[૧૭ર] દલીલ વગર બદ્ગુમાની ગુનાહ છે

Chapter : ઇલ્મ

(Page : 456)

સવાલ : કોઈ માણસ વિષે સૂએઝન્‍ન (બદ્ગુમાની) કરવું કેવું છે ?

જવાબ : જે મુસલમાન ઝાહિરી હાલતથી નેક માલૂમ પડે તેના વિશે કોઈ મજબૂત દલીલ વગર બદ્ગુમાની કરવી હરામ છે.

                હઝરત અબૂ હુરૈરહ (રદિયલ્લાહુ અન્હુ)થી રિવાયત છે કે હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)એ ફરમાવ્યું કે, “ગુમાનથી બચો, કારણ કે ગુમાન જૂઠી વાત છે.”

                આ હદીસમાં ગુમાનથી મુરાદ કોઈ મુસલમાન વિશે કોઈ સચોટ દલીલ વગર બદ્ગુમાની કરવી છે. (“મઆરિફુલ કુર્આન” : ૮ / ૧૯૧)

Log in or Register to save this content for later.