[૧૭૦] શેખ અહમદના ખ્વાબની પત્રિકા

Chapter : ખ્વાબ અને તાબીર

(Page : 440-450)

સવાલ : આજકાલ “ખાસ જરૂરી એલાન”ના શીર્ષકથી છપાયેલી એક પત્રિકા જોવા મળે છે, જેમાં મદીનહ મુનવ્વરહના કોઈ શેખ અહમદ તરફથી વસિય્યતનામુ બહાર પાડવામાં આવ્યું છે. આ વસિય્યતનામામાં તેઓએ પોતાના એક ખ્વાબનું (સ્વપ્નનું) વર્ણન કયુઁ છે જેનો ખુલાસો આ છે કે,

                હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ની તેઓને ખ્વાબમાં ઝિયારત થઈ અને આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે તેઓને ઉમ્મતની વર્તમાન પરિિસ્થતી બતાવી કે :

                આ સપ્તાહમાં સાઠ (૬૦) હજાર માણસો મૃત્યુ પામ્યા,જેમાં એક પણ ઈમાનવાળો ન હતો,  ઓરત પોતાના પતિની સેવા નથી કરતી,અવલાદ મા-બાપનું કહેવું નથી માનતી, ઓરતોએ પદર્ો છોડી દીધો છે,માલદારો ગરીબોનો ખયાલ નથી રાખતા અને હજ માટે નથી જતા, કિયામત નજીક છે,    તવબહનો દરવાજો બંધ થઈ જશે.

                વળી આ વસિય્યતનામુ પ્રગટ કરવાની અને વહેંચવાની ફઝીલત પણ લખી છે કે આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે ફરમાવ્યું કે,“જે માણસ આ વસિય્યતનામુ પઢીને તેની નકલો બીજા સુધી

                પહોંચાડશે તો કિયામતના દિવસે હું તેની શિફારિશ કરીશ અને તેના કુટુંબોને જન્‍નતુલ ફિરદોસમાં જગ્યા અપાવીશ અને જે આવું નહી કરે તે ખુદાની રહમતથી મહરૂમ રહેશે. ગરીબ છપાવીને વહેંચશે તો ખુદા તઆલા તેને માલદાર બનાવી દેશે, દેવાદાર આ પત્રિકા વહેંચશે તો તેનું કર્ઝ અદા થઈ જશે,  મુરાદવાળાઓની મુરાદ પૂરી થશે.”

                વળી છેલ્લે આ પત્રિકા વિશે લખ્યું છે કે,  એક માણસે સો (૧૦૦) પ્રતો છપાવીને વહેંચી તો તેને વીસ હજારનો ફાયદો થયો, એક માણસે આ વસિય્યતનામાને જૂઠું સમજયું તો તેને પોતાના દીકરાથી હાથ ધોવા પડયા.

                જે માણસ આ પત્રિકાને રાખી મૂકીને વહેંચશે નહિ તે રંજ-ગમ જોશે.

                તો સવાલ આ છે કે આ શેખ અહમદ કોણ છે ? અને આ પત્રિકા વિશ્વાસપાત્ર છે કે નહિ ? અને તેમાં લખેલી વાતોને સત્ય અને આધારભૂત માની શકાય કે નહિ અને પત્રિકા છપાવી વહેંચવાની જે ફઝીલત લખી છે અને તેને જૂઠ સમજનાર અને ન વહેંચનાર માટે જે વઈદ અને સજા લખી છે તે બરાબર છે કે નહિ ? અને પત્રિકાને છપાવી વહેંચવાની મજકૂર ફઝીલત અને વઈદ સત્ય માનવી અને પત્રિકા છપાવવી જાઈઝ છે કે નહિ ?

