[૧પ૦] સંજોગોના સર્જનમાં રાશીઓ અને ગ્રહોની અસર માનવી

Chapter : બરકત-નહૂસત, શુભ-અશુભ, ઘડી-ચોઘડીઆ, રાશી-ગ્રહ

(Page : 399 to 411)

સવાલ : ચાલુ મહિના ( ર૦૦૬ ઈ.સ.)નું “દારુલ ઉલૂમ” માસિક મેં પઢયું. ફતાવા વિભાગ પણ પઢયો. એમાં પેજ : પ૩ ઉપર “ગ્રહમંડળ અને ચોઘડીયાને અસરકર્તા માનવા” વિષે જે સવાલ-જવાબ આપ હઝરતે જણાવેલ છે એ વિષયમાં આપ હઝરતને પૂછવાનું કે મારી પાસે અંકલેશ્વરના કુતુબખાના ફૈઝે અબરારે છપાવેલી હઝરત શાહ અબ્દુલ અઝીઝ મુહદ્દિસે દહેલ્વી (રહ.)ની “તફસીરે અઝીઝી”ના પારએ અમ્મની ઉર્દૂ તફસીર છે, જેમાં સૂરએ “બુરૂજ”ની તફસીર પેજ નં. : ર૮૯ થી ર૯૪ સુધી ગ્રહો અને રાશીઓ વિષે લખેલું છે. પેજ નં. : ર૯૪ ઉપર તો રોઝી, તંદુરસ્તી, બીમારી, ઈઝઝત-ઝિલ્લત એ બધું આ ગ્રહોને લીધે થઈ રહ્યું છે એમ જણાવેલ છે.

                બીજું કે હઝરત મારી પાસે હઝરત બુની (રહ.)ની અમલિય્યાતની મશહૂર કિતાબ “શમ્સુલ્ મઆરિફ” છે, જેમાં પણ રાશીઓ, ગ્રહો, નંગ વિષે જણાવેલું છે.

                ત્રીજું એ કે દેવબંદથી એક ઉર્દૂ-હિન્દી માસિક બહાર પડે છે “તિલિસ્માતી દુન્યા” એમાં પણ રાશીઓ, ગ્રહો તથા નંગો વિષે  બહોળો પ્રચાર કરવામાં આવે છે.

                આપ હઝરતને મારી વિનંતી છે કે ઉપરોકત પ્રશ્નો વિષે મને સાચી માહિતી પૂરી પાડશો. હું ફકત મારી જાણ પૂરતો આ કાગળ લખું છું. આશા છે આપ હઝરત મને યોગ્ય માહિતી પૂરી પાડશો.

જવાબ : ખગોળશાસ્ત્રીઓ, જયોતિષશાસ્ત્રીઓ અને ફિલસૂફોએ આસમાની ગોળાર્ધના વહમી અને ખ્યાલી (કાલ્પનિક) બાર ભાગો કર્યા છે, તે બાર ભાગોને તેમની પરિભાષામાં બાર બુરજો કહેવામાં આવે છે અને તે દરેક ભાગમાં રાત્રે ભેગા દેખાતા તારાઓથી જે શકલ અને સૂરત બને છે તે શકલ  અને સૂરત મુજબ તે બુર્જ અને ભાગનું તેમણે એક નામ નકકી કયુઁ છે. બુર્જ એ અરબી ભાષાનો શબ્દ છે, ખગોળ અને જયોતિષશાસ્ત્રની પરિભાષા મુજબ ગુજરાતીમાં તેને રાશી અને નક્ષાત્ર કહેવામાં આવે છે. આ બાર રાશીઓ અને તેના નામો કુર્આન મજીદ, હદીસ શરીફ, સહાબએ કિરામ અને તાબિઈન (રદિ.)થી સાબિત નથી.

                હઝરત કાઝી સનાઉલ્લાહ ઉસ્માની પાણીપતી (રહ.)એ સૂરએ “બુરૂજ”માં આવેલ બુરૂજ શબ્દની તફસીર જયોતિશાસ્ત્રની પરિભાષા મુજબ બાર રાશીઓ અને નક્ષાત્રોથી કરવાની મનાઈ ફરમાવી છે અને બાર રાશીઓ અને તેના નામોને કાફિર ફિલસૂફોની વહેમી અને ખ્યાલી વાત બતાવી છે. અને તેમણે લખ્યું છે કે કુર્આન શરીફમાં બુરૂજ શબ્દથી મુરાદ આસમાનમાં આવેલા ઘરો છે અથવા આસમાનના દરવાજાઓ છે અને અમુક લોકોએ તેની તફસીર મોટા તારાઓથી કરી છે.  [“તફસીરે મઝહરી” : ૧૦ / ર૩૪]

                હઝરત ઇબ્ને અબ્બાસ (રદિ.)એ “વસ્સમાઈ ઝાતિલ્ બુરૂજ”ની તફસીર મહેલોવાળા આસમાનથી ફરમાવી છે.

