Chapter : રોઝા અને ઝકાતના જરૂરી મસાઈલ
(Page : 86 to 88• જેની પાસે સાડા બાવન તોલા ચાંદી (૬૧ર ગ્રામ ૩૬૦ મિલી ગ્રામ) અથવા સાડા સાત તોલા સોનું (૮૭ ગ્રામ ૪૮૦ મિલી ગ્રામ) હોય અથવા તેના જેટલી કિંમતના સિક્કા, ગીનીઓ, રોકડ રકમ અથવા એટલી કિંમતનો વેપારનો માલ વિગેરે હોય અને તે એક વર્ષ સુધી બાકી રહે, તો વર્ષ પુરૂ થતાં તેની ઝકાત આપવી વાજિબ છે. અને જો એનાથી ઓછુ હોય, તો તેના પર ઝકાત આપવી વાજિબ નથી. અને તેના કરતાં વધારે હોય ત્યારે પણ ઝકાત વાજિબ છે. • કોઈની પાસે થોડીક ચાંદી છે અને થોડુક સોનું છે, બન્નેમાંથી એકનો પણ નિસાબ પુરો નથી, તો એવી હાલતમાં સોનાની કિંમત ચાંદીથી અથવા ચાંદીની કિંમત સોનાથી મેળવીને જોવાથી બન્નેમાંથી કોઈ એકનો પણ નિસાબ પુરો થઈ જાય, તો તેના હિસાબ મુજબ ઝકાત આપવી પડશે. અને જો બન્નેમાંથી કોઈ એકનો પણ નિસાબ પુરો થાય નહીં, તો ઝકાત વાજિબ થશે નહીં. જો કોઈની પાસે માત્ર ચાર-પાંચ તોલા સોનું છે, અને તેની પાસે ચાંદીની બીજી કોઈ વસ્તુ કે રૂપિયા-ઘરેણાં નથી, તો એવી હાલતમાં પણ ઝકાત ફર્ઝ નથી. • જો કોઈની પાસે આઠ તોલા સોનું અથવા સાઈઠ તોલા ચાંદી અથવા તો તેટલી કિંમતનો માલ કે પૈસા ચાર કે છ (૬) મહિના સુધી રહ્યા, ફરી તેમાં થોડુ ઓછુ થઈ ગયું, વળી બે-ત્રણ મહિના પછી ફરી પૈસા મળી ગયા, તો ઝકાત આપવી વાજિબ છે. મતલબ કે, વર્ષની શરૂઆતમાં અને આખરમાં નિસાબ જેટલો માલ થઈ જાય અને વચ્ચે કેટલાક દિવસ તે ગણત્રીથી માલ ઓછો થઈ ગયો હોય, તો પણ ઝકાત આપવી પડશે. પરંતુ જો પુરો માલ જતો રહે અને તે પછી પાછો કમાઈ લીધો, તો જ્યારથી ફરી માલ મળ્યો હશે, ત્યારથી એક વર્ષ પુરૂ થતાં ઝકાત આપવી પડશે. • સોના-ચાંદીના ઘરેણાં અથવા તેના વાસણ કે બીજી કોઈ વસ્તુ, કપડાં ઉપર ભરેલી સાચી જીક, જરી, કિનારી વિગેરે દરેક ઉપર ઝકાત વાજિબ છે, પછી તે વસ્તુઓ વાપરવાની હોય તો પણ. મતલબ કે સોના-ચાંદીની દરેક વસ્તુ ઉપર નિસાબનો માલિક થતાં ઝકાત વાજિબ થશે. • સોનું-ચાંદી અથવા તેની કોઈ વસ્તુઓ સિવાય બીજી જેટલી પણ વાપરવાની ચીજો છે, જેમકે સાચા હીરા, મોતી, માણેક, ઝવેરાત, ઘરનો સામાન, ફર્નીચર, ગાલીચા, અલમારી, વાસણો, રહેવાનું ઘર, પહેરવાના કપડાં, સવારીની મોટર અથવા બીજુ કોઈ વાહન તેમજ એવી બીજી વાપરવાની સ્તુઓ, પછી તે હજારોની કિંમતની હોય તો પણ એના ઉપર ઝકાત વાજિબ થશે નહીં. પરંતુ જો એ વસ્તુઓમાંથી કોઈપણ ચીઝ વેપારની