[૭પ] હઝરત મવલાના મુહમ્મદ ઇલ્યાસ સાહબ (રહ.)ને તબ્લીગના બાની કહી શકાય ?

Chapter : માનવંત ઇમામો, મુહદ્દિસો, ઉલમા અને અવલિયાઓ ઇઝામ (રહ.)

(Page : 197 to 200)

સવાલ  : ઘણા લોકો એમ કહેતાં સાંભળવા મળે છે કે હઝરત મૌલાના ઇલ્યાસ (રહ.) તબ્લીગના બાની છે તો પૂછવાનું એ કે શું હઝરાત અમ્બિયાએ કિરામ (અલૈ.) તબ્લીગના બાની નથી ? જો અમ્બિયાએ કિરામ (અલૈ.) તબ્લીગના બાની હતા તો હઝરત મૌલાના ઇલ્યાસ (રહ.)ને તબ્લીગના બાની શા માટે ગણવામાં આવે છે ? શું હઝરાત અમ્બિયાએ કિરામ (અલૈ.) અને હઝરત મવલાના ઇલ્યાસ (રહ.) વચ્ચેના સમયગાળામાં તબ્લીગનું કામ ન થયું હતું ? જો થયું હતું તો પછી તે હઝરાત બાની નહિ ગણાય ?

જવાબ  :  હઝરાત અમ્બિયા (અલૈ.) અને ખાતિમુલ અમ્બિયા હઝરત મુહમ્મદ મુસ્તફા (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) પોતાની ઉમ્મતો માટે મુઅિલ્લમો અને મુબિલ્લગો બનાવીને મોકલવામાં આવ્યા અને દીન શીખવા તથા શિખવાડવાની જવાબદારી બધાને જ સોંપવામાં આવી. હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ની વફાત પછી શરીઅતના હુકમ અને આપની સુન્‍નતની પૈરવી રૂપે હઝરાત સહાબએ કિરામ, તાબિઈને ઈઝામ, અવલિયાએ કિરામ પણ પોત પોતાના સમયમાં દીન શીખવા-શિખવાડવાનું કામ કરતા રહ્યા અને દીન શીખવા-શિખવાડવાની જુદી જુદી શકલો મદ્રસાઓ,ખાનકાહોના રૂપમાં વુજૂદમાં આવતી રહી,તબ્લીગી જમાઅત પણ દીન શીખવા-શિખવાડવાની એક શકલ છે, ખુલાસો આ કે તબ્લીગી અને તઅલીમી કાર્ય તો હઝરાત અમ્બિયાએ કિરામ (અલૈ.)થી  જ ચાલતું આવ્યું છે અને આ હકીકત મુજબ તા”લીમ તબ્લીગના કામની શરૂઆતની દ્રિષ્ટએ  હઝરત મવલાના ઇલ્યાસ (રહ.)ને તબ્લીગના બાની કહેવા દુરુસ્ત નથી; પરંતુ મખ્સૂસ ઉસૂલો સાથે તબ્લીગ જમાઅતની શકલમાં દીન શીખવા-શિખવાડવાના કામને વેગ આપવાની અને પ્રચલિત કરવાની શરૂઆત હઝરત મવલાના મુહમ્મદ ઇલ્યાસ (રહ.)એ ફરમાવી એ વાતમાં શંકાને કોઈ સ્થાન નથી. માટે તબ્લીગ જમાઅતની શકલથી આ કામને વેગ આપવાની અને પૂરી ઉમ્મતે મુસ્લિમહમાં ફેલાવવાની દ્રિષ્ટએ કદાચ કોઈ માણસ હઝરત મવલાના (રહ.)ને બાની કહેતા હોય તે શકય અને યોગ્ય છે, જેમ કે કોઈક સ્થળે દીની અથવા દુન્યવી તા”લીમના કામ માટે કોઈ જગ્યા નકકી કરી, કોઈ સંસ્થા ઊભી કરી તા”લીમનું કામ શરૂ કરવામાં આવે છે તો તે મખ્સૂસ જગ્યાએ તા”લીમી કામની વ્યવસ્થા કરનારને સંસ્થાનો બાની અને સ્થાપક કહેવામાં આવે છે.