જવાબ : હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ની ખ્વાબમાં ઝિયારત થવી મોટી નેકબખ્તી છે અને આપ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ની ખ્વાબમાં ઝિયારત શકય અને સાબિત છે અને જેને ખ્વાબમાં આપ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ની ઝિયારત થાય છે તે ખ્વાબ સત્ય હોય છે અને તેમાં ખ્વાબ જોનાર ખરેખર હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ને જ જુએ છે, કારણકે હદીસ શરીફમાં છે કે શયતાન આપ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)નું રૂપ ધારણ કરી શકતો નથી. અલ્લાહ તઆલાના ઘણા નેક બંદાઓને ખ્વાબમાં હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ની ઝિયારત થઈ છે અને થાય છે; પરંતુ ગેરનબીનો ખ્વાબ શરઈ દલીલ અને હુજજત નથી અને ખ્વાબમાં હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)થી સાંભળેલી કોઈ એવી વાત જે કુર્આન અને હદીસના અનુરૂપ ન હોય તે મોઅતબર (વિશ્વાસપાત્ર) નથી અને તેવી વાતને ખ્વાબ જોનારના સાંભળવા અને સમજવાની ભૂલ ગણવામાં આવશે. (“ફત્હુલ મુલ્હિમ” : ૧ / ૧૪૦)

                સવાલમાં જે પત્રિકાનું વર્ણન છે તેમાં લખવામાં આવેલી મોટા ભાગની વાતો અને ખ્વાબ મનઘડત, બનાવટી, જૂઠ અને પાયાહીન છે. ભૂતકાળમાં પણ શેખ અહમદના ખ્વાબની પત્રિકાઓ છપાઈ ચૂકી છે અને મદીનહ મુનવ્વરહના રહેવાસી ઉલમાએ કિરામ અને હાજીઓની તપાસ અને તલાશ મુજબ ન પહેલાં ત્યાં કોઈ આવો ખ્વાબ જોનાર શેખ અહમદ હતા અને ન હાલ એ નામના મજકૂર ખ્વાબ જોનાર કોઈ માણસ મવજૂદ છે અને ન બીજા કોઈ માણસે આવો ખ્વાબ જોવાની કોઈ ઘટના બની છે અને ઘણા લોકોના પ્રત્યક્ષા અનુભવથી પત્રિકાની વાતો ગલત પુરવાર થઈ છે.

                હકીકતમાં ખ્વાબનો વુજૂદ ન હોવા છતાં માત્ર જૂઠો ખ્વાબ ઘડીને બયાન કરવો એ જાગૃતાવસ્થામાં જૂઠ બોલવાથી પણ વધુ મોટા અને સખત ગુનાહનું કામ છે, કારણકે સત્ય ખ્વાબ વહીનો એક પ્રકાર હોવાથી હદીસ શરીફમાં તેને નુબુવ્વતનો છેંતાળીસમો ભાગ બતાવવામાં આવ્યો છે અને વહી અલ્લાહ તઆલા તરફથી હોય છે. માટે જૂઠો ખ્વાબ ઘડનાર સમજો કે અલ્લાહ તઆલા પર જૂઠ ઘડી રહ્યો છે અને જાહેર છે કે મખલૂક પર અથવા પોતાની જાત પર જૂઠ ઘડવા કરતાં અલ્લાહ તઆલા પર જૂઠ ઘડવું અને જૂઠી વાતની નિસબત કરવી વધુ ભયંકર અને સખત જૂઠ છે. (“મિરકાત” : ૮  / ૩૩ર)

                હદીસ શરીફમાં ઉપજાવી કાઢેલ જૂઠા ખ્વાબની સખત બુરાઈ અને વઈદ આવેલી છે. બુખારી શરીફમાં હઝરત ઇબ્ને અબ્બાસ (રદિ.)ની હદીસ છે કે, તેઓએ હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ને ફરમાવતા સાંભળ્યા કે,

                “જે માણસે એવા ખ્વાબનો દા”વો કર્યો જે તેણે જોયો નથી તો તેને (કિયામતના દિવસે)એ વાતનો હુકમ આપવામાં આવશે કે જવના બે દાણાઓ વચ્ચે ગાંઠ વાળી આપે અને તે માણસ કદી આ કાર્ય કરી શકશે નહિ.”  (“મિશ્કાત” : ૩૮૬)

                બુખારી શરીફની બીજી હદીસમાં હઝરત ઇબ્ને ઉમર (રદિ.) નકલ કરે છે, હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)નું ફરમાન છે કે, “સૌથી મોટા જૂઠોમાંથી એક આ છે કે માણસ પોતાની આંખોથી એવી વસ્તુ જોવાનું બયાન કરે જે ખરેખર તેની આંખોએ જોઈ નથી (એટલે કે પોતાનો જૂઠો ખ્વાબ બયાન કરે.)”     (“મિશ્કાત શરીફ” : ૩૯૭)

                આ તો સામાન્ય જૂઠા ખ્વાબની વઈદ છે, પરંતુ એવો જૂઠો ખ્વાબ કે જેમાં હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) તરફ જૂઠા ખ્વાબની વાતોની નિસબત કરવામાં આવી હોય એ તો ડબલ ગુનાહિત કૃત્ય છે. એક તો જૂઠો ખ્વાબ ઘડવો અને બીજું આપ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) તરફ ખ્વાબની વાતોની જૂઠી નિસબત, માટે એ તો વિશેષ રીતે હરામ અને સજાપાત્ર છે.