                હઝરત ઝહ્હાક (રહ.)એ પણ “બુરૂજ”ની તફસીર મહેલોથી ફરમાવી છે.

                હઝરત મુજાહિદ (રહ.), ઇબ્ને અબી નજીહ (રહ.) અને શૈખ કતાદહ (રહ.)એ “બુરૂજ”ની તફસીર તારાઓથી ફરમાવી છે.

                હઝરત સુફયાન બિન હુસૈન (રહ.)એ “વસ્સમાઈ ઝાતિલ્ બુરૂજ”ની તફસીર વરસાદ અને પાણીવાળા આસમાનથી ફરમાવી છે.

                શૈખ અબૂ જઅફર મુહમ્મદ બિન જરીર તબરી (રહ. મૃત્યુ : ૩૧૦ હિજરી) લખે છે કે :

                “વસ્સમાઈ ઝાતિલ્ બુરૂજ”ની તફસીર સૂર્ય અને ચાંદની મંઝિલોથી કરવી એ સૌથી બેહતર છે અને “બુરૂજિમ્ મુશય્યદહ”થી તે બાર મંઝિલો મુરાદ લેવામાં આવે જે પૃથ્વીની ઘણી ઉંચાઈએ આસમાનમાં આવેલી છે અને તેમાંથી દરેક બુર્જમાં ચાંદ ર૧/૩ દિવસ (પ૬ કલાકો)માં પસાર થાય છે, માટે દિવસોના હિસાબે ચાંદની કુલ ર૮ મંઝિલો બને છે અને તેમાંથી દરેક મંઝિલમાં સૂર્ય એક મહિનામાં પસાર થાય છે.[“તફસીરે તબરી” : જામિઉલ્ બયાન : ૩૦ / ૧ર૭]

                મશહૂર સહાબી હઝરત અબ્દુલ્લાહના શાગિદર્ો પણ “ઝાતિલ્ બુરૂજ”ની તફસીર મહેલોવાળા આસમાનથી કરતા હતા.

                શૈખ અબૂ સાલિહ (રહ.) બુરૂજની તફસીર મોટા તારાઓથી ફરમાવતા હતા.

                હઝરત જાબિર (રદિ.) નકલ કરે છે કે :  હઝરત નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમથી “વસ્સમાઈ ઝાતિલ્ બુરૂજ” વિશે પૂછવામાં આવ્યું તો આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમએ ફરમાવ્યું કે :“તારાઓ મુરાદ છે.”

                અને “અલ્લઝી જ-અ-લ ફિસ્સમાઈ બુરૂજન્” વિષે પૂછવામાં આવ્યું તો પણ આપે ફરમાવ્યું કે :“તારાઓ મુરાદ છે.”        [“તફસીરે દુર્રે મન્સૂર” સુયૂતી રહ.]

                ઉપર નકલ કરેલા મંતવ્યોથી જણાયું કે ઘણા મુફિસ્સરો (રહ.)એ બુરૂજની તફસીર તારાઓથી ફરમાવી છે અને આ તફસીર મુજબ અલ્લાહ તઆલાએ તારાઓવાળા આસમાનની કસમ ફરમાવી છે, પરંતુ તેમાંથી કોઈ પણ મુફિસ્સર સાહેબે એ કસમનો મતલબ એવો નથી લખ્યો કે સજર્ાતા સંજોગોમાં રાશીઓ અને ગ્રહો અસરકર્તા અને તેના સર્જક છે એટલા માટે તેની કસમ ફરમાવી છે.

