[૧૪૧] દફનાવેલ મય્યત જીવતી થઈ શકે ?

Chapter : મોત, કબ્ર, પુનર્જીવન

(Page : 386 to 388)

સવાલ : હાલ સાપ્તાહિક પેપર “ઉમ્મીદ” તા. ર / ૯ / ૧૯૯ર ના અંકમાં અમદાવાદ જમાલપૂરની એક મુસ્લિમ ફેશનેબલ છોકરી વિષે આવ્યું છે કે :

                એક કુંવારી અને નવયુવાન છોકરી જે ખૂબ જ ફેશનેબલ રહેતી હતી અને માલદાર મા-બાપની દીકરી હોવાના કારણે સવારમાં ઉઠતાંની સાથે જ બનાવ શણગાર કરતી, નિત-નવી ફેશનના કપડાં પહેરતી હતી. એ છોકરી અચાનક એક દિવસે મરી ગઈ અને તેણીને શહેરના કબ્રસ્તાનમાં દફનાવવામાં આવી.

                આધારભૂત સ્થળેથી એવું જાણવા મળે છે કે આ છોકરીને દફન કરી  દીધા પછી લગાતાર ત્રણ રાત્રીઓ સુધી તેની માને એ છોકરીનો અવાજ સંભળાતો રહ્યો અને સ્વપ્નમાં એ છોકરી દેખાતી રહી અને પોતાની માને  કહેતી રહી કે,

                “મા, હું જીવું છું, મને કબરમાંથી બહાર કાઢો.”

                આ છોકરીની માનું કહેવું છે કે હું આ બનાવથી ગભરાઈ ગઈ હતી. મને કબર ખોલી છોકરીને બહાર કાઢતાં ડર લાગતો હતો. છતાંયે માની મમતા ઓગળી અને તેણી, તેનો શોહર અને ભાઈ તેમજ મોહલ્લાવાસીઓને જોડે લઈ ચોથા દિવસે બે પોલીસોની રૂબરૂ કબર ખોલાવી. કબરમાં એ  છોકરી જીવતી હતી. પણ તેનો એવો ઇબ્રતનાક હાલ હતો કે તેના વાળ પર બે કાળા નાગ, ચહેરા પર છિપકલી અને આંગળીઓના નખો પર જયાં એ લાલી લગાડતી હતી ત્યાં વીછીઓ ચોંટેલા હતા.

                અસરની નમાઝ બાદ આ તમામ મૂઝી જાનવરો મરનાર છોકરીની લાશ પરથી હટી ગયા. પોલીસે બેહોશ છોકરીને કબરમાંથી કાઢીને વાડી ચેરીટેબલ હોસ્પીટલના વોર્ડમાં દાખલ કરી, જયાં તેણીની સારવાર ચાલી રહી છે. છોકરીનો એક હોઠ ગુમ થઈ ગયો છે.

                જયારે એ છોકરી ભાનમાં આવી ત્યારે તેણે કહ્યું  કે :          હું ફકત ૧પ (પંદર) દિવસ માટે આવી છું. તમો બધાં નમાઝ પઢો, રમઝાનમાં રોઝહ રાખો. સાંભળનારાઓને બસ આટલું જ સંભળાયું.

                તો સવાલ આ છે કે શું મરણ પામવા પછી કબરમાંથી પાછું આવી શકે ? મરવા પછી કોઈ દુનિયામાં પાછું આવી શકતું નથી.

જવાબ : કોઈ માણસના મૃત્યુ પામ્યા પછી ખરેખર સામાન્ય રીતે તે આ દુનિયામાં ફરીવાર જીવતો થતો નથી. અને સામાન્ય રીતે મૃત વ્યિકતને આ દુનિયામાં પાછા ફરવાની ઈજાઝત પણ હોતી નથી.                 [“શહર્ુસ્સુદૂર”]

                પરંતુ અગર સામાન્ય નિયમ વિરુદ્ઘ અગર કોઈ મૃત વ્યિકતને અલ્લાહ તઆલા તરફથી સજીવન થઈ દુન્યામાં આવવાની ઈજાઝત મળી જાય તો એ શકય છે. અકીદહની રૂએ અશકય અને મહાલ નથી.

                હઝરત ઈસા અલયહિસ્સલામનું મુઅજિઝહ રૂપે મૃતકોને જીવતા કરવું કુર્આન-હદીસથી સાબિત છે અને એવી  અદ્ભૂત ઘટનાઓ હઝરત રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમથી પણ સાબિત છે.

                હઝરત ઇબ્રાહીમ અલયહિસ્સલામની દરખ્વાસ્ત પર અમુક પક્ષાીઓનું મર્યા પછી અલ્લાહના હુકમથી જીવતા થઈ જવાનો કિસ્સો પણ કુર્આન શરીફમાં મવજૂદ છે.      [“ફતાવા મહમૂદિય્યહ” : ૧ર / ૪ર૯]

                કોઈ મૃત વ્યિકત કોઈ હયાત વ્યિકતને પોતાની હાલત ખ્વાબમાં જણાવે એ પણ સાબિત અને શકય છે.         [“શર્હે સુદૂર”]

                પરંતુ આવા ખ્વાબના કારણે કબ્ર ખોદવી દુરુસ્ત નથી. કબ્રમાં મિય્યતને દફન કર્યા પછી કબ્રના હાલાત શરૂ થઈ જાય છે. અમુક વખત હાલત સારી નથી હોતી તો મિય્યત વિષે બદગુમાની અને બદગોઈ થાય છે. અમુક વખત કબ્રની ભયાનક હાલત જોઈને કબ્ર ખોદનાર ઉપર વબાલ આવે છે. તે પાગલ અથવા બેચેન થઈ જાય છે. માટે આવું સ્વપ્નું જોઈને કબ્ર કદી ન ખોદવી જોઈએ.                 [“ફતાવા મહમૂદિય્યહ” : ૧ર / ૩૩૮] Log in or Register to save this content for later.