[૧પ૬] ઊંધા બુટ-ચપ્પલથી નુકસાન થવું

Chapter : બરકત-નહૂસત, શુભ-અશુભ, ઘડી-ચોઘડીઆ, રાશી-ગ્રહ

(Page : 417)

સવાલ : અગર બુટ-ચપ્પલ જમીન ઉપર ઊંધા પડી રહે તો લોકો તેને સીધા કરે છે તો તેનું શું કારણ છે? અગર ઊંધા પડી રહે તો નુકસાન થાય ?

જવાબ : જમીન ઉપર ઊંધા પડેલા ચપ્પલ અથવા બુટથી એ પ્રમાણે બદફાલી લેવી અથવા એવી માન્યતા રાખવી જાઈઝ નથી કે  બુટ-ચપ્પલવાળાને અથવા જોનારને કોઈ નુકસાન થશે અને તેનું કિસ્મત ઊંધું થઈ જશે અથવા તેનું કામ ઊલ્ટું થઈ જશે.

                પરંતુ આપણાથી કોઈ બુટ-ચપ્પલ ઊલ્ટા થઈ ગયા હોય તો તેને સીધા કરી દેવા જોઈએ, જેથી બીજાની હકારત (તિરસ્કાર) અથવા બીજાની વસ્તુની હકારતનું કારણ ન બને અને તેની તકલીફનું સાધન ન બને, અને જો આપણાથી ઊલ્ટા ન થયા હોય તો પણ તેને સીધા કરી દેવા બીજાના એહતિરામ અને સલીકામંદીની વાત છે.

Log in or Register to save this content for later.