નિય્યતથી ખરીદ કરી હશે, તો ઝકાત આપવી પડશે. • કોઈની પાસે રૂપિયા પોતાના ખર્ચ કરતાં વધારે રાખેલા હતા, પછી વર્ષ પુરૂ થાય તે પહેલાં સો રૂપિયા બીજા મળી ગયા, તો તે સો રૂપિયાનો હિસાબ જુદો ગણાશે નહીં, પણ તેને બસો રૂપિયા સાથે મેળવી દેવામાં આવશે અને જ્યારે બસો રૂપિયા ઉપર વર્ષ વિતી જશે, તો પુરા ત્રણસોની ઝકાત વાજિબ થશે. • કોઈ માણસ ઘર બનાવવા માટે રકમ જમા કરે અને તે રકમ સાડા બાવન તોલા ચાંદીની કિંમત સુધી પહોંચી જાય અને એક વર્ષ પસાર થઈ જાય, તો એના ઉપર ઝકાત વાજિબ થશે. (ફતાવા ઉસ્માની : પ૮/ર) • શરીઅતની રૂએ ઝકાત ફક્ત સોનુ, ચાંદી, રોકડ રકમ, વેપારધંધાનો માલ, ખેતીવાડીની ઉપજ (પાક) અને ઢોરઢાંખર પર ફર્ઝ થાય છે, બીજી વસ્તુઓ પર નહીં. (ફતાવા ઉસ્માની : ૪૮/ર) વિગત ભરોસાપાત્ર ઉલમાને પૂછી લેવામાં આવે. • સોના-ચાંદીમાં કાયદાકીય રીતે તો વજનના હિસાબે જ ઝકાત વાજીબ થાય છે. (દા.ત. ૪૦ ગ્રામ સોનુ હોય તો ૧ ગ્રામ સોનુ ઝકાતમાં આપવું વાજીબ થશે.) હવે જો સોનાના બદલે રૂપિયા આપવા ચાહે તો સારૂ તો એ જ છે કે, જેટલું સોનુ ઝકાતમાં વાજીબ થતું હોય એ જ આધારે ઝકાત કાઢે. એટલે કે આજે સોનાનો ભાવ શું છે, તે જોઈને ઝકાત આપે. પરંતુ તે માણસ પોતાની પાસે જે સોનુ પડ્યું છે, તેને વેચતાં બજારમાંથી શું ભાવ આવે, તેના આધારે ઝકાત આપશે તો પણ ફર્ઝ અદા થઈ જશે. દા.ત. સોનાનો આજનો ભાવ રૂા.રપ૦૦૦/- હોય અને આપણું સોનુ સોનીને બતાવતાં તેની કિંમત રૂા.ર૩૦૦૦/- કહી, તો સારૂ એ છે કે, રૂા.રપ૦૦૦/-ના હિસાબે ઝકાત આપે. પરંતુ રૂા.ર૩૦૦૦/-ના હિસાબે આપે તો પણ જાઈઝ છે. (કિતાબુલ ફતાવા : ૧પ૧/ર) • સોના-ચાંદી સિવાયના ઘરેણાં (ઈમીટેશન જ્વેલરી) જો પોતાના વપરાશ માટે હોય તો તેના ઉપર ઝકાત વાજીબ થશે નહીં. અને જો કોઈ એનો વેપાર-ધંધો કરે છે, તો તેમાં વેપાર-ધંધાનો માલ હોવાને કારણે ઝકાત વાજીબ થશે. (કિતાબુલ મસાઈલ : ૧પ૧/ર))
Views:
151
- જેની પાસે સાડા બાવન તોલા ચાંદી (૬૧ર ગ્રામ ૩૬૦ મિલી ગ્રામ) અથવા સાડા સાત તોલા સોનું (૮૭ ગ્રામ ૪૮૦ મિલી ગ્રામ) હોય અથવા તેના જેટલી કિંમતના સિક્કા, ગીનીઓ, રોકડ રકમ અથવા એટલી કિંમતનો વેપારનો માલ વિગેરે હોય અને તે એક વર્ષ સુધી બાકી રહે, તો વર્ષ પુરૂ થતાં તેની ઝકાત આપવી વાજિબ છે. અને જો એનાથી ઓછુ હોય, તો તેના પર ઝકાત આપવી વાજિબ નથી. અને તેના કરતાં વધારે હોય ત્યારે પણ ઝકાત વાજિબ છે.
