Chapter : હઝરાત સહાબએ કિરામ (રદિ.)
(Page : 190)
સવાલ : આ શેઅર જે અત્રે નકલ કરવામાં આવે છે તેનું લખવું અને પઢવું કેવું છે ? બિદઅતીઓની જેમ ગૈરુલ્લાહથી મદદ માંગવી ગણાય કે નહિ ? શું આ શેઅર તા”વીઝમાં લખવાથી ગુનાહ થશે અને તૌહીદ ઉપર કોઈ અસર પડશે ? શેઅર આ પ્રમાણેછે:
લી ખમ્સતુન્ ઉત્ફી બિહા હર્રલ્ વબાઈલ્ હાતિમહ
અલ્મુસ્તફા વલ્ મુર્તઝા વબ્નાહુમા વલ્ ફાતિમહ
જવાબ : સવાલમાં નકલ કરેલ અરબી લખાણ શેઅરની બે પંક્તિઓ છે, જેમાં આ પ્રમાણે દુઆ કરવાનો મઝમૂન છે કે આ પાંચ વ્યિકતઓ મારા નિકટના મહબૂબ લોકો છે, જેમના ઝરીઆ અને વસીલાથી હું વબા અને મુસીબતની સળગાવનારી સખત ગરમીને દૂર કરું છું. અને આ પાંચ વ્યિકતઓ હઝરત મુહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ, હઝરત અલી મુર્તઝા રદિયલ્લાહુ અન્હુ, હઝરત ફાતિમહ રદિયલ્લાહુ અન્હા અને હઝરત હસન,હુસૈન રદિયલ્લાહુ અન્હુમા છે.
મજકૂર લખાણના શિર્ક હોવા ન હોવાનો આધાર તેને લખનાર અને પઢનારની નિય્યત અને માન્યતા ઉપર મૌકૂફ છે, જો તે આ પાંચ વ્યિકતઓને મુસીબત દૂર કરવાવાળા (મુશકિલકુશા) માની તેમનાથી દુઆ કરવાની નિય્યત કરે તો એ શિર્કનું વાકય બનશે અને જો તેમના વસીલહથી અલ્લાહ તઆલાથી દુઆ કરવાની નિય્યત કરે તો એ શિર્ક નથી. પરંતુ નઝમ અને શેઅરમાં દુઆ કરવી ખિલાફે અદબ છે અને ખાસ આ પાંચ જ વ્યિકતઓને વસીલહ બનાવવા એ શિઅહપંથી લોકોનો ખાસ તરીકો છે, માટે આ દુઆને તા”વીઝમાં લખવાથી અને મૌખિક પઢવાથી બચવું એ જ એહતિયાતની વાત છે.[“ઈમ્દાદુલ્ ફતાવા” : ૪ / ૮૯] Log in or Register to save this content for later.