Chapter : કુફ્ર અને શિર્ક
(Page : 93 to 94)
[ર૦] મુસ્લિમ કાતિલનો હુકમ
સવાલ : બે મુસ્લિમોને પરસ્પર વિવાદ થયો અને બન્નેમાં લડાઈ થઈ, જેમાં એક મુસ્લિમે બીજા મુસ્લિમની હત્યા કરી નાખી, તો શું હત્યારો મુસ્લિમ અલ્લાહ તઆલાના ફરમાન :
ومن یقتل مؤمنا متعمدا فجزاؤہٗ جھنم خالدا فیہا ط (سورۃالنساء ،آیت:۹۳)
(કે જે માણસે કોઈ ઈમાનવાળા માણસની જાણીબૂજીને હત્યા કરી તો હત્યારાની સજા જહન્નમ છે, જેમાં તે હમેશા રહેશે) મુજબ હમેશા જહન્નમમાં રહેશે અથવા તવબહ ઇિસ્તગફારથી આ ગુનાહની માફીનો અવકાશ છે ? અને શું હજ કરવાથી બંદાઓના હકકો કિસાસ વગેરે પણ માફ થઈ જાય છે ?
જવાબ : કોઈ ઈમાનવાળાની હત્યા કરવી સખત કબીરહ ગુનાહનું કૃત્ય છે અને સવાલમાં લખવા મુજબ કુર્આન શરીફની મજકૂર આયતમાં તેના હત્યારા (કાતિલ)ની સખત સજા બયાન કરવામાં આવેલ છે અને મજકૂર આયતના શબ્દોથી તો એ જ ફલિત થાય છે કે માત્ર દુશ્મનાવટની બુનિયાદ પર મુસલમાનને કતલ કરનાર જહન્નમી છે અને તે હમેશા જહન્નમમાં રહેશે, પરંતુ આ જ મસ્અલહને લગતી બીજી આયતો અને હદીસોના આધારે આ મસ્અલહમાં અહલે સુન્નત વલ્ જમાઅતનો અકીદહ આ પ્રમાણે છે કે મુસલમાનનો કાતિલ (હત્યારો) મુસ્લિમ જો મુસ્લિમની હત્યાને હલાલ ન સમજતો હતો અને તેણે માત્ર અદાવતના કારણે બીજા મુસ્લિમની હત્યા કરી તો તેનું આ કૃત્ય કબીરહ ગુનાહ છે અને ઇસ્લામી ન્યાય તંત્રના નિયમ મુજબ તેનાથી કિસાસ લેવામાં આવશે અને તેના માટે તવબહ-ઇિસ્તગફાર લાઝિમ છે, પરંતુ આ કબીરહ ગુનાહના કારણે તે ઇસ્લામથી નહિ નીકળી જાય અને કાફિર નહિ બની જાય અને દાઈમી તોર પર જહન્નમી પણ નહિ ગણાય.
ઇમામ અબૂહનીફહ (રહ.) ફરમાવે છે, અમે કોઈ મુસલમાનને કોઈ કબીરહ ગુનાહના આચરણના કારણે કાફિર નથી ઠરાવતા, જયાં સુધી તે કબીરહ ગુનાહને હલાલ ન સમજે અને અમે તેનાથી ઈમાનનું નામ નથી મીટાવતા અને અમે તેને મુઅ્મિન કહીએ છીએ. [“શર્હે ફિકહે અકબર”: ૧૦ર]
હજની કામિલ અને સહીહ તરીકાથી અદાયગીના કારણે કબીરહ ગુનાહો અને હુકૂકુલ્ ઈબાદ માફ થવા બાબત ઉમ્મતના ઉલમાએ કિરામનો મતભેદ છે, માટે હજની ઈબાદતથી બંદાઓના હકકો અને કબીરહ ગુનાહો માફ થઈ જવાનું યકીન ન કરી લેવું જોઈએ અને બંદાઓના હકકો અદા કરવાથી અને ગુનાહોથી તવબહ અને ઈિસ્તગફાર કરવાથી ગફલત ન વર્તવી જોઈએ. [“શામી”, ભાગ : ર / રપપ] Log in or Register to save this content for later.