Chapter : કુફ્ર અને શિર્ક
(Page : 102 to 103)
સવાલ : કોઈ પણ ખૂશીના પ્રસંગે હિન્દૂ સમાજ મંદિરમાં પોતાની માનતા ઉતારવા માટે જાય અને આ માનતા ઉતારવાની મુસ્લિમોને ખબર હોય છતાં તેમના માનતાના કર્તવ્ય માટે સાથે જાય અને માનતાનું કાર્ય પૂરું થાય ત્યાં સુધી હિન્દૂ સમાજની સાથે જ રહે તો આવા મુસલમાનના ઉપર શરીઅત મુજબ કયા પ્રકારનો ગુનાહ લાગુ પડશે ?
ઉપર લખેલા સવાલોના ઉપર કયા પ્રકારના ગુનાહ લાગુ પડશે ? ઇસ્લામ મઝહબ મુજબ તેવા મુસ્લિમો કયા પ્રકારના ગુનેહગાર ગણાશે ?
જવાબ : ઉપર લખવા મુજબ ગૈર મુસ્લિમોના ધાર્મિક કાર્યક્રમોમાં શરીક થવું હરગિઝ જાઈઝ નથી. અને આવા મઝહબી કાર્યક્રમમાં તમાશા રૂપે પણ શરીક ન થવું જોઈએ અને જો આવા કાર્યક્રમો અને ધાર્મિક વિઘીઓને સારી સમજીને અને માનની નજરે શરીક થશે તો ઈમાન બરબાદ થવાનો ભય છે.
Log in or Register to save this content for later.