                હઝરત કતાદહ જેઓ બુરૂજની તફસીર તારાઓથી કરે છે, ઈમામ બુખારી (રહ.) અને હાફિઝ ઈબ્ને હજર (રહ.) તો તેમનાથી એક આયતની તફસીરમાં મજકૂર અકીદહના ગલત અને બાતિલ હોવાનું મંતવ્ય આ પ્રમાણે નકલ કરે છે કે :

                હઝરત કતાદહ (રદિ.) وَلَقَدْ زَيَّنَّا السَّمَاءَ الدُّنْيَا بِمَصَابِيحَ   ની તફસીર કરતાં ફરમાવે છે કે :

                અલ્લાહ તઆલાએ આ તારાઓને ત્રણ હેતુઓ માટે પૈદા ફરમાવ્યા છે :

                એક તો આસમાનનાં શણગાર માટે,

                (બીજું) શયાતીનને મારવા માટે, અને

                (ત્રીજું) રસ્તાઓ, કિબ્લાની દિશા અને વખત જાણવાની નિશાનીઓ               રૂપે.

                જે માણસ આ ત્રણ હેતુઓ સિવાય બીજો કોઈ હેતુ બયાન કરે તે ખતાકાર, પોતાનો હક બરબાદ કરનાર અને એવા મકસદની પાછળ પડનાર છે જેની તેને જાણકારી નથી અને અલ્લાહ તઆલાના હુકમથી જાહિલ અમુક લોકોએ આ તારાઓ વિશે આ પ્રમાણે ગલત માન્યતા પૈદા કરી છે કે :

૦      જેણે ફલાણા તારાના ઉદય કે અસ્ત વખતે ઝાડ વાવ્યું તો આવું    થશે અને

૦      જેણે ફલાણા તારાના ઉદય કે અસ્ત વખતે મુસાફરી કરી તો આવું               થશે અને મારી ઝિંદગીના માલિકની કસમ ¦ દરેક જ તારાના ઉદય   કે અસ્ત વખતે ઠીગણો અને લાંબો, લાલ અને સફેદ, ખૂબસૂરત અને બદસૂરત પૈદા થાય છે અને આ તારાઓ, જાનવરો અને પક્ષાીઓમાંથી કોઈને આ છૂપી વાતોની થોડી પણ ખબર હોતી નથી (તો પછી મજકૂર વસ્તુઓ કોઈ ઘટનામાં કેવી રીતે અસરકર્તા હોય શકે છે) બલ્કે શારિહે હદીસ શૈખ દાવૂદી (રહ.)એ તો તારાઓ વિશે મજકૂર માન્યતા રાખનાર વિશે હઝરત કતાદહ (રદિ.)ના કથનને હલકુ ગણાવી તેના વિશે કાફિર હોવાનો હુકમ લગાડયો છે.            [“બુખારી શરીફ” : ૧ / ૪પ૪, “ફત્હુલ્ બારી” : ૬ / ૩૪૧]

                ઇસ્લામ પુર્વે જાહિલિય્યતના યુગમાં એટલે કે હઝરત રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમની બિઅ્સતથી પહેલાં જયારે પૂરી દુનિયામાં કુફ્ર અને શિર્ક ફેલાયેલા અને છવાયેલા હતાં તે સમયમાં જાહિલો અને જયોતિષીઓ મવત, હયાત, વરસાદ, દુષ્કાળ વગેરે મુસીબતો અને રાહતોના ઉપિસ્થત થતાં સંજોગોમાં રાશીઓ અને ગ્રહોને અસરકર્તા માનતા હતા.

                આ ખોટી અને ગલત માન્યતાને મિટાવવા હઝરત રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમએ કુર્આન શરીફની  આયતો અને પોતાના ફરમાનો બયાન ફરમાવી લોકોને એ વાત સમજાવી કે :       સારા અને બૂરા  સંજોગો અને ઘટનાઓ રાશીઓ અને ગ્રહોથી સજર્ાય છે તે માન્યતા ખોટી અને બાતિલ છે. આસમાન અને જમીનમાં જે કંઈ સારા કે ખરાબ સંજોગો  અને પરિિસ્થતી સજર્ાય છે તે માત્ર અલ્લાહ તઆલાની કુદરત અને હુકમથી જ સજર્ાય છે, તેમાં રાશીઓ અને ગ્રહોની શિકતનો કોઈ અસર દખલ નથી અને તેને રાશીઓ અને ગ્રહોની શિકતથી અને અસરથી ઉપિસ્થત માનવું એ કુફ્ર અને શિર્ક છે.

