Chapter : બરકત-નહૂસત, શુભ-અશુભ, ઘડી-ચોઘડીઆ, રાશી-ગ્રહ
(Page : 417)
સવાલ : અગર બુટ-ચપ્પલ જમીન ઉપર ઊંધા પડી રહે તો લોકો તેને સીધા કરે છે તો તેનું શું કારણ છે? અગર ઊંધા પડી રહે તો નુકસાન થાય ?
જવાબ : જમીન ઉપર ઊંધા પડેલા ચપ્પલ અથવા બુટથી એ પ્રમાણે બદફાલી લેવી અથવા એવી માન્યતા રાખવી જાઈઝ નથી કે બુટ-ચપ્પલવાળાને અથવા જોનારને કોઈ નુકસાન થશે અને તેનું કિસ્મત ઊંધું થઈ જશે અથવા તેનું કામ ઊલ્ટું થઈ જશે.
પરંતુ આપણાથી કોઈ બુટ-ચપ્પલ ઊલ્ટા થઈ ગયા હોય તો તેને સીધા કરી દેવા જોઈએ, જેથી બીજાની હકારત (તિરસ્કાર) અથવા બીજાની વસ્તુની હકારતનું કારણ ન બને અને તેની તકલીફનું સાધન ન બને, અને જો આપણાથી ઊલ્ટા ન થયા હોય તો પણ તેને સીધા કરી દેવા બીજાના એહતિરામ અને સલીકામંદીની વાત છે.
Log in or Register to save this content for later.