[૯૩] મશહૂર મુજતહિદ ઇમામો અને મુહદ્દિસો (રહ.)નો સમયગાળો અને મુહદ્દિસોની તકલીદ

Chapter : તકલીદ

(Page : 243 to 246)

સવાલ  : અમુક ગેરમુકિલ્લદોએ મારાથી સવાલ કર્યો છે કે ફતાવા રહીમિય્યહ ભાગ ૪, પેજ નં. ૧૩૯ ઉપર છે કે મુહદ્દિસીન હઝરાત અને ખાસ કરીને સિહાહ સિત્તહના લેખક મુહદ્દિસો (રહ.) ચાર મુજતહિદ ઇમામો (રહ.)માંથી કોઈ એક ઇમામના મુકિલ્લદ હતા,હાલાં કે હઝરાત મુહદ્દિસોનો જમાનો ચારેવ મુજતહિદ ઇમામોના જમાનાથી ઘણા પહેલાનો  માનો હતો. એટલે કે મુહદ્દિસો તો ઈતિહાસ અને કાળની દ્રિષ્ટએ ચારેવ ઇમામોથી પહેલાં થઈ ગયા છે, તો પછી મુહદ્દિસો મશહૂર ઇમામો (રહ.)ના મુકિલ્લદ કેવી રીતે થયા ? આપ આ બાબતની સ્પષ્ટતા કરશો.

જવાબ  : અફસોસ સાથે આશ્ચર્યની વાત છે કે ગેરમુકિલ્લદોના ઇલ્મની હદ આટલી મર્યાદિત અને અધૂરી છે અને તે છતાં કોઈ ઇમામની તકલીદ કર્યા વગર પ્રત્યક્ષા અને સીધે સીધા કુર્આન અને હદીસથી દીની મસાઈલ જાણવા, પ્રાપ્ત કરવાનો અને તે મુજબ અમલ કરવાનો દાવો કરે છે. હાલાં કે કુર્આન મજીદથી સીધી રીતે દીની મસાઈલની જાણકારી પ્રાપ્ત કરવા માટે અહકામથી સંબંધિત આયતો વિશે નાઝિલ થવાના સમયની દ્રિષ્ટએ આગલી-પાછલી અને નાસિખ-મનસૂખ આયતોનું જાણવું ખૂબ જ જરૂરી છે અને અહાદીસે શરીફહથી દીની મસાઈલની સીધેસીધી જાણકારી હાસિલ કરવા માટે પણ નાસિખ-મનસૂખની જાણકારી, મુહદ્દિસો, હદીસોના રાવિયો (નકલ કર્તાઓ)ના હાલાત અને હદીસોની સનદોનું ઇલ્મ અને સનદોમાંના ઇિન્કતાઅ-ઇત્તિસાલ (એટલે સનદો કપાયેલી અને જોડાયેલી હોવા)ને માલૂમ કરવા માટે મુહદ્દિસો અને રાવિયોની જન્મ તારીખ અને મૃત્યુ તારીખથી વાકિફ હોવું જરૂરી છે.

                ઉપરોકત સવાલથી માલૂમ પડે છે કે આ સવાલ કરનાર ગેરમુકિલ્લદો આટલા મશહૂર મુજતહિદ ઇમામો (રહ.) અને હદીસની મશહૂર કિતાબો સિહાહ સિત્તહના જાણીતા લેખકો અને મુહદ્દિસોના જીવનકાળથી અને તેઓના જન્મ અને મૃત્યુ સાલથી અને આગળ પાછળ હોવાથી પણ માહિતગાર નથી.

                હદીસ અને ફિકહની વિસ્તૃત કિતાબોમાં અને મુહદ્દિસીને ઈઝામ તથા ફુકહાએ કિરામના તબકાત (વગર્ો)ને લગતી કિતાબોના અભ્યાસથી આ વાત બિલકુલ સચોટ અને સૂર્ય પ્રકાશથી પણ વધુ પ્રકાશિત છે કે ચાર મશહૂર મુજતહિદ ઇમામો (રહ.)નો જીવનકાળ, સિહાહ સિત્તહના મુહદ્દિસ લેખકો (રહ.)ના જીવનકાળથી પહેલાં અને પુરાણો છે અને હદીસ-ફિકહના માહિર અને મહાન એવા ઘણાં આલિમોએ સિહાહ સિત્તહના લેખકોને મુજતહિદ ઇમામોના મુકિલ્લદ બતાવ્યા છે.