                ફકીહુલ ઉમ્મત હઝરત મવલાના મુફતી મહમૂદ હસન ગંગોહી (નવ્વરલ્લાહુ મરકદહૂ) લખે છે કે,

                “અમ્બિયા (અલૈ.) ઉમૂમન ર્થાર હમારે આકાએ નામદાર હઝરત રસૂલે અકરમ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) ખુસૂસન મુઅિલ્લમ બનાકર ભેજે ગએ ર્થાર દીન સીખને ર્થાર સિખલાનેકી ઝિમ્મેદારી સબ પર ડાલી ગઈ, ફિર ઉસ્કે તરીકે મુખ્તલિફ રહે, શુરૂઅમેં ન આજકલકી તરહ મદારિસ થે ન ખાનકાહેં થી, ન કિતાબેં તસ્નીફ કરનેકા સિલસિલા થા, ન વઅઝો-તકરીરકે જલ્સે હૂએ થે, ન અંજુમને બનાનેકા દસ્તૂર થા, બલ્કે ઝબાની હી સીખને ર્થાર સિખાનેકા ઉમૂમન મા”મૂલ થા. અસ્હાબે સુફ્ફહ (રદિ.)ને ભી ઈસી તરહ સીખા ર્થાર જહાં જહાં આદમી ભેજે ગએ મસલન્ હઝરત અબૂ દ્દરદાઅ, હઝરત ઉબાદહ, હઝરત અબ્દુલ્લાહ બિન મસ્ઊદ (રદિ.) સબ ઈસ તરહ સિખાતે થે. હઝરત સઅદ બિન અબી વક્કાસ (રદિ.)કી દરખ્વાસ્ત પર હઝરત ઉમર (રદિ.)ને હઝરત અબ્દુલ્લાહ બિન મસ્ઊદકો કૂફહ ભેજા. વો ડેળ્હ હજાર (૧પ૦૦) આદમિયોંકી બળી જમાઅતકો સાથ લે કર ગએ ર્થાર તમામ ઈલાકએ કૂફહમેં દીન સિખાનેકા ઈિન્તજામ ફરમાયા, ફિર અહાદીસ જમ્અ કરને ર્થાર સિખનેકા રવાજ હો ગયા તો ઉનકે ઝરીએસે દીન લિખ્ખા ગયા, ફિર મદારિસ કાઈમ કિએ ગએ, ઉન્કે ઝરીએસે લિખ્ખા ગયા ર્થાર ઈસ જૈસે તરીકે સબ જાઈઝ હૈં ર્થાર મુફીદ સાબિત હૂએ, લેકિન અવ્વલ અવ્વલ જો તરીકા થા વોહ બિલા કિતાબકે હી થા ર્થાર હર ઝમાનેમેં બિલા કિતાબ હી સીખને ર્થાર સિખાનેકા દસ્તૂર બાકી રહા, અગર ચે કરને ઉલાકી તરહ નહી થા, મગર ફના કભી નહી હુવા, અબ તબ્લીગી જમાઅતકી મસાઈ (કોશિષોં)સે અલ્લાહ પાકને ફિર ઉસ તરીકેકો રવાજે આમ દે દિયા….. લિહાઝા યેહ કેહના ભી દુરુસ્ત હે કે યેહ નબીયોંવાલા કામ હે યા”ની બગૈર મદ્રસહ વ કિતાબકે ઝબાની દીન સીખને ર્થાર સિખાનેકી કોશિષ કરના.” (“ફતાવા મહમૂદિય્યહ” ૧ / ૪૩૮)

                હઝરત મવલાના મુહમ્મદ ઇલ્યાસ (રહ.)ના એક મલફૂઝથી પણ આ વાત સ્પષ્ટ થઈ જાય છે કે તેઓ પોતાને તા”લીમ અને તબ્લીગના બાની અને સ્થાપક ન માનતા હતા, બલ્કે તેઓ તેના પ્રચારક હતા અને તા”લીમ તબર્િયતના નબવી તરીકાને જીવંત અને સામાન્ય કરવા ચાહતા હતા, તેઓનું મંતવ્ય છે કે “દીનકી ઉમૂમી તઅલીમ વ તબર્િયતકા જો તરીકા હમ અપની ઈસ તહરીકકે ઝરીએ રાઈજ કરના ચાહતે હેં સિર્ફ વોહી તરીકા હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)કે ઝમાનેમેં રાઈજ થા ર્થાર ઈસ તર્ઝસે વહાં આમ તોર પર દીન સીખા ર્થાર સિખાયા જાતા થા, બાદમેં જો ર્થાર તરીકે ઈસ સિલસિલેમેં ઈજાદ હૂએ મસલન્ તસનીફ વ તઅલીફ ર્થાર કિતાબી તા”લીમ વગેરહ, સો ઉનકો ઝરૂરતે હાદિસહને પેદા કિયા, મગર અબ લોગોંને સિર્ફ ઈસીકો અસલ સમજ લિયા હે ર્થાર હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)કે ઝમાનેકે તરીકે કો બિલકુલ ભુલા દિયા ગયા હે, હાલાં કે અસલ તરીકહ વોહી હે ર્થાર ઉમૂમી પૈમાને પર તા”લીમ વ તર્તિયત સિર્ફ ઈસી તરીકે સે દી જા સકતી હૈ.”

(“મલફૂઝાત હઝરત મૌલાના મુહમ્મદ ઇલ્યાસ રહ.”)

Log in or Register to save this content for later.