Chapter : માનવંત ઇમામો, મુહદ્દિસો, ઉલમા અને અવલિયાઓ ઇઝામ (રહ.)
(Page : 203 to 205)
સવાલ : કુતુબ અબ્દાલ કેટલા હોય છે ? શું ખિદમત કરે છે ?
જવાબ : કુતુબનો શબ્દ એ હદીસ શરીફમાં તો નથી. અલબત્ત સુફયાએ કિરામના મંતવ્યો અને લખાણોમાં એનું વર્ણન મળે છે. અને અલ્લાહ તઆલાના ખાસ ખાસ નેક બંદાઓ જે અવલિયાઉલ્લાહ કહેવાય છે તેમનામાંથી અમુકને માટે આવા નામોનો ઉપયોગ કરવામાં આવે છે.
હદીસ, તફસીર અને તસવ્વુફની કિતાબોથી માલૂમ પડે છે કે આવા નામ વાળા અવલિયા એક અને એકથી વધુ પણ હોય શકે છે.
હઝરત અબ્દુલ્લાહ બિન મસ્ઊદ (રદિ.) આપ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)થી રિવાયત કરે છે કે,
અલ્લાહ તઆલાએ :
૦ ત્રણસો વ્યિકતઓ એવી પૈદા ફરમાવી છે, જેમના દિલોની હાલત હઝરત આદમ (અલૈ.)ના દિલની જેમ છે. અને
૦ તે ત્રણસો માંથી ચાળીસ વ્યિકતઓ છે કે જેમના દિલો હઝરત મૂસા (અલૈ.)ના દિલની જેમ છે. અને
૦ આ ચાળીસ માંથી સાત વ્યિકતઓ છે, જેમના દિલો હઝરત ઈબ્રાહીમ (અલૈ.)ના દિલની જેમ છે. અને
૦ આ સાત વ્યિકતઓ માંથી પાંચ વ્યિકતઓ છે, જેમના દિલો હઝરત જિબ્રઈલ (અલૈ.)ના દિલ જેવા છે. અને
૦ આ પાંચ માંથી ત્રણ વ્યિકતઓ છે, જેમના દિલો હઝરત મીકાઈલ (અલૈ.)ના દિલ જેવા છે. અને
૦ આ ત્રણ વ્યિકતઓ માંથી એક વ્યિકત હોય છે કે જેમનું દિલ હઝરત ઈસ્રાફીલ (અલૈ.)ના દિલ જેવું છે.
૦ જયારે આ એક વ્યિકત મરે છે તો અલ્લાહ તઆલા (તેના નીચેના) ત્રણમાંથી કોઈ એકને તેમની જગ્યાએ નકકી ફરમાવે છે. અને
૦ જયારે ત્રણ માંથી કોઈ મરે છે તો અલ્લાહ તઆલા (તેના નીચેના) પાંચમાંથી કોઈ એકને તેમની જગ્યાએ નકકી કરે છે. (“મિરકાત” ૧૧ / ૪૬૦ )
સુફયાના કલામમાં કુતુબુલ અકતાબના શબ્દથી પણ એ વાત સાબિત થાય છે કે એકથી વધુ પણ કુતુબ હોય છે. પરંતુ દરજામાં બધાં જ કુતુબો સમાન હોતા નથી. જેમ કે ઉપરની હદીસથી સાબિતી મળે છે.
અબ્દાલ એ પણ અવલિયાની એક જમાઅત છે. અને અબ્દાલના શબ્દ સહિત તેઓની સંખ્યા હદીસ શરીફથી સાબિત છે કે તેઓ ચાળીસ હોય છે.
શુરૈહ બિન ઉબૈદ (રદિ.)થી રિવાયત છે કે,
હઝરત અલી (રદિ.)ની સામે શામવાળાઓનો તઝ્કિરો થયો. (હાજિરીનમાંથી) કોઈએ કહયું કે,
અય અમીરુલ મુઅમિનીન ¦ તેઓ (શામીઓ) પર લઅનત કરો.