                મુસ્નદે અહમદમાં હઝરત મુઆવિયહ લયસી (રદિ.) આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમની હદીસ નકલ કરે છે કે :                લોકો દુષ્કાળ ગ્રસ્ત હોય છે, તો અલ્લાહ તઆલા તેમના ઉપર આસ્માનથી પોતાના રિઝ્કમાંથી થોડી રોઝી (વરસાદ) ઉતારે છે તો તેઓ સવારમાં મુશરિક થઈને કહે છે ફલાણા સિતારાના ઉદય કે અસ્ત થવાથી અમારા ઉપર વરસાદ વરસ્યો.

                ઇમામ શાફઈ  (રહ.) પોતાની “કિતાબુલ્ ઉમ્મ”માં લખે છે કે :       જે માણસે અમુક મુશરિકીનના કહેવા મુજબ વરસાદ થવાની નિસ્બત કોઈ સિતારા તરફ કરીને એવું કહ્યું કે ફલાણા તારાના ઉદય કે અસ્તથી અમારા ઉપર વરસાદ વરસ્યો તો તેનું આ  કથન હઝરત રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમના ફરમાન મુજબ કુફ્ર છે, કારણ કે કોઈ તારાનો ઉદય કે અસ્તનો એક વખત છે અને તે વખત  પણ અલ્લાહ તઆલાની એક મખ્લૂક છે, જે પોતાના માટે કે બીજાના માટે કોઈ નફા નુકસાનનો માલિક નથી.  [“ફત્હુલ્ બારી” : ર / ૬૦૮]

                હઝરત રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમના સમયમાં જે દિવસે આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમના સાહબઝાદા હઝરત ઇબ્રાહીમ (રદિ.)ની વફાત થઈ તે દિવસે સૂર્ય ગ્રહણ થયું તો લોકો કહેવા લાગ્યા કે હઝરત ઇબ્રાહીમ (રદિ.)ની વફાતના કારણે સૂર્યગ્રહણ થયું છે, તો હઝરત રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમએ સૂર્યગ્રહણની લાંબી નમાઝ પઢાવી અને ગ્રહણ ખત્મ થયું ત્યારે આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમએ નમાઝથી ફારિગ થઈને લોકો સામે તકરીર ફરમાવી અને હમ્દો સના પઢી ફરમાવ્યું કે :

                “સૂરજ અને ચાંદ અલ્લાહ તઆલાની  કુદરતની નિશાનીઓ પૈકી                બે નિશાનીઓ છે અને આ બન્ને ગ્રહો ન કોઈ વ્યિકતના મૃત્યુના કારણે ગ્રહણ ગ્રસ્ત થાય છે અને ન કોઈ વ્યિકતના હયાત પામવાથી ગ્રહણ ગ્રસ્ત થાય છે, માટે તમે જયારે આ બન્નેવને ગ્રહણ થતા જુઓ તો અલ્લાહ તઆલાની બડાઈ (અઝમત અને કિબરિયાઈ) બયાન કરો અને અલ્લાહ પાકથી દુઆ કરો અને નમાઝ પઢો અને               સદકહ કરો.”                                      [“મુસ્લિમ શરીફ” : ૧ / ર૯પ]

                આ હદીસમાં પણ આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમએ જહાલતકાળના લોકોની એ માન્યતાને ગલત અને બાતિલ ફરમાવી છે કે, ગ્રહો પૃથ્વી પર સજર્ાતી પરિિસ્થતીમાં અસર કરે છે. જેવી રીતે વરસાદવાળી હદીસમાં હુઝૂરે અકરમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમએ મજકૂર માન્યતાને બાતિલ ઠરાવી છે.

                અલ્લામહ ખત્તાબી (રહ.) લખે છે કે :       જહાલતકાળમાં લોકો એવી માન્યતા રાખતા હતા કે સૂર્ય અને ચંદ્ર ગ્રહણ પૃથ્વી ઉપર કોઈના મૃત્યુની કે અન્ય કોઈ પ્રકારના નુકસાનની ઘટના સજર્ે છે, તો આ હદીસમાં  આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમએ (મજકૂર તકરીરમાં) લોકોને જણાવ્યું કે આ ખોટી માન્યતા છે અને સૂર્ય-ચંદ્ર તો (અલ્લાહ પાકની મખ્લૂક અને) અલ્લાહ તઆલાના હુકમના તાબે છે, તેમનું બીજાઓ ઉપર કોઈ પ્રભુત્વ નથી અને તેઓમાં પોતાને પણ ગ્રહણ જેવા નુકસાનથી બચાવવાની શિકત નથી.        [“ફત્હુલ્ મુલ્હિમ” : ર / ૪પ૪]

