Chapter : મોત, કબ્ર, પુનર્જીવન
(Page : 388 TO 389)
સવાલ : રિયાઝુલ્ કુદૂસ કઈ જગાને કહેવામાં આવે છે જયાં ગુજરી જવા પછી અલ્લાહ તઆલા અમુક માણસોને રાખે છે ?
જવાબ : મૃત માણસોની રૂહોના રહેઠાણ વિશે રિયાઝુલ્ કુદૂસ નામી જગ્યાનો કોઈ ઉલ્લેખ એ વિષયને લગતી કિતાબોમાં જોવા મળતો નથી.
અલ્લામહ જલાલુદ્દીન સુયૂતી (રહ.)એ મૃત્યુ બાદ રૂહોના રહેઠાણ વિશે અનેક રિવાયતો નકલ ફરમાવી છે અને શૈખ ઇબ્ને કિય્યમ (રહ.)થી નકલ કરી લખ્યું છે કે :
રૂહોના રહેઠાણ વિશે સહીહ મંતવ્ય આ છે કે આલમે બરઝખમાં અનેક પ્રકારના લોકોની રૂહોનું રહેઠાણ અલગ અલગ હોય છે. સઆદત અને શકાવતનાં વિવિધ તબકકાઓ મુજબ રૂહોનું રહેઠાણ પણ અલગ અલગ હોય છે.
૦ અમુક રૂહો જેમકે : હઝરાતે અમ્બિયા અલયહિમુસ્સલામની રૂહો આ”લા ઇિલ્લય્યીનના મલએ આ”લા તબકામાં હોય છે.
૦ અમુક રૂહો લીલા પક્ષાીઓના પોટાઓમાં હોય છે. જેમકે : અમુક શહીદોની રૂહો,
૦ અમુક રૂહો જન્નતના દરવાજા પર હોય છે.
૦ અમુક રૂહો જમીનમાં જ રોકાયેલી રહેછે.
૦ અમુક રૂહો વ્યભિચારીઓના તન્નૂરમાં હોય છે, અને
૦ અમુક રૂહો લોહીની નહરમાં હોય છે.હાસિલ આ કે બઘી રૂહોનું રહેઠાણ એક જગ્યાએ હોતું નથી. [“શહર્ુસ્સુદૂર” : ૧૦પ] Log in or Register to save this content for later.