Chapter : ફિર્કા
(Page : 215 to 219)
સવાલ : દારુલ્ ઉલૂમ શાહ આલમ તરફથી એક ફતવો પ્રકાશિત થયો છે કે :
“સુન્ન અકાઈદ રખનેવાલા દેવબંદી વહાબી અકાઈદ રખનેવાલે મદ્રસેમેં અપની ઝકાતકે પૈસે નહિ દે સકતા, વહાબી મદ્રસેમેં અપની ઝકાત દેને સે અપની ઝકાત અદા નહિ હોગી. વહાબી પર કુફ્રકા ફતવા હે, ઈસ લિએ ન તો વહાબી કો ઝકાત દે સકતે હૈં, ન ઉસકો કોઈ મદદ કર સકતે હૈ. કયૂં કે વોહ ઈસ ઈમદાદસે લોગોકો વહાબી ઓર દેવબંદી બનાએંગે ઓર ગુમરાહ કરેંગે ઓર ગુનાહકે કામમેં મદદ કરના ભી ગુનાહ હે.”
સુન્ન સહીહુલ્ અકીદહ મુસ્લિમ કોઈ પણ બદ મઝહબને દા.ત. વહાબી દેવબંદી, રાફિઝી, કાદિયાની વગેરે કે જેમની બદ અકીદતગી કુફ્ર સુધી પહોંચી ગઈ હોય તેમને ઝકાતની રકમ આપવાથી ઝકાત અદા થશે નહિ.
વહાબી દેવબંદી માટે મક્કા શરીફ અને મદીના શરીફના ઉલમાએ ફતવો આપ્યો છે કે :
“મન્ શક્ક ફી કુફ્રિહી વ અઝાબિહી ફ કદ્ ક-ફર.”
એટલે જે લોકો વહાબીઓના કુફ્ર તથા અઝાબમાં શંકા કરે તે પણ કાફિર છે.
મસઅલો છે કે ઝકાત કાફિરને આપી શકતા નથી. તો શું આ લખાણ દુરુસ્ત છે કે નથી ?
બીજું કે અહમદ રઝાખાનને માનવાવાળા મૌલવીઓ કિતાબો અને તકરીરો પણ દેવબંદીઓના રદમાં બોલે અને લખે છે કે :
પાંચ આલિમો : અશરફઅલી થાનવી, કાસિમ નાનોતવી, ઇસ્માઈલ દહેલવી, મૌલવી ઇલ્યાસ, મૌલવી અંભેથવી, આ પાંચ આલિમોને મુસલમાન સમજવા નહિ, અગર કોઈ પણ આ પાંચને મુસલમાન સમજે તે પણ મુસલમાન નહિ કહેવાય.
જવાબ : ઉલમાએ દેવબંદ અને દેવબંદીઓ અકીદાની રૂએ અહલે સુન્નત વલ્ જમાઅત મુસલમાનો છે. એટલે જ તેઓ પોતાના મદારિસ અને મકાતિબમાં ઇલ્મે કલામ (અકાઈદ વિષય)ની તે કિતાબો અસલ અરબી ભાષામાં અથવા ઉર્દૂ અનુવાદ કરી પઢે-પઢાવે છે, જેમાં અહલે સુન્નત વલ્ જમાઅતના અકીદાઓ છે અને તે કિતાબો અહલે સુન્નત વલ્ જમાઅતના પ્રખર અને નિપૂણ આલિમોની લખેલી છે. જેમકે : શર્હે અકાઈદ નસફી, શર્હે ફિકહે અકબર, મુસામરહ વગેરે અને ફિકહની રૂએ તેઓ અહલે સુન્નત વલ્ જમાઅત હનફી મુસલમાનો છે અને ફિકહમાં તે જ પ્રખ્યાત અને વિશ્વાસપાત્ર કિતાબોને અનુસરે છે જે હનફી ફિકહની જાણીતી કિતાબો છે. કુતુબે ઉસૂલુર્રિવાયાત, બદાઈઅ, અલ્ બહરુર્રાઈક, રદ્દુલ્ મુહતાર, આલમગીરી વગેરે.
ઉપરોકત હકીકત જગ જાહેર હોવા છતાં પણ ખુદા તઆલા અને આખિરતથી નીડર બનીને અને હઝરત રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે કોઈ મુસલમાનને કાફિર કહેવા વિષે બયાન ફરમાવેલી સખ્ત વઈદને ભૂલાવી દઈને ઉલમાએ દેવબંદ અને દેવબંદીઓને કાફિર કહેવામાં આવે છે એ ઘણી જ દુ:ખદાયક અને શરમજનક વાત છે.