- કોઈની પાસે થોડીક ચાંદી છે અને થોડુક સોનું છે, બન્નેમાંથી એકનો પણ નિસાબ પુરો નથી, તો એવી હાલતમાં સોનાની કિંમત ચાંદીથી અથવા ચાંદીની કિંમત સોનાથી મેળવીને જોવાથી બન્નેમાંથી કોઈ એકનો પણ નિસાબ પુરો થઈ જાય, તો તેના હિસાબ મુજબ ઝકાત આપવી પડશે. અને જો બન્નેમાંથી કોઈ એકનો પણ નિસાબ પુરો થાય નહીં, તો ઝકાત વાજિબ થશે નહીં. જો કોઈની પાસે માત્ર ચાર-પાંચ તોલા સોનું છે, અને તેની પાસે ચાંદીની બીજી કોઈ વસ્તુ કે રૂપિયા-ઘરેણાં નથી, તો એવી હાલતમાં પણ ઝકાત ફર્ઝ નથી.
- જો કોઈની પાસે આઠ તોલા સોનું અથવા સાઈઠ તોલા ચાંદી અથવા તો તેટલી કિંમતનો માલ કે પૈસા ચાર કે છ (૬) મહિના સુધી રહ્યા, ફરી તેમાં થોડુ ઓછુ થઈ ગયું, વળી બે-ત્રણ મહિના પછી ફરી પૈસા મળી ગયા, તો ઝકાત આપવી વાજિબ છે. મતલબ કે, વર્ષની શરૂઆતમાં અને આખરમાં નિસાબ જેટલો માલ થઈ જાય અને વચ્ચે કેટલાક દિવસ તે ગણત્રીથી માલ ઓછો થઈ ગયો હોય, તો પણ ઝકાત આપવી પડશે. પરંતુ જો પુરો માલ જતો રહે અને તે પછી પાછો કમાઈ લીધો, તો જ્યારથી ફરી માલ મળ્યો હશે, ત્યારથી એક વર્ષ પુરૂ થતાં ઝકાત આપવી પડશે.
- સોના-ચાંદીના ઘરેણાં અથવા તેના વાસણ કે બીજી કોઈ વસ્તુ, કપડાં ઉપર ભરેલી સાચી જીક, જરી, કિનારી વિગેરે દરેક ઉપર ઝકાત વાજિબ છે, પછી તે વસ્તુઓ વાપરવાની હોય તો પણ. મતલબ કે સોના-ચાંદીની દરેક વસ્તુ ઉપર નિસાબનો માલિક થતાં ઝકાત વાજિબ થશે.
- સોનું-ચાંદી અથવા તેની કોઈ વસ્તુઓ સિવાય બીજી જેટલી પણ વાપરવાની ચીજો છે, જેમકે સાચા હીરા, મોતી, માણેક, ઝવેરાત, ઘરનો સામાન, ફર્નીચર, ગાલીચા, અલમારી, વાસણો, રહેવાનું ઘર, પહેરવાના કપડાં, સવારીની મોટર અથવા બીજુ કોઈ વાહન તેમજ એવી બીજી વાપરવાની સ્તુઓ, પછી તે હજારોની કિંમતની હોય તો પણ એના ઉપર ઝકાત વાજિબ થશે નહીં. પરંતુ જો એ વસ્તુઓમાંથી કોઈપણ ચીઝ વેપારની નિય્યતથી ખરીદ કરી હશે, તો ઝકાત આપવી પડશે.
