Chapter : રોઝા અને ઝકાતના જરૂરી મસાઈલ
(Page : 44 to 46)
કાનમાં દવા નાંખવાથી રોઝો તૂટી જાય છે કે નહીં ? એ મુદો ઘણાં સમયથી ચર્ચા હેઠળ છે. વિવિધ મદ્રસાઓ તથા ફતાવા વિભાગોમાંતેના વિશે પ્રશ્ન પણ પૂછાય રહૃાા છે. અને કેટલાક દીની પત્રોમાં સમકાલીન આલિમોએ લખેલ લેખો તથા મંતવ્યો પણ પ્રગટ થયા છે.
વિષયની મહત્વતાના લીધે ૮, શઅબાન ૧૪રરની તારીખે દારૂલ ઉલૂમ કરાચીમાં ‘‘મજલિસે તહકીકે મસાઈલે હાઝિરાની એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું. જેમાં આ મુદૃા પર સામુહિક ધોરણે વિચાર વિમર્શ કરવામાં આવ્યો.
એક લાંબા સમયથી તમામ ડોકટરો તથા શરીર રચનાશાસ્ત્રીઓ આ વાતે સંમત છે કે, કાનની અંદરથી મગજ–દિમાગ સુધી કોઈ માર્ગ નથી. અને તમામ તબીબો તથા રચનાશાસ્ત્રીઓ સર્વસંમતિપૂર્વક એમ પણ કહે છે કે, એક સામાન્ય સ્વસ્થ માનવીના કાનથી ગળા સુધી પણ કોઈ એવો માર્ગ ખુલ્લો નથી જેના થકી દવા અથવા પાણી ગળામાં જઈ શકે. કારણ કે કાનના છેડે એક બારીક પરંતુ મજબૂત પડદો (પટલ) છે. જેના લીધે મગજ તથા ગળા તરફ જતો માર્ગ બંધ થઈ જાય છે. અને સામાન્ય સ્થિતિમાં કાનમાં નાખવામાં આવતી કોઈ પણ દવા કે ખાદ્ય પદાર્થ ગળા સુધી જતો નથી. હા, જો કોઈના કાનનો પડદો ફાટી ગયો હોય અથવા કાનના પડદામાં કાણું પડી ગયું હોય તો, આવી બીમારી અથવા અસામાન્ય સ્થિતિમાં દવા, કાનના અંદરથી ગળા સુધી જઈ શકે છે, અન્યથા નહીં.
બીજી એક સર્વસામાન્ય હકીકત એ છે કે અમુક બીમારીમાં ખોરાક નાક વડે નાળી દ્વારા પેટ (જઠર) સુધી પહોંચતો કરવામાં આવે છે. હોસ્પીટલોમાં આ એક રોજિંદી ઘટના છે. પરંતુ કાન દ્વારા ખોરાક અથવા દવા કે પાણી ગળા અથવા પેટ સુધી પહોંચાડવાની કોઈ ઘટના આજ સુધી જોવામાં કે સાંભળવામાં આવી નથી. તેનાથી પણ સાબિત થાય છે કે કાનથી ગળા સુધી કોઈ માર્ગ નથી.
હવે જયારે તમામ ડોકટરો અને રચનાશાસ્ત્રીઓ આ વાતે સર્વસંમત છે કે, કાનમાં દવા નાખવાથી મગજ સુધી તેના પહોંચવાનો કોઈ માર્ગ નથી. અને એ બાબતે પણ સર્વ સહમતી છે કે, કાનમાં દવા નાંખવાથી સામાન્ય સ્થિતિમાં ગળા સુધી પણ કોઈ રસ્તો નથી. એટલે આ દવા શરીરના એવા પોલાણ સુધી નથી પહોંચતી, જયાં પહોંચવાથી રોઝો તૂટી જવાનો હુકમ લાગુ પડે છે, અને ચારેય મસ્લકો આ બાબતે સર્વસંમત છે કે ગણનાપાત્ર માર્ગો (મનાફિઝે મુઅતબરહ) દ્વારા જ જો કોઈ વસ્તુ મોઅતબર પોલાણ (જવફે મુઅતબર) સુધી પહોંચે ત્યારે જ રોઝો તૂટે છે. અન્યથા નહીં
આ પરિસ્થિતિને સામે રાખીને ‘‘મજલિસે તહકીકે મસાઈલે હાઝિરાએ નીચે જણાવેલ મુદૃાઓ પર વિશેષ ધ્યાન કેન્દ્રીત કર્યું.
૧. ફુકહાએ કિરામની તે તમામ ઈબારતો, જે સાથે બીડેલ પાનાઓમાં નોંધવામાં આવી છે. અને જેના હવાલાઓ આગળ આપ્યા છે, તે તમામ પર વિચાર કરવામાં આવ્યો.
ર. હઝરત મવલાના મુફતી મુહમ્મદ રફીઅ ઉષ્માની સાહબ (દા.બ.)નું એ સંશોધન જે આપે પોતાની સંશોધનાત્મક કૃતિ‘‘ઝાબિતુલ મુફત્તિરાતના પેજ નં.પ૮ પર નોંધ્યુ છે. એના વાંચનથી પણ ખબર પડે છે કે કાનમાં દવા નાખવાથી રોઝો ફાસિદ નથી થતો.
૩. હઝરત મવલાના મુફતી રશીદ અહમદ સાહબ (રહ.)ના ફતવામાં પણ કાનમાં દવા નાખવાથી રોઝો નહીં તૂટશે. એવો મત દર્શાવ્યો છે.
ઉપરોકત તમામ બાબતો પર ઊંડો વિચાર કર્યા પછી ‘‘મજલિસે તહકીકે મસાઈલે હાઝિરાએ નિષ્કર્ષ (નતીજા) પર પહોંચે છે કે કાનમાં પાણી, તેલ અથવા દવા નાંખવાથી રોઝો નહીં તુટશે. સિવાય કે કોઈ માણસના કાનનો પડદો ફાટેલો હોય. અને તે પાણી, તેલ અથવા દવા વિગેરે તેના ગળા સુધી પહોંચી જાય.
પરંતુ તેમ છતાં જો કોઈ શખ્સ પ્રાચીન બહુમતી ફુકહાએ કિરામના કથન મુજબ સાવચેતી રાખે. અને રોઝાની હાલતમાં કાનમાં કંઈક પણ નાંખવાને બદલે ઈફતારી પછી તેલ અથવા દવા વગેરે નાંખે તો તેના માટે આમ કરવું નિઃશંક બહુ સારુ અને શંકાથી બહુ દૂર હશે. (ર૦ શઅબાન ૧૪રર હિજરી)
Log in or Register to save this content for later.