                બુખારી શરીફની હદીસમાં હઝરત અબ્દુલ્લાહ બિન અમ્ર (રદિ.) નકલ કરે છે કે હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)નું ફરમાન છે કે,“જે માણસ ઇરાદાપૂર્વક જૂઠી વાતની મારી તરફ નિસબત કરે તેણે દોઝખની આગમાં પોતાનું ઠેકાણું બનાવી લેવું જોઈએ.”  (“મિશ્કાત શરીફ” : ૩ર)

                દરેક સાંભળેલી વાતને તહકીક (તપાસ) કર્યા વિના બયાન કરવાથી શરીઅતે મનાઈ ફરમાવી છે, કારણકે બધી સાંભળેલી વાતો સાચી હોતી નથી, તેમાં ઘણી વાતો પાયાહીન અને વુજૂદ વગરની હોય છે અને વુજૂદ વગરની વાતો નકલ કરવી એ જૂઠ છે, માટે દરેક સાંભળેલી વાતનો પ્રચાર કરનાર જૂઠો ઠરે છે.        (“ફત્હુલ મુલ્હિમ” : ૧ / ૧રપ)

                કુર્આન શરીફમાં દરેક પાયાહીન,અપ્રમાણિત અને અવિશ્વસનીય વાતનો પ્રચાર,પ્રસાર કરવાને મુનાફિકીનની અથવા કમઝોર ઈમાનવાળાઓની ખસલત બતાવવામાં આવી છે અને હદીસ શરીફમાં બિન પાયેદાર જૂઠી વાતનો પ્રચાર-પ્રસાર કરનારને જૂઠો કહેવામાં આવ્યો છે.

                અલ્લાહ તઆલા ફરમાવે છે,

وَإِذَا جَاءَهُمْ أَمْرٌ مِنَ الْأَمْنِ أَوِ الْخَوْفِ أَذَاعُوا بِهِ

                અર્થ : અને જયારે તેઓની પાસે કોઈ શાંતિ-સંતોષની અથવા ભયની ખબર પહોંચે છે તો તેને ફેલાવી આપે છે.

                આ આયતના અનુસંધાનમાં હઝરત મૌલાના મુફતી મુહમ્મદ શફીઅ સાહબ (રહ.) “તહકીક વગરની વાતો ફેલાવવી ગુનાહ અને મોટો ફિત્નો છે”ના શીર્ષક હેઠળ તફસીરે ઇબ્ને કસીર (રહ.)થી નકલ કરીને લખે છે કે,

                આ આયતથી માલૂમ પડયું કે દરેક સુની-સુનાઈ વાતને તહકીક (તપાસ) વગર બયાન ન કરવી જોઈએ, જેમ કે રસૂલે કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)એ એક હદીસમાં ફરમાવ્યું છે કે કોઈ માણસને જૂઠો પુરવાર થવા માટે માત્ર આટલી વાત પૂરતી છે કે તે દરેક સુની-સુનાઈ વાત તહકીક વગર બયાન કરી દે.

                એક બીજી હદીસમાં છે કે આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે ફરમાવ્યું,  “જે માણસ કોઈ એવી વાત બયાન કરે જેની બાબત જૂઠ હોવાની તેને ખબર છે તો બે જૂઠાઓમાંથી (એક મૂળ જૂઠ બોલનાર અને બીજો તે જૂઠને નકલ કરનાર) તે માણસ પણ એક જૂઠો છે.          (“મઆરિફુલ કુર્આન” : ર / ૪૯ર)

