Chapter : જિન્નાત જાદુ, આમિલ, ભુવા
(Page : 341-342)
સવાલ : હમારે ત્યાં દઅવતનું કામ કરનાર અમીર સાહબ ફરમાવે છે કે :
મેલો ઇલ્મ જેના ઉપર થયો હોય અથવા ઘર ઉપર થયો હોય એના માટે તો બળવા ભૂવા પાસે જ જવું પડે. મારું કામ બળવાના ઝરીએ જ થયેલ છે. તેનાથી મારી તબીઅત ઘણી જ સારી છે, તથા અહીથી ૧૪ કિલો મીટર દૂર બોડેલી મુકામે બહુ જ મોટા આલિમ સાહબ ફરમાવે છે કે મેલું જ મેલાને કાપે છે. આ પવિત્ર કલામ શરીફનો મેલા પર અસર થતો નથી. તો ભૂવાના દોરા-ઘાગા સિવાય ફૂંક માર્યા સિવાય ઇલાજ થઈ શકે છે ?
અમીર સાહબ તો ફરમાવે છે કે:
મને તો મોટા-મોટા મુફતી સાહેબોએ ભૂવા પાસે ઇલાજ કરાવવાની સલાહ આપી છે.
માટે આપ સાહેબને નમ્ર વિનંતી કે કુર્આન શરીફમાં અલ્લાહ તઆલાએ એટલી કમી મૂકેલ છે કે જેથી આ જાદૂ વિદ્યા માટે ગૈરો પાસે જવું પડે ¦ (એક તરફ આલિમો એકેશ્વરવાદની વાતો કરેછે અને બીજી તરફ ભૂવાઓ પાસે જવાની સલાહ આપે છે, આ વાત મને કઈ સમજાતી નથી.) મને કોઈ આ વિશે તકલીફ નથી, પરંતુ કોઈ ગુમરાહ ન થાય માટે જ આ પ્રશ્ન પૂછેલ છે.
જવાબ : જાદૂનો ઇલાજ મુસ્લિમ આમિલ પાસે કરાવવો જોઈએ. કુર્આન-હદીસથી પણ જાદૂનો ઇલાજ થઈ શકે છે. જે જાદૂની અસર હઝરત રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ પર થઈ એ જાદૂ કેટલું સખ્ત હશે અને આ જાદૂની અસર દૂર કરવા માટે આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ વારંવાર દુઆ ફરમાવતા રહ્યા અને અલ્લાહ તઆલાએ કુર્આન શરીફની છેલ્લી બે સૂરતો નાઝિલ ફરમાવી, તેનાથી જાદૂની અસર દૂર થઈ. આ વાત સહીહ હદીસોથી સાબિત છે. માટે એમ સમજવું કે જાદૂના અમલ પર કુર્આન શરીફથી અસર થતી નથી એ ગલત માન્યતા છે.
માટે પ્રથમ તબકકામાં મુસ્લિમ આમિલોથી જાદૂનો ઈલાજ કરાવવો જોઈએ, જો સફળતા ન મળે તો મજબૂરીના દરજામાં કોઈ ગૈર મુસ્લિમ પાસે એ રીતે ઈલાજ કરાવી શકાય કે જે કંઈ અમલ કરવાનો હોય તે ગૈર મુસ્લિમ જ કરે, જાદૂગ્રસ્ત મુસલમાનને કોઈ વસ્તુ ખાવી, પીવી, બાંધવી અને બોલવી ન પડે. [“ફતાવા મહમૂદિય્યહ” : ૧૭ / ૩૪૭] Log in or Register to save this content for later.