રોઝાના મુસ્તહબ કામો

Chapter : રોઝા અને ઝકાતના જરૂરી મસાઈલ

(Page : 50)
  • સૂર્યાસ્ત થતાં જ નમાઝથી પહેલાં રોઝો ખોલવામાં જલ્દી કરવું.
  • ખજૂર કે ખારેકથી રોઝો ઈફતાર કરવો અને એ ન હોય તો પાણીથી રોઝો ઈફતાર કરવો.
  • જેનાથી રોઝો ઈફતાર કરવામાં આવે તે એકી સંખ્યામાં હોય.
  • ઈફતાર કરતી વખતે દુઆ પઢવી.

દા.ત. અલ્લાહુમ્મ લક સુમ્તુ, વબિક આમન્તુ, વ અલયક તવક્કલતુ, વઅલા રિઝકિક અફતરતુ.

  • સેહરીમાં કંઈ પણ ખાવું, ચાહે તે થોડુંક જ હોય અથવા એક ઘૂંટ પાણી હોય.
  • સેહરીમાં એટલું મોડુ ન કરવું કે સુબ્હ સાદિક થઈ જવાનો અંદેશો થવા લાગે.
  • જબાનને કામ વગરની બેકાર વાતોથી બચાવવી અને હરામ વાતો (ગીબત, ચુગલી વગેરે)થી બચવું.
  • સગાવ્હાલા, જરૂરતમંદ લોકો અને ગરીબોને સદકો-ખૈરાત આપતા રહેવું.
  • રાત-દિવસ દીની કિતાબોના વાંચન અને અભ્યાસમાં, કુર્‌આને કરીમની તિલાવત, દુરૂદ શરીફ, ઝિક્ર વગેરેમાં લાગેલા રહેવું.
  • એઅતિકાફ કરવો. (કિતાબુલ મસાઈલ : ૯૮/ર)
Log in or Register to save this content for later.