Chapter : જિન્નાત જાદુ, આમિલ, ભુવા
(Page : 342)
સવાલ : અમારા ગામમાં એક માણસ છે જે જમાઅતવાળાઓનો વિરોધ કરે છે. કબરો ઉપર જઈને તેમની મન્નતો માનવી તેમાં ખૂબ માને છે.
તે કહે છે કે મારા કાબૂમાં મુવક્કલ છે. અને તે ગુરુવારના દિવસે કોડિયાની અંદર દીવો કરે છે અને નાના બાળકોને તેમજ અમુક મોટા માણસોને તેની અંદર એક પીરબાબા દેખાય છે અને જે સવાલો પૂછે છે તેમના જવાબ તે પીરબાબા ઇશારાથી આપે છે. અમુક વખતે સવાલ પૂરા થાય છે અને અમુક વખતે નહિ, હું એકવાર આયતુલ્ કુસર્ી પઢીને ગયો હતો તો મને કંઈ દેખાયું નહિ, તો આ બાબત કેવી છે ?
જવાબ : નેક કામ કરનારાઓનો વિરોધ કરવો, કબ્રો પર જઈને તેઓના નામની મન્નતો માનવી એ હરામ અને નાજાઈઝ છે.[“અલ્ બહ્ર” : ર / ર૯૮]
એવી જ રીતે કોડિયાની અંદર પીરબાબા દેખાડવા અને સવાલો કરવા, ઇશારાથી જવાબો મળવા એ બધું નઝરબંદી અને મેસ્મેરીજમ છે. અને આવી રીતે ભવિષ્યમાં થનારી વસ્તુઓના સવાલ કરવા અને તેને દુરુસ્ત માનવું ઘણુંજ ગુમરાહી ભયુઁ અને બાતિલ છે અને આવા બઘા કામો કરનાર માણસ ફાસિક-ફાજિર છે. [“બવાદિરુન્નવાદિર” : ૧ / ૩૬ર, “શામી” : ૩ / ર૯૭] Log in or Register to save this content for later.