Chapter : રોઝા અને ઝકાતના જરૂરી મસાઈલ
(Page : 51 -52)
Views:
179
- મિસ્વાક કરવું.
- માથામાં અથવા દાઢી-મૂંછોમાં તેલ લગાવવું.
- આંખોમાં દવા કે સુરમો નાંખવો.
- ખુશ્બુ (અત્તર વગેરે) સુંઘવું.
- ગરમી અથવા તરસને કારણે (ઠંડક મેળવવા માટે) ન્હાવું.
- ભૂલથી ખાઈ-પી લેવું.
- કોઈ પણ ઈરાદા વગર ગળામાં ધુમાડો, ધૂળ અથવા મચ્છર કે માખી વગેરેનું ચાલ્યા જવું.
- કાનમાં પાણી નાખવું અથવા વગર ઈરાદે ચાલ્યા જવું.
- આપોઆપ ઉલ્ટી થવી.
- સૂવાની હાલતમાં વીર્યભંગ થઈ જવો.
- દાંતોમાંથી લોહી નીકળે, પરંતુ તે ગળામાં ન જાય.
- રાત્રે ઉંઘમાં વીર્યભંગ થવાથી અથવા પત્નિ સાથે સંભોગ કરવાને કારણે ગુસલની જરૂરત હતી તેમ છતાં સુબ્હ સાદિકથી પહેલાં ગુસલ કર્યા વગર જ રોઝાની નિય્યત કરી લીધી.
- વુઝૂ કરી રહ્યો ન હોવા છતાં કુલ્લી કરવી, નાકમાં પાણી નાંખવું.
- શરીર પર લીલું કપડું મૂકવું, જેથી શરીરને ઠંડક મળે. (મસાઈલે રોઝા : ૧૮૩)
Log in or
Register to save this content for later.