Chapter : હુઝુર (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)
(Page : 129 to 131)
સવાલ : “સિરાતે મુસ્તકીમ”નામની કિતાબના કર્તાનું નામ સિય્યદ અહમદ રાય બરેલ્વી છે. પરંતુ એ કિતાબનું સંપાદન મૌલવી ઇસ્માઈલ દહેલ્વીએ કયુઁ છે. એ કિતાબના પૃષ્ઠ : પ૦ પર લખ્યું છે કે :
“ઝિના કે વસવસેસે અપની બીવી કી મુજામઅત કા ખ્યાલ બેહતર હે ર્થાર શૈખ યા ઇસી જૈસે બુઝુગોઁકી તરફ ખ્વાહ જનાબ રિસાલતે મઆબ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ હી હો, અપની હિમ્મત કો લગા દેના અપને બેલ ર્થાર ગધેકી સૂરતમેં મુસ્તગરક હોનેસે ઝિયાદહ બુરા હય.”તો શું ઉપર લખેલ ઈબારત (લખાણ) ખરી છે ? મૌલવી ઇસ્માઈલ દહેલ્વી રહમતુલ્લાહિ અલયહનું આપણી અહલે સુન્નત વલ્ જમાઅતમાં શું મહત્ત્યવ છે ? મને ખ્યાલ છે ત્યાં સુધી “તકવિયતુલ્ ઈમાન” પણ તેમની જ સંપાદિત કરેલ કિતાબ છે.
જવાબ : “સિરાતે મુસ્તકીમ” તસવ્વુફની કિતાબ છે. જે અસલ ફારસી ભાષામાં લખવામાં આવી છે. આપે જે લખાણ નકલ કયુઁ છે તે ઉર્દૂ અનુવાદિત કિતાબમાંથી નકલ કયુઁ છે. મજકૂર લખાણમાં “અપની હિમત કો લગા દેના” એ મૂળ ફારસી કિતાબના લખાણમાંથી “સર્ફે હિમ્મત” નો ભાષાકીય અર્થ કરવામાં આવ્યો છે. “સર્ફે હિમ્મત” એ તસવ્વુફની પરિભાષાનો એક શબ્દ છે જેનો મતલબ તસવ્વુફની પરિભાષા મુજબ એ થાય છે કે પોતાના દિલ-દિમાગમાં કોઈક એક વસ્તુનો ખ્યાલ અને તેનું ધ્યાન એટલું બધું જમાવી લેવામાં અને કેન્દ્રિત કરી દેવામાં આવે કે બીજી કોઈ વસ્તુનો ખ્યાલ આવી જ ન શકે અને બીજા કોઈ તરફ ધ્યાન ફેરવાય જ નહિં.
જાહેર વાત છે કે જયારે નમાઝમાં હઝરત રસૂલે મકબૂલ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ તરફ “સર્ફે હિમ્મત” કરવામાં આવશે તો કોઈ બીજી વસ્તુ કે ઝાત તરફ ધ્યાન જવાની શકયતા જ નહિ રહે, અહીયા સુધી કે નમાઝમાં અલ્લાહ તઆલાનું ધ્યાન પણ નહિ આવે, કારણ કે “સર્ફે હિમ્મત” કરવાથી પૂરી નમાઝમાં ફકત હઝરત રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમનું જ ધ્યાન રહેશે. જયારે નમાઝમાં
نعبد و ایّاک نستعین۔ (سورۃ الفاتحۃ ، آیت :۴)
પઢશે તો એ પણ હુઝૂર સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમના ધ્યાનથી પઢવાના કારણે એવા જ તસવ્વુર અને ધ્યાનથી પઢશે કે હું આપની ઇબાદત કરુંછું અને આપનાથી જ મદદ ચાહું છું. એ જ પ્રમાણે રુકૂઅ, સજદહ અને કિયામ મતલબ કે પૂરી નમાઝ હઝરત રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ માટે થઈ જશે, હાલાં કે નમાઝ તો એક ઇબાદત છે જે અલ્લાહ તઆલા માટે મખ્સૂસ છે.
અને માણસ નમાઝમાં પોતાના બળદ-ગધેડાના ખ્યાલમાં ડૂબી જશે તો તે વસ્તુઓની નમાઝીના દિલમાં એટલી ઈઝ્ઝત અને અઝમત નથી કે નમાઝ બિલ્કુલ તેઓની જ થઈને રહી જાય જયારે હઝરત રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમની એક મોમિન અને મુસલમાનના દિલમાં એટલી ઈઝ્ઝત, અદબ અને મુહબ્બત હોય છે કે જયારે કોઈ નમાઝી આપના ખ્યાલમાંડૂબી જાય તો નમાઝ બિલ્કુલ આપની જ ઇબાદત બનીને રહી જાય.
માટે નમાઝમાં આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ તરફ તસવ્વુફની પરિભાષા મુજબ “સર્ફે હિમ્મત” ન કરવી જોઈએ.
“સિરાતે મુસ્તકીમ”ના લખાણનો આ ખુલાસો છે. જે પોતાની જગ્યાએ બિલ્કુલ બરાબર છે. કારણ કે લખાણનો હેતુ એ છે કે નમાઝ ઇબાદત છે. માટે તે ખાલિસ અલ્લાહ તઆલા માટે હોવી જોઈએ. અને તેમાં સંપૂર્ણ ધ્યાન અલ્લાહ તઆલા તરફ જ હોવું જોઈએ. અને સર્ફે હિમ્મતથી નમાઝનો ઇખ્લાસ બાતિલ થઈ જાય છે. માટે તેનાથી મનાઈ કરવામાં આવી છે. [“ફતાવા મહમૂદિય્યહ” : ૧ / ૧૬૩]
મૌલાના શાહ ઇસ્માઈલ શહીદ રહમતુલ્લાહિ અલયહ અહલે સુન્નત વલ્ જમાઅતના પોતાના સમયના એક મહાન આલિમ છે. ઉમ્રભર પરહેઝગાર, કુર્આન-હદીસ ઉપર પાબંદીથી અમલ કરનાર, બિદઅતના સખ્ત વિરોધી રહ્યા, છેવટે કાફિરો સાથે જિહાદ કરતાં કાફિરોના હાથોથી શહીદ થઈ ગયા.
“તકવિયતુલ્ ઈમાન” પણ તેમની જ કિતાબ છે. જેનું બધુ લખાણ કુર્આન અને હદીસના મુતાબિક છે અને ઘણી લાભદાયી કિતાબ છે.
Log in or Register to save this content for later.