[૧૪૩] શહીદનું કોઈની મદદ માટે આવવું

Chapter : મોત, કબ્ર, પુનર્જીવન

(Page : 389 TO 390)

સવાલ : કેટલાક લોકોનું કહેવું છે કે શહીદોને અલ્લાહ તરફથી હુકમ આપવામાં આવે છે કે ફલાણી જગ્યાએ ફલાણી વ્યિકત પરેશાન છે તેને મદદ કરી આવો, તો શું શહીદોને અલ્લાહ તરફથી હુકમ થાય છે ? અને તે હુકમ થયા બાદ તે શહીદો તે વ્યિકત અને તે જગ્યાએ મદદ માટે પહોંચી જઈ મદદ કરી પોતે પોતાની કબ્રમાં પાછા ફરે છે. શું આવું બની શકે છે ?

જવાબ : કુર્આન, હદીસ, અકાઈદ અને ફિકહની કિતાબોમાં શહીદો માટે આવી હકીકતનું વર્ણન જોવા મળ્યું નથી, માટે આવું મંતવ્ય બિન પાયાદાર અને દલીલ વગરનું ગણાશે.

Log in or Register to save this content for later.