- કોઈની પાસે રૂપિયા પોતાના ખર્ચ કરતાં વધારે રાખેલા હતા, પછી વર્ષ પુરૂ થાય તે પહેલાં સો રૂપિયા બીજા મળી ગયા, તો તે સો રૂપિયાનો હિસાબ જુદો ગણાશે નહીં, પણ તેને બસો રૂપિયા સાથે મેળવી દેવામાં આવશે અને જ્યારે બસો રૂપિયા ઉપર વર્ષ વિતી જશે, તો પુરા ત્રણસોની ઝકાત વાજિબ થશે.
- કોઈ માણસ ઘર બનાવવા માટે રકમ જમા કરે અને તે રકમ સાડા બાવન તોલા ચાંદીની કિંમત સુધી પહોંચી જાય અને એક વર્ષ પસાર થઈ જાય, તો એના ઉપર ઝકાત વાજિબ થશે. (ફતાવા ઉસ્માની : પ૮/ર)
- શરીઅતની રૂએ ઝકાત ફક્ત સોનુ, ચાંદી, રોકડ રકમ, વેપારધંધાનો માલ, ખેતીવાડીની ઉપજ (પાક) અને ઢોરઢાંખર પર ફર્ઝ થાય છે, બીજી વસ્તુઓ પર નહીં. (ફતાવા ઉસ્માની : ૪૮/ર) વિગત ભરોસાપાત્ર ઉલમાને પૂછી લેવામાં આવે.
- સોના-ચાંદીમાં કાયદાકીય રીતે તો વજનના હિસાબે જ ઝકાત વાજીબ થાય છે. (દા.ત. ૪૦ ગ્રામ સોનુ હોય તો ૧ ગ્રામ સોનુ ઝકાતમાં આપવું વાજીબ થશે.) હવે જો સોનાના બદલે રૂપિયા આપવા ચાહે તો સારૂ તો એ જ છે કે, જેટલું સોનુ ઝકાતમાં વાજીબ થતું હોય એ જ આધારે ઝકાત કાઢે. એટલે કે આજે સોનાનો ભાવ શું છે, તે જોઈને ઝકાત આપે. પરંતુ તે માણસ પોતાની પાસે જે સોનુ પડ્યું છે, તેને વેચતાં બજારમાંથી શું ભાવ આવે, તેના આધારે ઝકાત આપશે તો પણ ફર્ઝ અદા થઈ જશે. દા.ત. સોનાનો આજનો ભાવ રૂા.રપ૦૦૦/- હોય અને આપણું સોનુ સોનીને બતાવતાં તેની કિંમત રૂા.ર૩૦૦૦/- કહી, તો સારૂ એ છે કે, રૂા.રપ૦૦૦/-ના હિસાબે ઝકાત આપે. પરંતુ રૂા.ર૩૦૦૦/-ના હિસાબે આપે તો પણ જાઈઝ છે. (કિતાબુલ ફતાવા : ૧પ૧/ર)
- સોના-ચાંદી સિવાયના ઘરેણાં (ઈમીટેશન જ્વેલરી) જો પોતાના વપરાશ માટે હોય તો તેના ઉપર ઝકાત વાજીબ થશે નહીં. અને જો કોઈ એનો વેપાર-ધંધો કરે છે, તો તેમાં વેપાર-ધંધાનો માલ હોવાને કારણે ઝકાત વાજીબ થશે. (કિતાબુલ મસાઈલ : ૧પ૧/ર)
Log in or
Register to save this content for later.