                અલ્લાહ તઆલા ફરમાવે છે :

وَالشَّمْسَ وَالْقَمَرَ وَالنُّجُومَ مُسَخَّرَاتٍ بِأَمْرِهِ أَلَا لَهُ الْخَلْقُ وَالْأَمْرُ تَبَارَكَ اللَّهُ رَبُّ الْعَالَمِينَ

અર્થ :   અને અલ્લાહ તઆલાએ સૂરજ, ચાંદ અને તારાઓને એવી હાલતમાં પૈદા કર્યા કે તે બધા તેના હુકમના તાબે છે, યાદ રાખો, ખાલિક (સર્જનહાર) અને  હાકિમ હોવું અલ્લાહ તઆલા માટે જ ખાસ છે, અલ્લાહ તઆલા ઘણા કમાલાતવાળા છે, જે સઘળા આલમના પરવરદિગાર છે.

                અને અલ્લાહ તઆલાનું બીજું ફરમાન છે :

وَسَخَّرَ لَكُمُ اللَّيْلَ وَالنَّهَارَ وَالشَّمْسَ وَالْقَمَرَ وَالنُّجُومُ مُسَخَّرَاتٌ بِأَمْرِهِ

અર્થ : અને અલ્લાહ તઆલાએ તમારા લાભ માટે રાત-દિવસ અને સૂર્ય તથા ચાંદને પોતાની કુદરતના તાબે બનાવ્યા છેઅને તારાઓ પણ તેના હુકમના તાબે છે.

                ઈમાનથી વંચિત હોવાના કારણે અથવા ઈમાનની કમઝોરીના કારણે ઘટતી ઘટનાઓમાં ગ્રહો અને રાશીઓને સર્જક અને અસરકર્તા માનનારની મિસાલ તે કીડી જેવી છે કે અગર તેને થોડી અકકલ મળી જાય અને તે કાગળની સપાટી પર હોય અને કાગળ ઉપર લખાણની રોશનાઈ ઉતરતી જુએ અને એવું માની લે કે આ રોશનાઈનો સર્જક અને તેને ઉતારનાર કલમ જ છે અને તેની નજર એથી આગળ તે આંગળીઓ તરફ ન ઉઠે જેના કબ્જામાં કલમ છે અને એથી આગળ તે હાથ તરફ પણ ન ઉઠે જેમાં તે આંગળીઓ જોડાયેલી છે અને તેનાથી આગળ તે ઇરાદા તરફ પણ ન જાય જે લખવા માટે હાથને હરકત આપી રહ્યો છે અને તેથીય આગળ તે લખનાર, લેખન શિકત અને ઇરાદો ધરાવનાર તરફ પણ ન જાય અને તેથી ય આગળ વધીને લખનારના હાથને, શિકતને અને ઇરાદાને પૈદા કરનાર, પાક પરવરદિગાર તરફ પણ ન જાય, બસ મખ્લૂકની નજર મોટા ભાગે કોઈ વસ્તુના નજીકના માધ્યમો સુધી મર્યાદિત રહે છે અને માધ્યમો અને સાધનોના ખાલિક અને સર્જનહાર સુધી પહોંચવાથી અટકેલી અને કપાયેલી રહે છે.[“ફત્હુલ્ મુલ્હિમ” : ર / ર૪૦]

                હઝરત રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમએ આવા જ કારણોને લઈને કે જયોતિષવિદ્યા શીખવાથી અકીદો બગડવાનો ભય રહે છે, ઈમાન કમઝોર થવાની સંભાવના રહે છે, જયોતિષવિદ્યા પ્રાપ્ત કરવાથી મનાઈ ફરમાવી છે.

                શૈખ તબરાની (રહ.)એ પોતાની “મુઅજમે કબીર”માં હઝરત અબ્દુલ્લાહ બિન મસઊદ (રદિ.)થી હઝરત રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમનું ફરમાન નકલ કરેલ  છે કે :      “જયારે મારા સહાબા (રદિ.)નું (બુરાઈ સાથે) વર્ણન થાય તો તેને રોકો અને જયારે તારાઓથી  સંબંધિત (જયોતિષવિદ્યાનું) વર્ણન થાય તો તમે તેને રોકો અને જયારે તકદીરની ચર્ચા થાય                 તો તમે તેને રોકો.”