હઝરત રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમએ ફરમાવ્યું છે કે :
“ જે માણસે પોતાના ભાઈને કાફિર કહ્યો તો તે કલિમએ કુફ્ર બેમાંથી એકને લાગુ પડશે જો હાલત કહેનારના કહેવા મુજબ હશે નહિતર (એટલે જો સામેવાળો માણસ કાફિર નહિ હોય બલ્કે મુસલમાન હશે) તે કુફ્ર કહેનાર તરફ પાછુ લોટશે.” [“મુસ્લિમ શરીફ” : ૧ / પ૭]
ફિકહ અને અકાઈદની કિતાબોમાં કોઈ મુસલમાનના અયોગ્ય શબ્દ અથવા કામના લઈ તેના ઉપર કુફ્રનો ફતવો આપવા બાબત ઘણો જ એહતિયાત કરવા ઉપર ભાર આપવામાં આવ્યો છે. જો કોઈ મુસલમાનની વાત કે કામમાં અનેક પાસાઓ કુફ્રના હોય અને એક એહતિમાલ (પાસું) ઇસ્લામ રક્ષાક હોય તો મુફતી માટે વાજિબ છેકે તે એક પાસાને અપનાવે અને કુફ્રનો ફતવો ન આપે. [“શામી” : ૩ / ર૮પ]
મૌલવી અહમદ રઝાખાને સન હિજરી ૧૩ર૪ માં અકાબિરે ઉલમાએ દેવબંદની કિતાબોમાંથી તેઓના લખાણોમાં કાંટ છાંટ કરીને મન ગમતા વાકયો જોડીને ઉલમાએ હરમૈન શરીફૈન સમક્ષા તેને રજૂ કર્યા અને તે લખાણમાં દર્શાવેલ પોતે ઉપજાવી કાઢેલ અકીદાઓને અકાબિરે ઉલમાએ દેવબંદના અકીદા કહી તેવા અકીદા રાખનાર વિષે કુફ્રનો ફતવો મેળવ્યો અને તેને “હિસામુલ્ હરમૈન” નામી કિતાબની સૂરતમાં પ્રગટ કર્યો, હાલાંકે અકાબિરે દેવબંદ અને ઉલમાએ દેવબંદ એ પોતાના લખાણોમાં વારંવાર એ વાતની ચોખવટ કરી છે કે મઝકૂર અકીદાઓ અમે માનતા નથી. અને એવા અકીદાઓ રાખનારને અમો પણ કાફિર માનીએ છીએ, બલ્કે જયારે ઉલમાએ હરમૈન શરીફૈનને એ વાતની ખબર પડી કે મૌલવી અહમદ રઝાખાને પોતે ઉપજાવી કાઢેલ અકાઈદ વિષે અમારાથી ફતવો હાસિલ કરી તે ફતવા દ્ઘારા ઉલમાએ દેવબંદની તકફીર કરવામાં આવી છે. તો ઉલમાએ હરમૈને એક પ્રશ્નાવલી ઉલમાએ દેવબંદ ઉપર રવાના કરી જેમાં ર૬ પ્રશ્નો શામિલ હતા, તા કે તે પ્રશ્નોના જવાબો દ્ઘારા ઉલમાએ દેવબંદના અકીદાઓ ખાસ ખાસ બાબતોમાં શું છે તે જાણી શકાય , માટે તે પ્રશ્નોના જવાબો ઉલમાએ દેવબંદ તરફથી સર્વ સંમતી સાથે ઉલમાએ હરમૈનની ખિદમતમાં મોકલવામાં આવ્યા તો ઉલમાએ હરમૈને તે જવાબોની અક્ષારસ તસ્દીક કરી અને એ વાતની ચોખવટ કરી આપી કે આ જવાબોમાં લખેલા અકીદાઓ દુરુસ્ત છે અને અહલે સુન્નત વલ્ જમાઅતના અકીદાઓ છે. આવા અકીદાઓ રાખનાર ન કાફિર હોઈ શકે છે, ન બિદઅતી. અને આ પ્રશ્નોત્તરી ઉલમાએ હરમૈન તથા ઉલમાએ શામ, મિસર, હલબની તસ્દીકાત અને સહીઓ સાથે “અલ્ મુહન્નદ અલલ્ મુફન્નદ” નામી કિતાબની શકલમાં વર્ષોથી છપાઈ ચૂકી છે.
