નઝર (મન્નત) ના રોઝા

Chapter : રોઝા અને ઝકાતના જરૂરી મસાઈલ

(Page : 64 -65)

જ્યારે કોઈ નઝર એટલે કે મન્નત માને (જે શરીઅતમાં જાઈઝ હોય તેવી) ત્યારે તેને પુરી કરવી વાજિબ છે. જો મન્નત માની લીધી અને પછી રોઝો નહીં રાખે, તો ગુનેહગાર થશે.

        નઝર બે પ્રકારની છે : (૧) રોઝો રાખવાની મન્નત રોઝા માનવામાં જો દિવસ કે તારીખ મુકર્રર કરીને નઝર માની હોય, જેમકે, અય અલ્લાહપાક ! જો આજે મારૂ ફલાણું કામ થઈ જાય, તો હું કાલે રોઝો રાખીશ અથવા આવતી જુમેરાતે રોઝો રાખીશ. એવી માનતામાં રોઝાની નિય્યત રાતથી કરી લે, તો વાંધો નથી. રાત્રે ન કરી હોય તો અડધા દિવસથી પહેલાં પણ કરી શકાય છે. (ર) બીજી જાતની નઝર માનવામાં દિવસ અને તારીખ મુકર્રર કરી નહીં અને કહ્યું કે, “અય અલ્લાહપાક ! જો મારૂ ફલાણું કામ થઈ જાય, તો એક રોઝો રાખીશ અથવા કોઈ કામનું નામ લીધું નહીં અને એમ જ કહી દીધું કે, પાંચ રોઝા રાખીશ. તો એવી મન્નતમાં રોઝા માટે રાતથી એટલે કે સુબ્હે સાદિક પહેલાં નિય્યત કરવી જરૂરી છે. જો સવાર થયા પછી નિય્યત કરશે, તો નઝરનો રોઝો થશે નહીં અને તે રોઝો નફલ થશે. નઝરનો રોઝો ફરી રાખવો પડશે.

  • કોઈ માણસે મન્નત માની કે મારૂ ફલાણું કામ થઈ જશે, તો હું પાંચ દિવસ રોઝા રાખીશ. જો એ કામ થઈ જાય તો મન્નત માનનારે પોતે આ રોઝા રાખવા પડશે. બીજા લોકો પાસે રોઝા રખાવી શકતો નથી. (આપકે મસાઈલ : ૬૧૬/૪) થોડા ફેરફાર સાથે ટૂંકમાં.
  • મન્નતના રોઝા પોતે જ રાખવા પડશે. બીજા કોઈને રાખવા માટે કહેવું દુરૂસ્ત નથી. (આપકે મસાઈલ : ૬૧૬/૪)

કોઈએ એવી મન્નત ન માનવી જોઈએ, જેને તે પૂરી કરી ન શકે. તેમ છતાં કોઈએ રોઝાની મન્નત માની લીધી, તો હવે તેણે મન્નત મુજબ રોઝા રાખવા જરૂરી છે. અને જો એવી અશક્તિ અને કમઝોરી હોય કે રોઝા રાખવાની શક્તિ ન રહે, તો જે રીતે રમઝાનના રોઝાનો માઝૂર લોકો ફિદયો આપે છે, તે રીતે ફિદયો આપે. અને મન્નત માન્યા મુજબ પૂરી ન થવાને લીધે જે ગુનો થયો તેની અલ્લાહ તઆલા પાસે માફી માંગે. (આપકે મસાઈલ : ૬૧૭/૪)

Log in or Register to save this content for later.