                મુસ્નદે અબૂ યઅ્લા (રહ.) અને ઇબ્ને અદી (રહ.)ની “અલ્ કામિલ”માં અને ખતીબ (રહ.)ની “કિતાબુન્નુજ્મ”માં હઝરત અનસ (રદિ.)ની હદીસ નકલ છે કે :        “મને મારી ઉમ્મતથી બે વાતોનો ડર છે : તકદીરને જૂઠાડવાનો અને જયોતિષ જ્ઞાનને સત્ય માનવાનો.” “ફત્હુલ્ મુલ્હિમ” : ૧ / ર૪૦]

                જયોતિષી જે જહાલતકાળની માન્યતા મુજબ રાશીઓ અને વિવિધ ગ્રહોના  ઉદય અને અસ્તના આધારે લોકોને ભાગ્ય-અભાગ્યની અને શુભાશુભની વાતો બતાવે છે અને ભવિષ્યવાણી કરે છે, તેની પાસે જવાથી અને તેની વાતોને સત્ય માનવાથી હઝરત રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમએ મનાઈ ફરમાવી છે અને તેના વિષે સખ્ત વઈદ બયાન  ફરમાવી છે.

                હઝરત સફિય્યહ (રદિ.) હઝરત નબી સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમની અમુક બીવીઓથી હઝરત નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમનું ફરમાન નકલ કરે છે કે :“જે માણસ અરર્ાફ (એટલે ચોરાયેલી, ખોવાયેલી જેવી છૂપી વસ્તુઓ બતાવનાર) પાસે જાય અને તેને કોઈ એવી વસ્તુ વિશે પૂછે તો તેની ચાળીસ રાતોની નમાઝ કબૂલ નહિ થાય .”[“મુસ્લિમ શરીફ” : ર / ર૩ર]

                અલ્લામહ ઇબ્ને આબિદીન શામી (રહ.)એ “સુનને અર્બઅહ”ના હવાલાથી હઝરત અબૂ હુરૈરહ (રદિ.)થી હઝરત રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમનું ફરમાન નકલ કયુઁ છે કે :

                “જે માણસ કાહિન અથવા અરર્ાફ પાસે જાય  અને તેની વાતને              સત્ય માને તો તેણે હઝરત મુહમ્મદ લ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ ઉપર ઉતરેલી વહીનો ઇન્કાર કરેલો કહેવાય.”             અને કાહિન એવા માણસને કહેવામાં આવે છે જે ભવિષ્યમાં થનારી વાતો બતાવે અને છૂપી વાતો જાણવાનો દાવો કરે. અને અરર્ાફ જયોતિષીને કહેવાય છે.

                અલ્લામહ ખત્તાબી (રહ.) અરર્ાફનો મતલબ આ પ્રમાણે લખે છે કે : જે ચોરાયેલી અને ખોવાયેલી જેવી છૂપી વસ્તુઓનું સ્થળ બતાવે.

                અલ્લામહ શામી (રહ.) લખે છે કે ખુલાસો આ  છે કે :જે માણસ કોઈ તારાના ઉદય અને અસ્તના માધ્યમથી અને

                જે માણસ લાકડી મારવાની વિદ્યાથી અને જે માણસ જિનની મદદથી ભવિષ્યવાણીનો દાવેદાર હોય તે બધા જ લોકો શરઈ દ્રિષ્ટએ િનદાપાત્ર છે અને તેમના વિશે અને તેમને સાચા માનનાર વિશે કુફ્રનો હુકમ આપવામાં આવ્યો છે.                         [“શામી” : ૩ / ૩૯૬]

                રાશીઓ (બુરૂજ) ગ્રહો અને તેને લગતી જયોતિષવિદ્યા વિષે ઉપરોકત છણાવટ પછી હવે એ હકીકત પણ જાણી  અને સમજી લેવી જોઈએ કે “તફસીરે અઝીઝી”માં બુજર્ોની જે વિગત નકલ કરવામાં આવી છે,એ વિગત ફિલસૂફો, જયોતિષીઓ અને ખગોળશાસ્ત્રીઓએ ઘડેલી અને વર્ણન કરેલી છે અને તેઓથી નકલ કરવામાં આવી છે અને મજકૂર તફસીરમાં સૂરએ “બુરૂજ” માં બુરૂજ શબ્દથી મજકૂર આસમાની ભાગોનું (રાશીઓનું) મુરાદ હોવું કુર્આન, હદીસ, સહાબએ કિરામ અને તાબિઈન (રદિ.)ની તફસીરથી સાબિત પણ નથી.