વધુ માહિતી માટે તે કિતાબનો અને “અિશ્શહાબુસ્સાકિબ” નામી કિતાબનો અભ્યાસ કરવામાં આવે. બલ્કે એથી પણ વિશેષ જાણવા પાત્ર ઘટના એ કે લગભગ એ જ ગાળામાં મૌલવી અહમદ રઝાખાને ઇલ્મે ગૈબ વિષયને લગતો પોતાનો એક રિસાલો તે જ ઉલમાએ હરમૈનમાંથી અમુક આલિમો એટલે કે અલ્લામહ સિય્યદ આફંદી બરઝંજી (રહ.), મુફતીએ મદીનહ મુનવ્વરહ સમક્ષા રજૂ કર્યો અને રિસાલા ઉપર તસ્દીક અને અનુમોદન લખી આપવા તેઓથી રજુઆત કરી તો અલ્લામહ આફંદી (રહ.)એ રિસાલામાં રજૂ કરેલા અકીદહને ગલત અને ગુમરાહકુન બતાવ્યો અને તસ્દીક લખી આપવાથી ઇન્કાર કર્યો એટલું જ નહિ બલ્કે મૌલવી અહમદ રઝાખાનના રિસાલાના રદમાં “ગાયતુલ્ મામૂલ ફી તતિમ્મતિ મન્હજિલ્ વુસૂલિ ફી તહકીકિ ઈિલ્મર્રસૂલ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)” નામી એક કિતાબ લખી અને તે કિતાબ ઉપર ઘણા ઉલમાએ મદીનહ મુનવ્વરહએ પ્રસ્તાવના લખી અને તસ્દીકી સહી સિકકા કર્યા.
આટલી ઉઘાડી વાત હોવા છતાં ઉલમાએ હરમૈનના મજકૂર ફતવાથી ઉલમાએ દેવબંદ અને દેવબંદીઓને કાફિર સાબિત કરવા કેટલી અન્યાય ભરેલી અને વલી સિફત અલ્લાહના નેક બંદાઓ વિષે કુફ્રનો ફતવો આપવામાં નીડરતા અને જુરઅત દાખવવાની વાત છે. કેટલી આશ્રયજનક વાત કહેવાય. કાશ ¦ કે શાહ આલમના મજકૂર ફતવામાં ઉલમાએ હરમૈનના ફતવાની સંપૂર્ણ ઐતિહાસિક વિગત દર્શાવવામાં આવત અને મુસ્લિમ બિરાદરો સમક્ષા અધૂરી માહિતી રજૂ કરી તેઓને અંધારામાં ન રાખવામાં આવત.
ઉલમાએ હરમૈને ઉલમાએ દેવબંદને હમેશા માન-મરતબાની નજરે જોયા છે. અને તેમના ઇલ્મ, તકવા બાબત વિશ્વાસ વ્યકત કર્યો છે. તેઓની લખેલી અનેક કિતાબોના વખાણ કર્યા છે. અને ઘણાંજ પ્રસંશાપાત્ર શબ્દોમાં તેઓની અનેક કિતાબો ઉપર પ્રસ્તાવનાત્મક અને આલોચનાત્મક લેખો લખ્યા છે. અને હાલ પણ મકકા મુકર્રમહ અને મદીનહ મુનવ્વરહના ઉલમાની ઘણી સંસ્થાઓમાં ઉલમાએ દેવબંદના ઘણા આલિમોની સભ્ય તરીકે વરણી કરવામાં આવી છે અને ઉલમાએ હરમૈનની અનેક દીની અને ઇલ્મી વિષયોને લગતી ચર્ચા મજલિસોમાં તેઓને આમંત્રિત કરવામાં આવ્યા છે.
ખુલાસો એ કે ઉલમાએ દેવબંદ અને દેવબંદીઓ ખરેખર સાચા અહલે સુન્નત વલ્ જમાઅત હનફી મુસલમાનો છે.માટે તેઓના મદારિસમાં કે તેઓમાંથી હકદાર વ્યિકતને પોતાની ઝકાત આપવી વિના શંકાએ જાઈઝ છે, બલ્કે અન્ય સ્થળો કરતાં અફઝલ અને બેહતર છે. બરેલવી મૌલવીઓ આક્ષોપબાજી કરી ખુદ પોતાનું નુકસાન કરી રહ્યા છે અને કોઈ મુસલમાનને કાફિર કહેવા સંબંધી સખ્ત વઈદની હદીસો અને ફિકહે હનફીની કિતાબોમાં બયાન કરવામાં આવેલ એહતિયાતને તિલાંજલી આપીને ખુદ અહલે સુન્નત વલ્ જમાઅતના મસ્લકનો ત્યાગ કરી રહ્યા છે.
Log in or Register to save this content for later.