Chapter : માનવંત ઇમામો, મુહદ્દિસો, ઉલમા અને અવલિયાઓ ઇઝામ (રહ.)
(Page : 201 to 202)
સવાલ : એક સનદવાળા આલિમની તવહીન કરનાર, ગીબત કરનાર, ટીકા કરનાર માટે હઝરત નબી કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમનું શુંફરમાન છે ? શરીઅત આવા માણસ માટે શું કહે છે ? આવા માણસ માટે અલ્લાહ તઆલાનો શું અઝાબ છે ?
જવાબ : કુર્આન-હદીસમાં આલિમોનો ઊંચો માન-મરતબો બયાન કરવામાં આવ્યો છે. માટે એક આલિમની કોઈ કારણ વગર તવહીન કરવી અને વિના કોઈ કારણે માત્ર તેના ઇલ્મના આધારે તેને બૂરું-ભલું કહેવું, તેનાથી કીનો રાખવો ઘણો જ ભયાનક ગુનાહ છે. ફુકહાએ કિરામે કિતાબોમાં આવા કામને કુફ્ર બતાવ્યું છે, માટે તેનાથી બચવું અને તવબહ કરવી. તેનાથી માફી માંગવી ખૂબ જરૂરી છે. [“આલમગીરી “ : ર / ર૭૦, “શર્હે ફિકહે અકબર” : ર૧૩]
હઝરત ઉબાદહ બિન સામિત રદિયલ્લાહુ અન્હુથી હદીસ નકલ છે કે :
“તે માણસ અમારામાંથી નથી જેણે અમારા મોટા માણસનું માન ન જાળવ્યું અને જેણે અમારા નાના બાળક ઉપર રહમ ન કરી અને અમારા આલિમનો હક ન જાણ્યો.” [“મુસ્નદે અહમદ”, “હાકિમ”, “કન્ઝુલ્ ઉમ્માલ” : ૩ / ૧૬પ]
બીજી હદીસમાં છે કે :
“તેમાણસ અમારામાંથી નથી જેણે અમારા મોટા માણસની ઈઝઝત ન કરી અને અમારા નાના બાળક પ્રત્યે દયાભાવ ન રાખ્યો અને અમારા આલિમને માન ન આપ્યું.” [“કન્ઝુલ્ ઉમ્માલ” : ૩ / ૧૭૯] Log in or Register to save this content for later.