[૭૧] તારીખ (ઇતિહાસ)ની કિતાબોમાં સહાબએ કિરામ (રદિ.) વિશે અજુગતી વાતો

Chapter : હઝરાત સહાબએ કિરામ (રદિ.)

(Page : 188 to 189)

સવાલ : “તારીખે ઇસ્લામ” નામી કિતાબ અભ્યાસ હેઠળ છે, દિલ્હીથી પ્રગટ થઈ છે, તેના લેખક મૌલાના અકબરશાહ ખાન નજીબાબાદી છે તો આ કિતાબ મોઅતબર છે કે નહિ ? કારણકે આ કિતાબમાં હઝરાત સહાબએ કિરામ (રદિ.) વિશે અમુક વાતો એવી લખેલી છે જે તેઓના માન-મરતબાને જોતાં સમજમાં આવે એવી લાગતી નથી તો મજકૂર કિતાબ વિશે જણાવશો કે તેનો અભ્યાસ કરવો કે નહિ ?

જવાબ  : મજકૂર કિતાબનો અભ્યાસ કરવામાં તો કોઈ વાંધો નથી; પરંતુ તેનો અભ્યાસ કરતી વખતે આ દ્રિષ્ટકોણ સામે રાખવો જોઈએ કે આ તારીખ (ઇતિહાસ) વિષયની એક કિતાબ છે જેની બધી વાતોને પ્રમાણિત, વિશ્વાસપાત્ર અને સાચી માની લેવી જરૂરી નથી.

                હઝરાત સહાબએ કિરામ (રદિ.)નો માન-મરતબો અને તેઓનું ઉમ્મતની મકબૂલ વ્યિકતઓ અને ઉમ્મતની સર્વશ્રેષ્ઠ જમાઅત હોવું કુર્આન- હદીસની આધારભૂત, અતિ વિશ્વાસપાત્ર અને ઠોસ દલીલોથી સાબિત છે અને આ પુખ્ત દલીલોના મુકાબલામાં તારીખી કિતાબોની ઐતિહાસિક ઘટનાઓનું કોઈ તથ્ય નથી અને કુર્આન-હદીસથી વિરુદ્ઘ તારીખી કિતાબોની વાતોના આધારે સહાબએ કિરામની પવિત્ર અને લોકમાન્ય જમાઅત વિશે કોઈ અજુગતો અને અગમ્ય દ્રિષ્ટકોણ અપનાવવો એ એક ગલત અને નાજાઈઝ કાર્ય છે અને પોતાની આખિરતને ખરાબ કરનાર છે. (“મકામે સહાબા રદિ.”)

                શૈખુલ ઈસ્લામ મૌલાના હુસૈન અહમદ મદની (રહ.) પોતાના એક પત્રમાં આ બાબત એક બુિદ્ઘગમ્ય અને સર્વમાન્ય સુવર્ણ નિયમ આ પ્રમાણે લખે છે કે,

                ““સહાબએ કિરામ (રદિયલ્લાહુ અન્હુમ)કી શાનમેં જો આયાત વારિદ હેં વોહ કતઈ (મજબૂત ર્થાર યકીની) હેં, જો અહાદીસે સહીહા ઉનકે મુતઅિલ્લક વારિદ હેં વોહ અગરચે ઝન્‍ન હેં, મગર ઉનકી અસાનીદ ઈસ કદર કવી હેં કે વારીખકી રિવાયાત ઉનકે સામને હેચ (તુચ્છ) હેં, ઈસ લિયે અગર કિસી તારીખી રિવાયતમેં ર્થાર આયાત વ અહાદીસે સહીહામેં તઆરુઝ (એક દૂસરેકે ખિલાફ) વાકિઅ હોગા તો તારીખકો ગલત કેહના ઝરૂરી હે.(“મકતૂબાતે શૈખુલ ઈસ્લામ” ૧ / રપ૮)

Log in or Register to save this content for later.