[૩૩] હઝરત રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમનું દરેક કબ્રમાં હાઝિર હોવું

Chapter : હુઝૂર સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ

(Page : 114 to 115)

સવાલ : શું હુઝૂર સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમને હાઝિર નાઝિર માનવું અથવા આલિમુલ્ ગૈબ માનવું કેવું છે ? શું કબ્રમાં ત્રીજો સવાલ હુઝૂર સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમને હાઝિર રાખીને પૂછવામાં આવશે કે આ માણસ વિષે તું શું જાણે છે ?

જવાબ : હઝરત રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમને હાઝિર નાઝિર માનવા અને આલિમુલ્ ગૈબ માનવા કુર્આન અને હદીસના બયાનથી સદંતર વિરુધ્ધ અને ગલત છે. બલ્કે એવી માન્યતા રાખવામાં પોતાનું ઈમાન બરબાદ થવાનો ભય છે.

                કુર્આન શરીફમાં છે કે :

قل لّا َیعلم من فی السّمٰوٰت والأرض الغیب الاّاللّہ (سورۃالنمل :۶۵)

                “આસમાનો અને જમીનમાં કોઈ પણ અલ્લાહના સિવાય ગૈબ જાણતું નથી.” [“શર્હે ફિકહે અકબર” : ૧૮૧, “નિબરાસ” : પ૭૪]

                કબ્રમાં ઈશારો કરી પૂછવામાં આવશે તેનો મતલબ એ છે કે મિય્યતોના ઝહન અને દિમાગમાં આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમની સૂરત હશે અથવા આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમની સૂરતે મિસાલિય્યહ પેશ કરવામાં આવશે કે આ માણસના બારામાં તું શું કહેતો હતો ? તે ઈશારાનો મતલબ એવો નથી કે દરેક કબ્રમાં આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ હાઝિર હશે.     [“નિબરાસ” : ૩૧૯] Log in or Register to save this content for later.