હઝરત અલી (રદિ.)એ જવાબ આપ્યો કે :
“હું તે લોકો પર લઅનત નહિ કરું. મેં રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)થી સાંભળ્યું છે, આપ
(સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) ફરમાવતા કે,
અબ્દાલ (જે અવલિયાની એક જમાઅત છે) શામમાં રહે છે અને એ ચાળીસ વ્યિકતઓ હોય છે જયારે એમનામાંથી કોઈ વફાત પામે છે તો અલ્લાહ તઆલા તેમની જગ્યાએ બીજાને નકકી કરી આપે છે. તેઓની બરકતથી વરસાદ વરસે છે. અને તેઓની બરકતથી દુશ્મનો પર ફતેહ મળે છે. અને તેઓની બરકતથી શામવાળાઓથી (દુન્યવી) અઝાબ દૂર કરી દેવામાં આવે છે. (“મિશ્કાત શરીફ” ૪૮ર)
આવા કુતુબ અને અબ્દાલ જે અલ્લાહ તઆલાના વલીઓ હોય છે. અલ્લાહ તઆલાના હુકમ મુજબ આ દુનિયાના કારોબાર સંબંધિત આમ પ્રજા માટે ખાસ ખાસ કામો કરતા રહે છે. જેને તફસીરની અને તસવ્વુફની પરિભાષામાં “ઉમૂરે તકવીનિય્યહ” કહેવામાં આવે છે. તેના અમુક દાખલાઓ હઝરત ખઝિર અલયહિસ્સલામના કુર્આનમાં બયાન થયેલા કિસ્સાથી સમજી શકાય છે. (“અત્તકશ્શુફ અન્ મુહિમ્માતિત્તસવ્વુફ” ૭૦૩)
અમુક અલ્લાહ તઆલાના નેક બંદાઓ લોકોને શરીઅતનો સીધો માર્ગ બતાવી કુર્આન તથા સુન્નતની પૈરવી કરવાની તબ્લીગ કરે છે. અને તેને કુતુબુલ ઈર્શાદના નામથી આરિફોની ભાષામાં યાદ કરવામાં આવે છે.(“મકતૂબાતે મુજદ્દિદ અલ્ફેસાની (રહ.)” મકતૂબ નં. રપ૬ દફતર-૧)
સવાલ : કુતુબ અબ્દાલ કેટલા હોય છે ? શું ખિદમત કરે છે ?
જવાબ : કુતુબનો શબ્દ એ હદીસ શરીફમાં તો નથી. અલબત્ત સુફયાએ કિરામના મંતવ્યો અને લખાણોમાં એનું વર્ણન મળે છે. અને અલ્લાહ તઆલાના ખાસ ખાસ નેક બંદાઓ જે અવલિયાઉલ્લાહ કહેવાય છે તેમનામાંથી અમુકને માટે આવા નામોનો ઉપયોગ કરવામાં આવે છે.
હદીસ, તફસીર અને તસવ્વુફની કિતાબોથી માલૂમ પડે છે કે આવા નામ વાળા અવલિયા એક અને એકથી વધુ પણ હોય શકે છે.
હઝરત અબ્દુલ્લાહ બિન મસ્ઊદ (રદિ.) આપ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)થી રિવાયત કરે છે કે,
અલ્લાહ તઆલાએ :
૦ ત્રણસો વ્યિકતઓ એવી પૈદા ફરમાવી છે, જેમના દિલોની હાલત હઝરત આદમ (અલૈ.)ના દિલની જેમ છે. અને
૦ તે ત્રણસો માંથી ચાળીસ વ્યિકતઓ છે કે જેમના દિલો હઝરત મૂસા (અલૈ.)ના દિલની જેમ છે. અને
૦ આ ચાળીસ માંથી સાત વ્યિકતઓ છે, જેમના દિલો હઝરત ઈબ્રાહીમ (અલૈ.)ના દિલની જેમ છે. અને
૦ આ સાત વ્યિકતઓ માંથી પાંચ વ્યિકતઓ છે, જેમના દિલો હઝરત જિબ્રઈલ (અલૈ.)ના દિલ જેવા છે. અને
૦ આ પાંચ માંથી ત્રણ વ્યિકતઓ છે, જેમના દિલો હઝરત મીકાઈલ (અલૈ.)ના દિલ જેવા છે. અને
૦ આ ત્રણ વ્યિકતઓ માંથી એક વ્યિકત હોય છે કે જેમનું દિલ હઝરત ઈસ્રાફીલ (અલૈ.)ના દિલ જેવું છે.
