Chapter : રોઝા અને ઝકાતના જરૂરી મસાઈલ
(Page : 60)
ઇસ્લામના બુન્યાદી શિક્ષણોમાં પાંચ અરકાનોમાંથી એક રૂકન (સ્તંભ) ઝકાત છે. જે દરેક સાહિબે નિસાબે આપવી ફર્ઝ છે. એનો ઈન્કાર કરનાર કાફિર છે, અને નહીં આપનાર સખ્ત ગુનેહગાર છે.
ઝકાતની ફરઝિયત અને તેની અગત્યતા :
કુર્આન શરીફમાં અનેક જગ્યાએ નમાઝની સાથે સાથે ઝકાતની પણ તાકીદ કરવામાં આવી છે. જો તમો કુર્આન મજીદની તિલાવત કરતા હશો, તો તેમાં અનેક જગ્યાએ પઢ્યું હશે કે, “અકીમુસ્સલાત વ આતુઝ-ઝકાત” અર્થ : નમાઝ કાયમ કરો અને ઝકાત આપતા રહો. કેટલીક જગ્યાએ મુસલમાનોના ખાસ સદ્ગુણ એ વર્ણન કરવામાં આવ્યા છે કે, “અલ્લઝીન યુકીમુનસ્સલાત વયુતૂનઝ ઝકાત” અર્થ : તેઓ નમાઝ પઢે છે તથા ઝકાત આપે છે. આથી જણાયું કે, જે લોકો નમાઝ નથી પઢતા અને ઝકાત નથી આપતા, તેઓ ખરા મુસલમાન નથી. કારણકે ઇસ્લામની જે વાતો અને જે સદ્ગુણો ખરા મુસલમાનોમાં હોવા જોઈએ, તે તેઓમાં નથી.
ઝકાત નહીં આપવી એ મુશ્રિકો અને કાફિરોનું લક્ષણ છે. તે સૂરએ હામીમ સિજદહની આ આયતમાં બતાવવામાં આવ્યું છે : “વયલુલ લિલ મુશ્રિકીનલ્લઝીન લા યુતૂનઝ ઝકાત વહુમ બિલ આખિરતી હુમ કાફિરૂન.”
અર્થ : અને એવા મુશ્રિકોની ભારે ખરાબી છે. તેનું પરિણામ ઘણું ખરાબ આવનાર છે, જેઓ ઝકાત આપતા નથી. અને તેઓ આખિરતનો ઈન્કાર કરનાર અને કાફિર છે.
Log in or Register to save this content for later.