Chapter : નમાઝ
(Page : 286)
સવાલ :– ઉમ્મતમાં જોડ થાય એ માટે મજમૂઈ તોર પર ઈદની નમાઝ બાદ મસ્જિદમાં અથવા મસ્જિદ બહાર મુસાફહ, મુઆનકહ કરવો કેવું છે?
જવાબ :– માત્ર ઈદની ખુશીની બુનિયાદ પર મુસાફહ અને મુઆનકહ કરવો બિદઅત અને બેબુનિયાદ છે. હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) એ પરસ્પર ખાવું ખવડાવવાને, એક બીજાથી મળે ત્યારે સલામ કરવાને અને પરસ્પર બખ્શિશ ભેટ આપવાને આપસમાં મુહબ્બત પેદા થવાનું અને વધવાનું માધ્યમ ફરમાવ્યું છે, તેમાં ઈદના મુસાફહ અને મુઆનકહનું કોઈ વર્ણન નથી.(ફતાવા મહમૂદિય્યહ, ભાગ–ર)
Log in or Register to save this content for later.