એવા કામો જેનાથી રોઝો તૂટતો પણ નથી અને મકરૂહ પણ થતો નથી

Chapter : રોઝા અને ઝકાતના જરૂરી મસાઈલ

(Page : 51 -52)
  • મિસ્વાક કરવું.
  • માથામાં અથવા દાઢી-મૂંછોમાં તેલ લગાવવું.
  • આંખોમાં દવા કે સુરમો નાંખવો.
  • ખુશ્બુ (અત્તર વગેરે) સુંઘવું.
  • ગરમી અથવા તરસને કારણે (ઠંડક મેળવવા માટે) ન્હાવું.
  • ભૂલથી ખાઈ-પી લેવું.
  • કોઈ પણ ઈરાદા વગર ગળામાં ધુમાડો, ધૂળ અથવા મચ્છર કે માખી વગેરેનું ચાલ્યા જવું.
  • કાનમાં પાણી નાખવું અથવા વગર ઈરાદે ચાલ્યા જવું.
  • આપોઆપ ઉલ્ટી થવી.
  • સૂવાની હાલતમાં વીર્યભંગ થઈ જવો.
  • દાંતોમાંથી લોહી નીકળે, પરંતુ તે ગળામાં ન જાય.
  • રાત્રે ઉંઘમાં વીર્યભંગ થવાથી અથવા પત્નિ સાથે સંભોગ કરવાને કારણે ગુસલની જરૂરત હતી તેમ છતાં સુબ્હ સાદિકથી પહેલાં ગુસલ કર્યા વગર જ રોઝાની નિય્યત કરી લીધી.
  • વુઝૂ કરી રહ્યો ન હોવા છતાં કુલ્લી કરવી, નાકમાં પાણી નાંખવું.
  • શરીર પર લીલું કપડું મૂકવું, જેથી શરીરને ઠંડક મળે. (મસાઈલે રોઝા : ૧૮૩)
Log in or Register to save this content for later.