[૧૧૪] જાદૂ, જિન્નાત, નઝરથી તકલીફ થવી

Chapter : જિન્નાત જાદુ, આમિલ, ભુવા

(Page : 331-332)

સવાલ : મારો એક દોસ્ત છે જેનો અમુક સમય તકલીફોમાં નીકળે છે.  મારા દોસ્તનું કહેવું છે કે મને કોઈ મેલી વિદ્યા દ્બારા હેરાન કરે છે. મેં તેને મારી જાણ મુજબ કહ્યું કે મારા દોસ્ત, મેલી વિદ્યા, જાદૂ, જિન, નજર, બલા મુસલમાનને અસર કરતી નથી. નફા, નુકસાન, તકલીફ, સુ:ખ આપવાવાળો તો ખુદા  છે તો  તેણે મને કહ્યું કે, મેલી વિદ્યા દ્બારા સામેવાળી વ્યિકતને હેરાન કરી શકે છે.

                મેં અમુક ઉલમાથી સાંભળ્યુંછે કે આની અસર થાય છે તો શું ઈસ્લામમાં મેલી વિદ્યા, જાદૂ ,નજર, બલાનું  વુજૂદ છે ? અને આનાથી મુસલમાનને નુકસાન થાય છે ? અને આના મારફતે એક વ્યિકત બીજી વ્યિકતને હેરાન કરી તકલીફમાં નાંખી શકે છે ?

                આની જાણકારી મેળવવા આપ હઝરતને દર્દભરી અપીલ કરું છું, હું આ મેલી વિદ્યા, જિન, બલા, નજર, જાદૂ મુસલમાનને નુકસાન કરતું નથી અને મુસલમાને આવું કરવાની મનાઈ છે, એમ માનું છું, તો મારું માનવું બરાબર છે કે દોસ્તનું માનવું બરાબર છે ?

જવાબ : મેલી વિદ્યા , જાદૂ, જિન  અને બૂરી નજરનું અસર  કરવું હક છે અને તેનું અસ્તિત્વ માનવું બરાબર છે. હઝરત રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ ઉપર એક યહૂદીએ જાદૂ કયુઁહતું   અને આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે તેનો અસર અનુભવ્યો હતો. જિન્નાતની હેરાનગતી અને બૂરી નજરનું નુકસાનકર્તા હોવું પણ સહીહ હદીસોથી સાબિત છે. જાદૂની અસરનું વર્ણન કુર્આન પાકમાં પણ મવજૂદ છે.

                માટે મજકૂર વસ્તુઓના અસ્તિત્વનો અને તેની અસરોને માનવાથી ઇન્કાર કરવો દુરુસ્ત અને જાઈઝ નથી. પરંતુ એવું માની લેવું પણ જરૂરી નથી કે માણસને શારીરિક જે કંઈ તકલીફ થાય છે તે જાદૂ, જિન અને નજર બલાથી જ થાય છે, કારણ કે તે કોઈ જિસ્માની બીમારી પણ હોઈ શકે છે.

Log in or Register to save this content for later.