૦ જયારે આ એક વ્યિકત મરે છે તો અલ્લાહ તઆલા (તેના નીચેના) ત્રણમાંથી કોઈ એકને તેમની જગ્યાએ નકકી ફરમાવે છે. અને
૦ જયારે ત્રણ માંથી કોઈ મરે છે તો અલ્લાહ તઆલા (તેના નીચેના) પાંચમાંથી કોઈ એકને તેમની જગ્યાએ નકકી કરે છે. (“મિરકાત” ૧૧ / ૪૬૦ )
સુફયાના કલામમાં કુતુબુલ અકતાબના શબ્દથી પણ એ વાત સાબિત થાય છે કે એકથી વધુ પણ કુતુબ હોય છે. પરંતુ દરજામાં બધાં જ કુતુબો સમાન હોતા નથી. જેમ કે ઉપરની હદીસથી સાબિતી મળે છે.
અબ્દાલ એ પણ અવલિયાની એક જમાઅત છે. અને અબ્દાલના શબ્દ સહિત તેઓની સંખ્યા હદીસ શરીફથી સાબિત છે કે તેઓ ચાળીસ હોય છે.
શુરૈહ બિન ઉબૈદ (રદિ.)થી રિવાયત છે કે,
હઝરત અલી (રદિ.)ની સામે શામવાળાઓનો તઝ્કિરો થયો. (હાજિરીનમાંથી) કોઈએ કહયું કે,
અય અમીરુલ મુઅમિનીન ¦ તેઓ (શામીઓ) પર લઅનત કરો.
હઝરત અલી (રદિ.)એ જવાબ આપ્યો કે :
“હું તે લોકો પર લઅનત નહિ કરું. મેં રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)થી સાંભળ્યું છે, આપ
(સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) ફરમાવતા કે,
અબ્દાલ (જે અવલિયાની એક જમાઅત છે) શામમાં રહે છે અને એ ચાળીસ વ્યિકતઓ હોય છે જયારે એમનામાંથી કોઈ વફાત પામે છે તો અલ્લાહ તઆલા તેમની જગ્યાએ બીજાને નકકી કરી આપે છે. તેઓની બરકતથી વરસાદ વરસે છે. અને તેઓની બરકતથી દુશ્મનો પર ફતેહ મળે છે. અને તેઓની બરકતથી શામવાળાઓથી (દુન્યવી) અઝાબ દૂર કરી દેવામાં આવે છે. (“મિશ્કાત શરીફ” ૪૮ર)
આવા કુતુબ અને અબ્દાલ જે અલ્લાહ તઆલાના વલીઓ હોય છે. અલ્લાહ તઆલાના હુકમ મુજબ આ દુનિયાના કારોબાર સંબંધિત આમ પ્રજા માટે ખાસ ખાસ કામો કરતા રહે છે. જેને તફસીરની અને તસવ્વુફની પરિભાષામાં “ઉમૂરે તકવીનિય્યહ” કહેવામાં આવે છે. તેના અમુક દાખલાઓ હઝરત ખઝિર અલયહિસ્સલામના કુર્આનમાં બયાન થયેલા કિસ્સાથી સમજી શકાય છે. (“અત્તકશ્શુફ અન્ મુહિમ્માતિત્તસવ્વુફ” ૭૦૩)
અમુક અલ્લાહ તઆલાના નેક બંદાઓ લોકોને શરીઅતનો સીધો માર્ગ બતાવી કુર્આન તથા સુન્નતની પૈરવી કરવાની તબ્લીગ કરે છે. અને તેને કુતુબુલ ઈર્શાદના નામથી આરિફોની ભાષામાં યાદ કરવામાં આવે છે.(“મકતૂબાતે મુજદ્દિદ અલ્ફેસાની (રહ.)” મકતૂબ નં. રપ૬ દફતર-૧)
Log in or Register to save this content for later.