત આપવી ઘણું જ સારૂં છે. કારણ કે એમાં ગરીબ અને મોહતાજ લોકોની મદદની સાથે સાથે દીની ઈલ્મનો પણ ફેલાવો થાય છે. (મસાઈલે ઝકાત : ર૦ર)
  • ગુનેહગાર, ફાસિક (ખુલ્લેઆમ શરીઅત વિરૂદ્ધ કૃત્યો કરનાર) હકદારને ઝકાત આપવાથી ઝકાત તો અદા થઈ જશે, પરંતુ બેહતર એ છે કે, નેક અને સારા (જરૂરતમંદ) લોકોને ઝકાત, સદકાત, ખયરાત આપવામાં આવે. (મસાઈલે ઝકાત : ર૬૮)
  • બેનમાઝીને પણ ઝકાત આપવું જાઈઝ છે. જો તે મોહતાજ (અને જરૂરતમંદ) હોય. (ફતાવા દારૂલ ઉલૂમ : ર૦પ/૬) પરંતુ એમને આપવા કરતાં નેક પરહેઝગાર લોકોને આપવું વધુ સારૂ છે. જેમકે આગળના પેજોમાં “ઝકાતના અદબો”માં વિગતવાર વાંચી ચૂક્યા છો.
  • માં-બાપ, દાદા પોતાની ઔલાદ (પૂત્ર, પૂત્રી, પૌત્ર, પૌત્રી) અને પતિ-પત્નિ સિવાય બીજા કોઈ પણ શ્તેદારને ઝકાત આપી શકાય છે. (ફતાવા દારૂલ ઉલૂમ : ર૦૬/૬)
  • સગા-વ્હાલાઓમાં જે લોકો (ઉપર દર્શાવેલ સગા-વ્હાલાઓ સિવાય) ઝકાતના મુસ્તહિક છે, એમને ઝકાત આપવામાં બે ઘણો સવાબ મળે છે. એક ઝકાતનો અને બીજો સીલારહમીનો. (કિતાબુલ ફતાવા : ૧૮૦/ર)
  • પોતાની મતરાઈ માં, પૂત્રવધુ અને જમાઈને ઝકાત આપી શકાય છે, જો તેઓ મુસ્તહિક અને મોહતાજ હોય. (કિતાબુલ ફતાવા : ૧૮૧/ર)
  • ઝકાતની રકમથી ફ્લેટ અને મકાનો બાંધીને ગરીબો (જેઓ ઝકાતના હકદાર હોય)ને માલિક બનાવીને વહેંચી આપવું અને રજીસ્ટ્રેશન કરાવીને સંપૂર્ણ માલિક બનાવી દે તો દુરૂસ્ત છે. ઝકાત અદા થઈ જશે. (કિતાબુલ મસાઈલ : ૧૮૪/ર)
  • પૂર અથવા કોઈ કુદરતી આપત્તિમાં ફસાયેલા બેસહારા અને ગરીબ લોકો પર માલિક બનાવીને ઝકાતની રકમ આપવી કે ખર્ચ કરવી જાઈઝ છે. પરંતુ એમાંથી જે લોકો હકદાર ન હોય એમના ઉપર ઝકાતની રકમ ખર્ચ કરવામાં નહીં આવે. (કિતાબુલ મસાઈલ : ૧૮પ/ર)
  • નિર્દોષ નાદાર મુસ્લિમ કેદીઓને છોડાવવા માટે એ (કેદીઓ) તરફથી પ્રત્યક્ષ યા પરોક્ષ રીતે ઝકાત પર કબ્જો કર્યા પછી એમની ઈજાઝતથી ઝકાતની રકમ (છોડાવવા માટે) વાપરવામાં આવે, તો જાઈઝ છે. (કિતાબુલ મસાઈલ : ૧૮પ/ર)
Log in or Register to save this content for later.