Chapter : જિન્નાત જાદુ, આમિલ, ભુવા
(Page : 338-341)
સવાલ : ઇસ્લામિક બંધારણ મુજબ શરીઅતની દ્રિષ્ટએ જાદૂ તથા કરામત બન્નેમાં શું તફાવત છે ?
૦ જાદૂ તથા કરામત કરવાનું કામ શીખી શકાય છે કે કેમ ?
૦ કોઈ માણસ (વ્યિકત)ના આ કામ શીખવા વિશે ઇસ્લામ શુંકહે છે ?
૦ એક મુસલમાન બીજા મુસલમાનની ઉપર જાદૂ અથવા કરામત કરે અથવા કરાવે તો એ બાબતમાં ઇસ્લામ શું ફરમાવે છે ?
૦ અગર એક મુસલમાન વ્યિકત મુશરિક જે મુસલમાન નથી તેના માટે કરામત અથવા જાદૂ કરાવે તો તે માટે ઇસ્લામ શું ફરમાવે છે ?
૦ જાદૂ અથવા કરામત કરાવી શકાય યા કરી શકાય ?
૦ જાદૂ અથવા કરામત કરાવી શકાતાં હોય તો કયા કયા કારણોસર કરાવી શકાય ?
૦ જાદૂ તથા કરામત અગર જો કરવામાં આવે તો કયા કયા સ્થાનો પર તે ચાલે છે, એટલે કયા કયા સ્થાનો પર તેની અસર થાય છે. અને કયા કયા સ્થાનો પર તેની અસર થતી નથી ? જાદૂ તથા કરામત બન્ને વિષયોને ધ્યાનમાં રાખી શરીઅતના બંધારણ પ્રમાણે જવાબ આપશો.
(જાદૂ અને કરામત કયા કયા કારણોસર કરાવી શકાય તે કારણો દર્શાવશો.)
જવાબ : શરીઅતની ભાષામાં જાદૂ અને કરામત એ અલગ અલગ વિષયો છે. કુર્આન અને હદીસની ભાષામાં દરેક એવા આશ્ચર્ય જનક અસર કરતા કામને જાદૂ કહેવામાં આવે છે જેમાં શૈતાનોને રાજી કરી તેમનાથી મદદ મેળવવામાં આવે છે.
શૈતાનોને રાજી કરવાની અમુક રીતો તો કુફ્ર અને શિર્ક હોય છે. જેમ કે :
૦ એવા મંતરો બોલવા કે જેમાં કુફ્રિયહ અને શિર્કિયહ શબ્દો હોય. અથવા
૦ સૂરજ, ચાંદ કે અન્ય તારાઓની ઇબાદત કરવી પડે.
૦ કુર્આન શરીફની બેઇજજતીના કામો કરવા પડે.
અને અમુક રીતો એવી છે કે જેમાં હકીકી કુફ્ર અને શિર્ક નહિ પણ મુિશ્રક અને કાફિર જેવા કામો કરવા પડે છે. અને તે હરામ અને ગુનાહે કબીરા છે. જેમ કે :
૦ કોઈનું બેકસૂર ખૂન કરવું પડે.
૦ હંમેશા નાપાકી અને જનાબતની હાલતમાં રહેવું પડે.
અલ્લાહ તઆલાના કોઈ નેક બંદાથી જે સંપૂર્ણ શરીઅતનો પાબંદ હોય (સારાંશ કે અલ્લાહ તઆલાનો સાચો વલી હોય) અને તે નુબુવ્વતનો દાવેદાર ન હોય, તેનાથી સામાન્ય આદત વિરુદ્ઘ કોઈ કામ જાહેર થાય તેને કરામત કહેવામાં આવે છે.
શરીઅતની ભાષામાં જાદુ અને કરામત વચ્ચે તફાવત એ છે કે જાદુથી જે કામો અને અસરો જાહેર થાય છે તે સાધનો અને કારણો આધારિત હોય છે. ચાહે તે કારણો અને સાધનો અમુક સમયે જાહેર અને દેખાતા હોય છે અને અમુક વેળા એ ગુપ્ત છુપા હોય છે. જયારે કરામતથી જાહેર થતા કામો સાધનો અને દુન્યવી અસ્બાબ આધારિત હોતા નથી બલ્કે વિના સાધને અને સબબે માત્ર અલ્લાહ તઆલા તેને જાહેર ફરમાવે છે.
