Chapter : જિન્નાત જાદુ, આમિલ, ભુવા
(Page : 324-326)
સવાલ : મારો છોકરો મુહમ્મદ યૂસુફ ઉમર (૮) વરસ છે. બે થી ત્રણ મહિના થયા. દિમાગની કમજોરીને લઈ સમતોલન પણ ગુમાવી દીધું છે. ઘણી હોસ્પીટલોમાં ઈલાજ કરાવ્યો તે છતાં સારું થયું નહિ. હવે સગાંઓનું કહેવું એવું છે કે કદાચ છોકરાને જિન અથવા ભૂતની અસર પણ હોઈ શકે. તમો એને કંથારીઆ અથવા શેરપૂરા લઈ જાવ. ત્યાં અમુક બાપુ પાસે જિન આવે છે. અને તે ખરી હકીકત બતાવી શકશે. તો શું છોકરાને આવા લોકો (બાપુ) પાસે બતાવી શકાય કે કેમ ? અથવા એવા લોકો (બાપુ) જે બની ગયેલી હકીકત બતાવી આપે અને ઇલાજ કરે આ બાબતે શું હુકમ છે ?
જવાબ : છોકરાઓને, મોટા માણસોને જિન્નાતની અસર થઈ શકે છે અને વળગી પણ શકે છે. કુર્આન અને હદીસથી સાબિત છે.(“આકામુલ મજર્ાન” બાબ પ૧, પેજ : ૧૦૭ / બાબ પ૩, પેજ : ૧૧૩)
અને કોઈ આમિલ (બાપુ) પાસે જિન આવતો હોય અને તેઓના તાબે હોય એ પણ શકય છે. અને જિન્નાત પોતાની ખુદાદાદ તાકત અને ઝડપથી કોઈ જગ્યાએથી સાચી હકીકત પણ લાવીને બતાવી શકે છે. પણ સાચું જ બતાવે એ કંઈ જરૂરી નથી. એવી જ રીતે જિન્નાત કોઈના તાબે હોય તો તે જિન્નાત જિન ભૂત નો અસર દૂર કરવાના ઉપાય બતાવે એ પણ શકય અને સાબિત છે. આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમના સમયમાં ઘણા સહાબએ કિરામ (રદિયલ્લાહુ અન્હુમ) :
હઝરત ઉબય બિન કઅબના વાલિદ સાહબ,
હઝરત અબુ હુરૈયરહ,
હઝરત ઝયદ બિન સાબિત,
હઝરત અબૂ ઐયૂબ અન્સારી,
હઝરત અબૂ ઉસૈદ સાઈદી,
(રદિયલ્લાહુ અન્હુમ)ને જિન્નાતની સતામણીથી બચવાનો ઉપાય જિન્નાતે જ બતાવ્યો હતો.
(આ. મજર્ાન બાબ. ૪૪, પેજ : ૮૯ / બાબ. ૪પ, પેજ. ૯૧)
હાં જો કોઈ આમિલને જિન્નાતથી કામ લેવા માટે અથવા જિન્નાત કાઢવા માટે નાજાઈઝ અને હરામ કામ કરવા પડતાં હોય જેમ કે :
૦ લોહી અથવા બીજી કોઈ નાપાકી વડે કુર્આન શરીફ લખવું પડતું હોય અથવા
૦ કુફ્રિયહ શબ્દો બોલી મન્તર લખવું અથવા બોલવું પડતું હોય અથવા
૦ એવું મન્તર હોય કે જેનો અર્થ ન સમજી શકાતો હોય
તો એવા અમલ જાઈઝ નથી. અને એવા આમિલ પાસે ઇલાજ માટે જવું પણ જાઈઝ નથી.
આવી નાજાઈઝ વસ્તુઓ કર્યા વગર જો કોઈ આમિલ કુર્આન મજીદની આયતો અથવા દુઆઓ વડે અમલ કે તાવીજ કરતો હોય તો તે જાઈઝ છે અને એવા આમિલ પાસે ઇલાજ માટે જવું જાઈઝ છે. (“શામી”:પ / રપ૬) (“આકામુલ મજર્ાન” ૧૦૪-૧૧ર બાબ. પ૩)
Log in or Register to save this content for later.