                મજકૂર લખાણવાળી પત્રિકા જુદા જુદા શીર્ષકથી થોડા ફેરફાર સાથે ભૂતકાળમાંય છપાય ચૂકી છે. આગલા મહાન મુફતી હઝરાતના ફતાવાઓના અભ્યાસથી જણાય છે કે આવી પત્રિકા લગભગ પાછલા એક સો વર્ષોથી પણ વધુ મુદ્દતથી અવાર-નવાર છપાતી રહી છે અને જે તે વખતના મુફતિયાને કિરામે મજકૂર પત્રિકાના બનાવટી અને જૂઠ હોવાના અને તેના પ્રચાર-પ્રસારના હરામ હોવાના ફતાવા આપ્યા છે અને વખત જતાં તેમાં દર્શાવેલી આગાહીઓ જૂઠી પુરવાર થઈ ચૂકી છે તો આવો બનાવટી અને જૂઠો ખ્વાબ ઘડવા અને તેને પ્રગટ કરવા પાછળ કયા પરિબળો કામ કરી રહ્યા છે અને કયા નાપાક ઇરાદાઓથી આ ખ્વાબ ઉપજાવવામાં આવ્યો છે તેની વિગત સમજવા માટે અમુક મહાન મુફતિયાને કિરામના ફતવાઓ રજૂ કરવામાં આવે છે. કે જેથી હવે પછી ઇસ્લામ દુશ્મન ભેજાઓની ધોકાબાજીઓ અને ધર્મશત્રુ કાવતરાકારોની ચાલબાજીઓથી ભોળાભાળાં મુસ્લિમ ભાઈઓ સાવધ રહીને આવી વુજૂદ વગરની વાતોને સત્ય સમજવાથી અને મનઘડત ફઝીલત, સવાબ, દુન્યવી લાભ અને બનાવટી વઈદ તથા નુકસાનોની ધમકીને સાચી માનવાથી અળગા રહે અને આવી નિરર્થક, નકામી અને નાજાઈઝ પ્રવૃત્તિઓથી બચતા રહે તથા પોતાના માલ, સમય અને મહેનતની કિમતી પૂંજી વ્યર્થ અને હરામ કામોથી બચાવી તેને સાર્થક, લાભદાયી અને હેતુલક્ષાી સવાબના કામોમાં ખર્ચ કરે.

                “અલ જમ્ઈય્યત” (ત્રિદિવસીય ઉર્દૂ પેપર)ના ૧૪, એપ્રિલ ૧૯ર૮ ઈ.સ. મુતાબિક ર૩, શવ્વાલ ૧૩૪૬ હિ.સ.ના અંકમાં મજકૂર શેખ અહમદના ખ્વાબની પત્રિકા (ફરમાને મુસ્તફવીના મથાળાથી)ની નકલ અને તેના વિશે હઝરત મૌલાના મુફતી કિફાયતુલ્લાહ સાહબ (રહ.)ને પૂછાયેલો સવાલ અને હઝરત મુફતી સાહબનો જવાબ છપાયો હતો. મજકૂર પત્રિકામાં અમુક આગાહીઓ સાલની નિયુક્તિ સાથે આ પ્રમાણે છપાઈ હતી.

૦      “ર્થાર સન હિજરી ૧૩૪૦ મેં ઓરત અપને ખાવિંદકી બેઈજાઝત ઘરસે બાહર જાએગી.

૦      ર્થાર સન હિજરી ૧૩પ૦ મેં એક નિશાની મુરગી કે અંડે કે માનિંદ દિખાઈ દેગી.

૦      ર્થાર સન હિજરી ૧૩૬૦ મેં તીન દિન ર્થાર તીન રાત આફતાબ ગુરૂબ રહેગા, ઉસકે બાદ મિગ્રબસે તુલૂઅ હોગા ઉસ વકત તવબહ કે દરવાઝે બંદ હો જાએંગે.

૦      ર્થાર સન હિજરી ૧૩૮૦ મેં હાફિઝોંકે સીનેસે કુર્આન શરીફ નિકલ જાએગા, યાદદાશ્ત કમઝોર હો જાએગી ર્થાર મસીહ ર્થાર દજજાલ ઝાહિર હોંગે.”

                જાહેર છે કે આ આગાહીઓ કુર્આન-હદીસ વિરુદ્ઘ છે. કુર્આન મજીદ અને હદીસ શરીફમાં આ પ્રમાણે કિયામતની નિશાનીઓનું કોઈ વર્ણન નથી અને આ નિશ્ચિત વર્ષો વીતી ગયા છતાં આ આગાહીઓ સાચી પડી નથી, એટલે જ તે પછી છપાતી આ બનાવટી પત્રિકામાં આ આગાહીઓ છપાઈ નથી. તો આ પ્રમાણે આવી જૂઠી વાતોની હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) તરફ નિસબત કરી તેના ગલત સાબિત થવાથી આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે ફરમાવેલી કિયામતની સત્ય નિશાનીઓ અને ખુદ કિયામત વિશે મુસ્લિમોના અકીદામાં દગદગો પેદા કરવાનો હેતુ હોય એવું જણાય છે.

