[૩૦] ગૈર કૌમના રીત રીવાજો કરનાર સાથે નિકાહ

Chapter : કુફ્ર અને શિર્ક

(Page : 103)

સવાલ : જે ઓરતની શાદી એટલે કે નિકાહ એવા મર્દ સાથે થયા હોય કે તેના બધા જ રીત રિવાજો ગૈર કૌમ જેવા હોય તો તેવા મર્દ સાથે નિકાહ થઈ શકે કે કેમ ?

જવાબ : જયાં સુધી એવું કોઈ કામ તે ન કરે અથવા એવી કોઈ વાત તેના મોઢેથી ન નીકળે જેનાથી તેનું કાફિર હોવું સાબિત થાય ત્યાં સુધી ફકત ઘરમાં ગૈર કૌમ જેવી રહેણી-કહેણીના કારણે તેને કાફિર કહેવામાં નહિ આવે. હાં, તેવો માણસ ફાસિક અને બદકાર ગણાશે. બાલિગ છોકરી અને તેના વાલીની ખૂશી વગર તેના સાથે નિકાહ પઢાવવા જાઈઝ નથી.   [“શામી” : ર / ર૮૯, ર૯૬] Log in or Register to save this content for later.