                હઝરત મૌલાના શાહ અબ્દુલ અઝીઝ દહેલવી (રહ. )એ “તફસીરે અઝીઝી”માં  બુરૂજ શબ્દના અનુસંધાનમાં  બાર રાશીઓનું વર્ણન જરૂર કયુઁ છે, પરંતુ ધ્યાનપૂર્વક અભ્યાસ કરવાથી આ વાત સમજી શકાશે કે હઝરત શાહ સાહેબ (રહ.)નો મતલબ રાશીઓ અને ગ્રહોને ભાગ્ય-અભાગ્ય, શુભાશુભ સંજોગો અને ઘટનાઓના માધ્યમો અને અસરકર્તા હોવાનો સ્વીકાર કરવાનો નથી, બલ્કે દલીલે ઇલઝામીના રૂપમાં તેને રજૂ કરવાનો છે અને મતલબ આ છે કે આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમના ઝમાનાના કાફિરો પોતાની ઇઝઝત, વર્ચસ્વ અને પ્રભુત્વને અને મુસ્લિમોની ઝિલ્લત અને પછાતપણાને કાયમી અને દાયમી સમજતા અને માનતા હતા. તો સૂરએ “બુરૂજ”ની શરૂમાં બુજર્ોવાળા આસમાનની કસમનું વર્ણન કરી તેમને બતાવ્યું કે :

                તમે કાફિર લોકો તો બુરૂજ અને રાશીઓને પરિિસ્થતી પરિવર્તનના અને શુભાશુભના ફેરફારના હકીકી માધ્યમો માનો છો તો પછી તમારી માન્યતા મુજબ તો મુસ્લિમોની ઝિલ્લત ઇઝઝતથી અને તમારી  ઇઝઝત અને વર્ચસ્વ ઝિલ્લત અને તુચ્છતાથી બદલાય અને પલટાય શકે છે, માટે તમે તમારી જ માન્યતા મુજબ મજકૂર પરિિસ્થતીમાં પરિવર્તન અને ફેરફારનો ઇન્કાર કેવી રીતે કરી શકો છો.

                આપ લખો છો કે અમલિય્યાતની મશહૂર કિતાબ “શમ્સુલ્ મઆરિફ”માં પણ રાશીઓ અને ગ્રહો વિશે જણાવેલું છે, તો એ બાબત પ્રથમ તો આ હકીકત જાણવી ઘટે કે અમલિય્યાતમાં રાશીઓ અનેગ્રહોના ઉદય-અસ્તના વખતની અને કોઈ દિવસ, તારીખ કે ઘડીની રિઆયત કરવી એ પણ કુર્આન-હદીસ કે ફિકહની કોઈ કિતાબથી સાબિત નથી અને અમલિય્યાતમાં મજકૂર વખતોની રિઆયત અને તેને જરૂરી સમજવું એ પણ જયોતિષવિદ્યાનો જ એક ભાગ છે અને અમલિય્યાતમાં રાશી, ગ્રહ, ચોઘડિયાને અસરકર્તા માનવું એ પણ નાજાઈઝ, ગલત અને એઅતિકાદી ગુમરાહી છે.

                હકીમુલ્ ઉમ્મત હઝરત મવલાના અશરફઅલી થાનવી નવ્વરલ્લાહુ મરકદહૂ જેઓ કિતાબો સુન્‍નત, ફિકહ-ફતાવા વગેરે દીની ઉલૂમના નિપૂણ અને મહાન આલિમ હોવાની સાથે અમલિય્યાતના પણ માહિર આલિમ અને આમિલ હતા, તેઓ અમલિય્યાતમાં મજકૂર વસ્તુઓની રિઆયત વિષે દલીલ સાથે સ્પષ્ટ છણાવટ કરતાં લખે છે કે :

                અમલિય્યાત અને તા”વીઝોના માહિર આમિલોની વાતો અને લખાણોમાં મોટા ભાગના અમલિય્યાતમાં મહિનો, દિવસ, તારીખ અને મખ્સૂસ વખતની પાબંદીની રિઆયત જોવા મળે છે અને બૂઝૂગૌં પણ તેઓથી આ પાબંદીઓને નકલ કરી લે છે, પરંતુ એ બાબતમાં મારા દિલને સંતોષ નથી, બલ્કે એવું જણાય છે કે આમિલોએ તા”વીઝોમાં આ વખતની પાબંદીની શર્ત જયોતિષશાસ્ત્રીઓથી લીધી છે, જે ગ્રહોને અસરકર્તા અને ખાસ ખાસ વખતોને અસરકર્તા માને છે. અમારા બૂઝૂગૌંનું આ તરફ ધ્યાન ન ગયું અને તેઓથી તેમણે પણ નકલ કરી લીધું.