અને સામાન્ય પ્રજાને બન્નેવ વચ્ચે તફાવત સમજવા માટેની વિગત આ છે કે કરામત એવી વ્યિકતઓથી જાહેર થાય છે જે અલ્લાહ તઆલાના પરહેઝગાર બંદાઓ અને શરીઅતના પૂરા પાબંદ હોય છે. જયારે જાદુની અસરો એવી વ્યિકતઓથી જાહેર થાય છે જે કાફિર અથવા ફાસિક અને અલ્લાહ તઆલાની ઇબાદતથી અળગી રહેતી હોય છે.
(“મઆરિફુલ કુર્આન” : ૧ / ર૭૪, “નિબરાસ” : ૪૭પ)
હાં, એટલી વાત પણ યાદ રાખવી જોઈએ કે ઉપરનો ફરક શરીઅતની ભાષામાં જાદૂ અને કરામતનો બતાવવામાં આવ્યો છે. બાકી સામાન્ય પ્રજા “જાદૂ”ને અને તાવીજ પલીતાને “કરામત”ના શબ્દથી સંબોધે છે. અને બન્ને વચ્ચે તફાવત એ છે કે જાદૂમાં તો ઉપર પ્રમાણે નાજાઈઝ અને હરામ કે કુફ્ર શિર્કના કામો થાય છે. અને તાવીજ પલીતામાં મોટા ભાગે કુર્આન શરીફની આયતો કે તેના આંકડાઓ લખવામાં આવે છે કે દુઆ લખવામાં આવે છે.
જાદૂ ઉપર મુજબ બન્નેવ પ્રકારનું શીખવું હરામ છે કારણ કે યા તો તેમાં કુફ્ર અને શિર્ક કરવું પડે છે અથવા તો કુફ્ર અને શિર્કના કામો કરવા પડે છે. હાં અમુક આલિમોએ મુસ્લિમને જાદુના નુકસાનથી બચાવવા માટે જરૂરત જેટલા પ્રમાણમાં શીખવાને જાઈઝ કહ્યું છે. અને અન્ય મકસદ હેઠળ શીખનાર ઉપર મુજબ યા તો કાફિર થઈ જશે, નહિ તો ફાસિક અને ગુનેહગાર થઈ જશે. ઉપર મુજબ જાદૂ કરવું કે કરાવવું હરામ છે. ન મુસલમાન પર કરી શકાય કે ન મુિશ્રક પર કરી શકાય. જાદૂ કરવા કે કરાવવાના જાઈઝ હોવાની કોઈ સૂરત કે કારણ નથી.
કરામત જો “તાવીજ પલીતા”ના અર્થમાં સમજી પૂછતા હોય તો તેની વિગત એમ છે કે તેમાં કોઈ ઈમાન વિરુદ્ઘ કામ ન કરવા કે ન બોલવા પડતાં હોય તો શીખવું જાઈઝ છે. એવી જ રીતે જો પ્રજાના ફાયદાના હેતુઓમાં અને જાઈઝ કામો માટે કરવામાં આવે તો તે કરવું કરાવવું જાઈઝ છે. અને કોઈને નુકસાન પહોંચાડવાની નિય્યતથી કરવું એ પણ નાજાઈઝ અને હરામ છે.
એવી જ રીતે જો તાવીજ પલીતામાં એવા મંતરો લખવા કે બોલવાં પડતા હોય જેનો અર્થ લખનાર બોલનારને ખબર ન હોય અને શૈતાન તથા મૂર્તિઓથી મદદ માંગવા જેવા મંતરો હોય તો તેનું શીખવું અને કરવું જાઈઝ નથી.
(“શર્હે ફિકહે અકબર” : ૧૭૮, “મઆરિફુલ કુર્આન” : ૧/ર૭૯, “શામી” : ૧ / ૩૧, પ / ર૩ર)
Log in or Register to save this content for later.