                માટે હઝરત મૌલાના મુફતી કિફાયતુલ્લાહ સાહબ (રહ.)એ જવાબ લખ્યો હતો કે, “આ વસિય્યતનામુ અને આ જ પ્રકારના (બીજા) વસિય્યત – નામાઓ જે લાંબી મુદ્દતથી પ્રગટ કરવામાં આવે છે, બિલકુલ વિશ્વાસપાત્ર નથી. શેખ અહમદ, એક મનઘડત નામ છે, પૂરી ઘટના ફકત બનાવટી અને ઘડેલી છે. ચાહે તો આ પ્રવૃત્તિ ઇસ્લામ દુશ્મનોની છે કે તેઓ મુસ્લિમોના અકીદાઓ બગાડવા આ પ્રકારની બેબુનિયાદ વાતો ફેલાવે છે અથવા તો બેખબર અને જાહિલ મુસ્લિમોનું કામ છે, જેઓ ઇસ્લામી ઉસૂલથી નાવાકિફ અને    બેખબર છે…કોઈ મુસલમાન માટે તેનું છપાવવું અથવા ફેલાવવું અથવા તેને વાંચીને બીજાઓને સંભળાવવું હલાલ નથી, બલ્કે જેને પત્રિકા મળે તેના માટે તેને મિટાવી દેવું જરૂરી છે.”

                “અલ જમ્ઈય્યત” (ત્રિદિવસીય ઉર્દૂ પેપર)ના ર૪, જૂન ઈ.સ. ૧૯૩૪ ના અંકમાં હઝરત મુફતી સાહબ (રહ.)નો આ પત્રિકા વિશે બીજો જવાબ છપાયો છે જેમાં છે કે,

                “આ જાહેર પત્રિકા જેનું મથાળું “ફરમાને મુસ્તફવી” છે જે  લાંબા સમયથી હિન્દુસ્તાનમાં પ્રગટ અને પ્રસાર થાય છે, લગભગ પીસ્તાળીસ (૪પ) વર્ષોથી તો હું જોઈ રહ્યો છું, શરૂમાં તેનું પ્રસારણ ગાલિબ ગુમાન છે કે કોઈ ઇસ્લામ દુશ્મને કયુઁ હશે, પછી ભોળાભાળા મુસ્લિમો અજ્ઞાનતાથી ફસાઈ ગયા, અને (હવે) કોઈ ન કોઈ મુસલમાન તેને છપાવીને ફેલાવે છે, તેનું   લખાણ શરીઅતના ઉસૂલ વિરુદ્ઘ છે અને તેના પર યકીન રાખવું જહાલત અને ગુનાહ છે.”  (“કિફાયતુલ મુફતી” : ૧ / ૩૬૪)

                મહાન બુઝુર્ગ હઝરત મૌલાના મુફતી ખલીલ અહમદ સાહબ સહારનપૂરી (રહ.) (જેઓ શવ્વાલ સન હિજરી ૧૩૪૪ માં મદીનહ મુનવ્વરહ ગયા અને ૧પ રબીઉસ્સાની ૧૩૪૬માં મદીનહમાં જ વફાત પામ્યા અને મુબારક કબ્રસ્તાન જન્‍નતુલ બકીઅમાં દફન થયા) હઝરત (રહ.)નું મંતવ્ય મજકૂર પત્રિકા વિશે આ પ્રમાણે લખવામાં આવ્યું છે કે,