                અહકરે (હઝરત મૌલાના થાનવી રહમતુલ્લાહિ અલયહ) આ મહિના, દિવસ, ચોઘડીયા વગેરેની પાબંદી તા”વીઝોમાંથી કાઢી નાંખી છે અને તે છતાં મારા તા”વીઝો અને અમલિય્યાતનો અસર એવો જ થાય છે જેવો મજકૂર વસ્તુઓની પાબંદી સાથે બતાવવામાં આવે છે.     [“હાશિયએ બયાઝે યા”કૂબી” : ર૯૦ / ૬૬]

                હકીમુલ્ ઉમ્મત થાનવી (રહ.) પોતાની બીજી એક કિતાબ  “અત્તુકા ફી અહકામિરર્ુકા”માં મજકૂર મસ્અલહ વિષે લખે છે કે : હદીસ શરીફમાં હઝરત અબૂ હુરૈરહ (રદિ.)થી નકલ છે કે : હઝરત રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમએ ફરમાવ્યું કે : “અલ્લાહ તઆલા આસમાનથી કોઈ પણ બરકત ઉતારે છે તો લોકોની એક જમાઅત કુફ્ર કરનારી થઈ જાય છે, અલ્લાહ તઆલા વરસાદ વરસાવે છે તો લોકો કહે છે કે ફલાણા તારાના કારણે વરસાદ થઈ રહ્યો છે.”

                આ હદીસથી સાબિત થયુંકે (કોઈ પણ સજર્ાતી પરિિસ્થતીમાં) તારાઓ (અને ગ્રહો)ની ગૈબી અસર માનવી એ એક પ્રકારનું કુફ્ર છે, મોટા ભાગના અમલિય્યાતમાં મખ્સૂસ ઘડી અને દિવસની પાબંદી હોય છે, અમુક આમિલો તે પાબંદી મુજબ અમલ કરે છે, અમુક આમિલો અમલિય્યાતમાં મહિનાની આગલી અને પાછલી તારીખોનો લિહાઝ કરે છે અને આ બધાની બુન્યાદ તારાઓ અને ગ્રહોના અસરકર્તા હોવાની માન્યતા છે, મજકૂર હદીસ તેને બાતિલ અને ગુનાહ ઠરાવે છે.

                હઝરત થાનવી (રહ.) પોતાની એક ત્રીજી કિતાબ “અગ્લાતુલ્ અવામ”માં લખે છે કે : અમુક આમિલોને ચાહે તે આલિમો હોય, અમુક અમલિય્યાતમાં મખ્સૂસ  દિવસ વગેરેની રિઆયત કરતા જોયા છે. તો આ જયોતિષવિદ્યાનો એક ભાગ છે અને તેનો ત્યાગ કરવો વાજિબ છે અને એવો ખ્યાલ કરવો કે મજકૂર પાબંદી અમલના અસર કરવાની શર્ત છે એ બિલ્કુલ ગલત ખ્યાલ છે. મેં એવા અમલોમાંથી મજકૂર પાબંદી સદંતર કાઢી નાંખી છે અને તે છતાં અલ્લાહ તઆલાના ફઝ્લથી મારા અમલિય્યાતથી ફાયદો થવામાં કોઈ કમી થતી નથી. અમલિય્યાતનો અસર (અને ફાયદો) મોટા ભાગે ખ્યાલથી થાય છે, મજકૂર પાબંદીઓનો તેમાં કોઈ દખલ નથી, આ બધા આમિલોના (દલીલ વગરના માત્ર) દાવાઓ છે.        [“અમલિય્યાત વ તા”વીઝાત” : ૧૦ર]

                અને જે અમુક માસિકો રાશીઓ અને ગ્રહોના અસરકારક હોવાના પ્રચાર-પ્રસાર કરેછે તે પણ હઝરત થાનવી (રહ.)ની મજકૂર સચોટ ચોખવટ અને વિવરણ મુજબ ગલત અને ગુનાહિત કાર્ય છે, તેવો પ્રચાર  ઇસ્લામી તા”લીમના ખિલાફ અને સહીહ અકીદાઓને બગાડનાર ગણાશે.

Log in or Register to save this content for later.