Chapter : બરકત-નહૂસત, શુભ-અશુભ, ઘડી-ચોઘડીઆ, રાશી-ગ્રહ
(Page : 414 to 415)
સવાલ : અમારી દુકાન ત્રિકોણાકારની છે, તો ઘણા ભાઈઓ દુકાનને અપશુકન જાણે છે અને કહે છે કે તમારો વેપાર આ દુકાનમાં બરાબર નહિ ચાલે. જો દુકાન સમચોરસ હોય તો એબ વગરની ગણાય. સુથાર લોકો પણ આ દુકાનને એબદાર ગણે છે. તો શું શરીઅતમાં ત્રિકોણાકાર દુકાનના એબદાર હોવાનું કોઈ વર્ણન છે અને તેમાં વેપાર બરાબર નહિ ચાલે એ હકીકત સાચી છે ?
જવાબ : સવાલમાં લખવા મુજબ ત્રિકોણ આકારની દુકાન એબદાર ગણાય અને તેમાં વેપાર-ધંધો બરાબર ન ચાલે એ માન્યતા તદ્દન ખોટી અને પાયા વગરની છે. શરીઅતમાં કુર્આન-હદીસ કે બુઝુર્ગાને દીનના કથનથી એવી કોઈ હકીકત સાબિત નથી.
દુકાનના ધંધાની બરકતમાં દુકાનના આકારને કોઈ દખલ નથી, બલ્કે બરકતનો આધાર શરીઅતના મસાઈલ મુજબ ધંધો કરવામાં છે. જાઈઝ વસ્તુઓનો વેપાર કરવામાં, સત્ય બોલી વેપાર કરવામાં, માપ-તોલમાં દગા ફટકાથી બચવામાં, માલ સામાનની ખોડ ખાપણ જાહેર કરી દેવામાં ધંધાની બરકત છે.
ગલત અને નાજાઈઝ વસ્તુઓનો ધંધો કરવામાં આવે અને શરીઅતે નકકી કરેલા તરીકા વિરુદ્ઘ ધંધો કરવામાં આવે તો બેબરકતી થાય છે.
Log in or Register to save this content for later.