                “મુસલમાનોને શું થઈ ગયું છે કે વિના તહકીકે તેને ફરમાને મુસ્તફવી સમજીને ફેલાવવા અને સવાબનું કામ સમજવા લાગ્યા, આ તો કોઈ યહૂદી અથવા ગેર મુસ્લિમનું ગેર મુસ્લિમોને ઇસ્લામ સ્વીકારવાથી રોકવાનું કાવતરું છે કે જયારે પહેલેથી ઇસ્લામ લાવેલા ખાનદાની મુસલમાન આટલી મોટી સંખ્યામાં કાફિર થઈને મરણ પામ્યા તો ગેર મુસ્લિમ કઈ આશાએ ઇસ્લામ સ્વીકારે, અને મુસ્લિમોને (આ કાવતરા વડે ઇસ્લામથી) નફરત અપાવે છે કે જયારે (પોતાના) ઇસ્લામથી કોઈ લાભ જ નથી તો દુન્યાની લિજજત અને મોજશોખ શા માટે છોડે.” (“તઝ્કિરતુલ ખલીલ” : ૩૦૩)

                આખરી સમયમાં જયારે આપ મદીનહ મુનવ્વરહમાં રહેતા હતા તો હાફિઝ ફખરુદ્દીન સાહબે આપની ઉપર એક જાહેર પત્રિકા રવાના કરીને સવાલ કર્યો કે આ ખ્વાબની શી હકીકત છે ? તો આપે જવાબ આપ્યો કે ,

                “અહીયા આ નામનો રવઝએ અકદસનો કોઈ (પણ) ખાદિમ નથી અને તપાસ કરી તો અહીયા કોઈ પણ માણસે આવો ખ્વાબ જોયો નથી અને મદીના મુનવ્વરહમાં કોઈ માણસ આ ખ્વાબ અથવા ઘટનાથી વાકિફ પણ નથી. આ પત્રિકા તદ્દન પાયાહિન છે અને તેમાંની અમુક વાતો તો બિલકુલ માનવાપાત્ર નથી.”

                અને આપે (પોતાના) આ લેખિત જવાબ પર ઉલમાએ મદીનહની સહીઓ પણ કરાવી આપી અને હાફિઝ સાહબ પર જવાબ મોકલી આપ્યો.   (“તઝ્કિરતુલ ખલીલ” : ૩૦૪)

                ફકીહુલ ઉમ્મત હઝરત મૌલાના મુફતી મહમૂદ હસન ગંગોહી સાહબ (રહ.)એ આ ખ્વાબને બનાવટી અને ઇસ્લામ દુશ્મન કાવતરું બતલાવી લખ્યું છે કે,

                “આ કાગળની ત્રીસ કોપીઓ વહેંચવી અને તેવું કરવાથી ચૌદ દિવસમાં વહેંચનારને ખુશી પ્રાપ્ત થવી અને જે ન વહેંચે તેણે પોતાના દીકરાથી હાથ ધોવા અથવા ગમ જોવો અને તે કાગળને પોતાની પાસે રહેવા દેવાનું ગુનાહ હોવું આ બધું બેબુનિયાદ, નિરર્થક અને ઢોંગ છે, એક-બે કોપીઓ લખીને વહેંચવાને જરૂરી ઠરાવવું પણ જહાલત છે.”   હઝરત મુફતી સાહબે જવાબમાં છેલ્લે લખ્યું છે કે,“અમોએ હંમેશાં આ જાહેર પત્રિકા ફાડી નાખી છે, (પરંતુ)  ખુદા તઆલાના ફઝલથી અમોને ન કોઈ રંજ-ગમ પહોંચ્યો ન પોતાની ઝાતથી, ન પોતાની અવલાદથી અત્યાર સુધી હાથ ધોવા પડયા છે.” (“ફતાવા મહમૂદિય્યહ” : પ / ૩૪૯)

                હિન્દુસ્તાનના મશહૂર મુફતી હઝરત મૌલાના મુફતી સિય્યદ અબ્દુર્રહીમ લાજપૂરી સાહબ (રહ.) લખે છે કે,“ફરમાને મુસ્તફવી નામી આ જાહેર પત્રિકા અને વસિય્યતનામુ તદ્દન બનાવટી અને ઘડી કાઢેલું છે, કોઈ ચાલાક ઇસ્લામ વિરોધીનું આ એક કાવતરું છે, તા કે મુસ્લિમોને ઇસ્લામ વિશે બદગુમાન કરે અને તેઓના અકીદાને (આ પ્રમાણે) કમજોર કરે કે જયારે વસિય્યતનામામાં લખવા મુજબ ઘટનાઓ નહિ બને [જેમ કે ૧૩૮૦માં હઝરત ઈસા (અલયહિસ્સલામ)નું ઉતરવું અને દજજાલનું જાહેર થવું]   વગેરે તો મુસલમાનોના અકીદા ડગમગી જશે અને આં હઝરત સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમની અન્ય આગાહીઓ વિશે પણ શ્રદ્ઘા ઉઠી જશે, બલ્કે આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમના નબી હોવામાં શંકા કરવા લાગશે, આ વસ્તુને ભોળાભાળા મુસલમાન નથી સમજી શકતા. આવી પત્રિકાઓ અને કાગળો લખવાથી લાભ થવાનો અને ન લખવાથી જાની અને માલી નુકસાન થવાનો અકીદો રાખવો ગુનાહ અને બેવકૂફી છે. મુસ્લિમોએ તેનાથી બચવું જરૂરી છે.”                  (“ફતાવા રહીમિય્યહ” : ર / ૩૯૭)