                અત્રે ચાર મશહૂર મુજતહિદ ઇમામો (રહ.) અને સિહાહ સિત્તહના લેખક મશહૂર મુહદ્દિસો (રહ.)ની જન્મસન અને મૃત્યુસન લખવામાં આવે છે, જેનાથી સ્પષ્ટ થઈ જશે કે ચાર મુજતહિદ ઇમામો (રહ.) હિજરી સનની દ્રિષ્ટએ બીજી સદીમાં હતા અને સિહાહ સિત્તહના લેખક મુહદ્દિસો (રહ.) લગભગ ત્રીજી સદીમાં હતા.

                રદ્દુલ મુહતાર શર્હે દુર્રે મુખ્તારમાં હઝરાત અઈમ્મએ અર્બઅહની જન્મ સાલ અને મૃત્યુ સાલ નીચે પ્રમાણે નકલ કરેલ છે :

                                નામ                      જન્મ સાલ    મૃત્યુ સાલ

                                                                                     હિ.સ.        હિ.સ.

(૧)     હઝરત ઇમામ અબૂ હનીફહ (રહ.)     ૮૦                      ૧પ૦

(ર)     હઝરત ઇમામ માલિક (રહ.)          ૯૦               ૧૭૯

(૩)     હઝરત ઇમામ શાફઈ (રહ.)       ૧પ૦              ર૦૪

(૪)     હઝરત ઇમામ અહમદ (રહ.)     ૧૬૪              ર૪૧

(“શામી” : ૧ / ૧૬પ)

                ગેરમુકિલ્લદોના માનીતા આલિમે હદીસ મૌલાના અબ્દુર્રહમાન મુબારકપુરી (રહ.)એ મુકદ્દમએ તુહફતુલ્ અહવઝી (શર્હે સુનને તિરમિઝી શરીફ)માં હદીસની મજકૂર કિતાબો “સિહાહ સિત્તહ”ના લેખકો, હઝરાત મુહદ્દિસીનની જન્મ સાલ અને મૃત્યુ સાલ નીચે પ્રમાણે નકલ કરેલ છે :

                                નામ                      જન્મ સાલ    મૃત્યુ સાલ

                                                                                     હિ.સ.        હિ.સ.

(૧)     હઝરત ઇમામ બુખારી (રહ.)        ૧૯૪             રપ૬ શવ્વાલ

(ર)     હઝરત ઇમામ મૂસ્લિમ (રહ.)      ર૦૬               ર૬૧ રજબ

(૩)     હઝરત ઇમામ અબૂ દાવૂદ (રહ.)          ર૦ર            ર૭૬ શવ્વાલ

(૪)     હઝરત ઇમામ નસાઈ (રહ.)       ર૧પ            ૩૦૩ સફર

(પ)    હઝરત ઇમામ ઇબ્ને માજહ (રહ.)          ર૦૯           ર૭૩ રમઝાન

(૬)     હઝરત ઇમામ તિરમિઝી (રહ.)     ર૦૦          ર૭૯

                                (“દસર્ે તિરમિઝી” ૧)

                નવાબ સિદ્દીક હસનખાન કન્નોજી ભોપાલી (રહ.)એ પણ હદીસની મશહૂર કિતાબો “સિહાહ સિત્તહ”ના મુસિન્‍નફો (રહ.)ની જન્મ સન અને મૃત્યુ સન ઉપર પ્રમાણે જ નકલ કરી છે. અલબત્ત,

૦      ઇમામ અબૂ દાવૂદ (રહ.)નું મૃત્યુ સન હિજરી ર૭પ માં થવાનું

                લખ્યું છે અને

૦      ઇમામ તિરમિઝી (રહ.)ની વફાત અલ્લામહ સમ્આની (રહ.)થી સન

                હિજરી ર૭પ માં થયાનું નકલ કયુઁ છે અને

૦      ઇમામ નસાઈ (રહ.)ની વિલાદત સન હિજરી ર૧૪ માં થયાનું

                મંતવ્ય પણ નકલ કયુઁ છે.   (“અલ્ હિત્તહ ફી ઝિક્રિ-સ્-સિહાહિિસ્સત્તહ”)

Log in or Register to save this content for later.