[૧૦૭] જિન્નાતમાં પયગમ્બરી

Chapter : જિન્નાત જાદુ, આમિલ, ભુવા

(Page : 321-323)

[૧૦૭] જિન્નાતમાં પયગમ્બરી

સવાલ  :  ફેબ્રુઆરી ૧૯૮૯ના “દારુલ ઉલૂમ”ના અંકમાં પેજ નં. ૩ર ઉપર લખેલું છે કે, “જિન્નાતોની હિદાયત માટે પણ અલ્લાહ પાકે તેમનામાંથી  નબીઓ  (અલૈ.) પેદા કર્યા હતા. હઝરત અબ્દુલ્લાહ બિન અબ્બાસ  (રદિ.)ની એક રિવાયત મુજબ હઝરત આદમ (અલૈ.) અગાઉ જિન્નાતોમાં પણ પયગમ્બરો મબઉસ (અવતીર્ણ) થયા હતા.”             અને “શરીઅત યા જહાલત” નામની કિતાબમાં હવાલા સાથે લખેલું છે કે, “જિન્નાતોમાં કોઈ પણ નબી થયા નથી.”  (તફસીર ઇબ્ને કસીર પારા નં. ૮ સફા  નં. ૧૪ સૂરએ “અન્આમ” ૧૬ રુકૂઅકી તફસીર મેં હે.)      તો આ વિશે ખુલાસો કરશો.

જવાબ  : “નિબરાસ” નામી કિતાબમાં પેજ નં. ૪ર૬ ઉપર છે કે,

                                “જિન્નાતમાંથી રસૂલ અને નબી હોવા વિશે ઉલમાએ કિરામના વિવિધ મંતવ્યો છે.”

                “ફતાવા હદીસિય્યહ”માં પેજ નં. ૬૯ ઉપર અને

                “આકામુલ મજર્ાન ફી ગરાઈબિલ્ અખબારિ વ અહકામિલ્ જાન્‍ન” નામી કિતાબના પેજ નં. ૩૪ ઉપર અને   “અલ અશ્બાહ વન્‍નઝાઈર” નામી કિતાબના પેજ નં. ૩૩૦ ઉપર લખેલું છે કે,

                “જમહૂર ઉલમાએ કિરામનું મંતવ્ય આ છે કે, હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)થી પહેલાં જિન્નાતોમાંથી કોઈને નુબુવ્વત કે રિસાલત પ્રાપ્ત થઈ નથી.” પરંતુ શૈખ ઝહ્હાક અને શૈખ ઇબ્ને હઝ્મ (રહ.)નું મંતવ્ય આ  છે કે, “હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ની રિસાલત  પહેલાં જિન્નાતની તબ્લીગ માટે જિન્નાતમાંથી પણ નબીઓ મોકલવામાં આવતા હતા.”

                મઝકૂર કિતાબોમાં આ બીજું મંતવ્ય પણ નકલ કરવામાં આવ્યું છે. “મઆરિફુલ કુર્આન” ભાગ ૩, પેજ નં. ૪પપ ઉપર પણ આ બન્ને મંતવ્યો નકલ કરવામાં આવ્યા છે. અને શેખ ઝહ્હાક અને ઇબ્ને હઝ્મ (રહ.)ના મંતવ્યની દલીલ રૂપે કુર્આન મજીદની આ આયત નકલ કરવામાં આવી છે કે,

“યા મઅ્શરલ્ જિન્િન વલ્ ઇન્િસ અલમ્ યઅ્તિકુમ્ રુસુલુમ્ મિન્કુમ્…..”

                હે જિન્નાત અને ઇન્સાનોની જમાઅત ¦ શું તમારી પાસે તમારામાંથી જ પયગમ્બરો નથી આવ્યા ?     [સૂરએ “અન્આમ” : ૧૩૦]

                એટલે કે શું તમો ઇન્સાનો પાસે ઇન્સાનોમાંથી અને જિન્નાતો પાસે જિન્નાતોમાંથી પયગમ્બરો નથી આવ્યા ? જમહૂર ઉલમાએ કિરામ મજકૂર આયતમાં “રુસૂલુમ્મિનકુમ્”નો મતલબ આ પ્રમાણે બયાન કરે છે કે,            “શું તમે જિન્નાત અને ઇન્સાન બન્નેના સમૂહમાં તમારી પાસે ઇન્સાની પયગમ્બરો નથી આવ્યા ? “ અને બીજો જવાબ આ પ્રમાણે રજૂ કરે છે કે,

                “અલ્લાહ તઆલા તરફથી આવતા પયગમ્બરો માત્ર ઇન્સાનોમાંથી જ હતા પરંતુ ઇન્સાની રસૂલ અને ઇન્સાની નબીના કાસિદ અને સંદેશવાહક તરીકે જિન્નાતો પાસે જિન્નાત જતા હતા જેઓને રસૂલ અને નબીના કાસિદના અર્થમાં રસૂલ કહેવામાં આવ્યા છે.” કાઝી સનાઉલ્લાહ પાનીપતી (રહ.) લખે છે કે,              “શકય છે કે હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)થી પહેલા અથવા હઝરત આદમ (અલૈ.)થી પહેલાં જિન્નાતોમાં પણ રસૂલ અને નબી થયા હોય.”

                આપે પોતાના આ મંતવ્યના સમર્થનમાં કુર્આન શરીફની અમુક આયતો નકલ ફરમાવી છે. (“તફસીરે મઝહરી અરબી” : ૩ / ર૮૯)

                “તફસીરે ઇબ્ને કસીર”માં પણ શૈખ ઝહ્હાકનું મંતવ્ય નકલ કરવામાં આવ્યું છે, જો કે મુફસ્િસર ઇબ્ને કસીર (રહમતુલ્લાહિ અલયહ)એ જમહૂર ઉલમાએ કિરામના મંતવ્યને જ સમર્થન આપ્યું છે અને બીજા મંતવ્યની દલીલોના જવાબો રજૂ કર્યા છે.      (“તફસીરે ઈબ્ને કસીર” : ર / ૧૭૭)

Log in or Register to save this content for later.