                સઊદી અરબના હાલના એક મોટા આલિમ શેખ અબ્દુલઅઝીઝ બિન બાઝ સાહબે (રહ.) આ પત્રિકાની ઘણી વાતોનું વિશ્લેષણ કયુઁ છે અને તેનું કુર્આન-હદીસથી વિરુદ્ઘ હોવું પુરવાર કયુઁ છે અને આ વસિય્યત બનાવનારને જાહેરમાં પોતાની ભૂલ સ્વીકારવા અને તવબહની સલાહ આપી છે. અને લખ્યું છે,

                “અમે અલ્લાહની કસમ ખાઈને અને અલ્લાહ, તેના ફરિશ્તાઓ અને તે સઘળા મુસલમાનોને જેમની જાણમાં આ વસિય્યત આવી હોય ગવાહ બનાવીને કહીએ છીએ કે આ નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમની વસિય્યત નથી, બલ્કે આપની પવિત્ર ઝાત પર એક મહા આક્ષોપ છે, અલ્લાહ તઆલા જૂઠાઓને અપમાનિત કરે અને તેમને એવી સઝા આપે જેના તેઓ મુસ્તહિક છે.અમે અલ્લાહને ગવાહ બનાવીને કહીએ છીએ કે આ જૂઠા માણસે લોકોના માટે એક નવી ચીજ ઉપજાવી કાઢી છે, જેનો અલ્લાહે હુકમ દીધો નથી. દીન-ધર્મમાં એક એવો ઉમેરો કરવા વિચાયુઁ છે જે દીનનો અંશ નથી.”      (“શૈખ અહમદના ખ્વાબની હકીકત”)

                ઉપરોકત કુર્આન અને અહાદીસની સ્પષ્ટ છણાવટથી અને મહાન મુફતિયાને કિરામની સીધી તહકીક અને ફતવાઓથી જાહેર થઈ ગયું કે મજકૂર ખ્વાબ જૂઠ છે અને ખ્વાબનું ઘડવુંુ, હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) તરફ જૂઠી નિસ્બત કરવી, તેનું છપાવવું, ફેલાવવું આ બધા કેટલા મહાન ગુનાહો છે, અને ઇસ્લામના ઝળહળતા મૂળ જયોત અને સ્રોત કુર્આન મજીદ અને સુન્‍નતથી અને નેકીના સચોટ કામોથી વિમુખ કરી વ્યર્થ, હળાહળ જૂઠ અને કાલ્પનિક વાતોમાં પરોવાયને ફુઝૂલખચર્ીમાં પડી નેકી બરબાદ ગુનાહ લાઝિમ જેવી પ્રવૃત્તિનું આચરણ છે, હાલાંકે કુર્આનો-સુન્‍નત આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમના ફરમાન મુજબ દીન-દુન્યાની સફળતા માટે માત્ર એક સરળ અને સ્વચ્છ માર્ગ છે અને ફુઝૂલ-ખચર્ી શયતાની કાર્ય છે, માટે મુસ્લિમોએ મજકૂર પત્રિકા અને તેની વાતોથી, તેના પ્રચાર-પ્રસારથી દૂર રહેવું જોઈએ અને તેને રદિયો આપી અસલ પવિત્ર શરીઅતનો પ્રચાર-પ્રસાર અને તેનું પાલન કરવું જોઈએ. અલ્લાહ તઆલા સદ્બુદ્ઘિ અને તવફીક અતા ફરમાવે.

                ફકત અલ્લાહપાક વધુ જાણનાર છે.

Log in or Register to save this content for later.