Chapter : કુફ્ર અને શિર્ક
(Page : 92 to 93)
[૧૯] સ્કૂલમાં વંદે માતરમ ગાવું
સવાલ : દિલ્હી રાજયમાં ભાજપની સરકારે તાજેતરમાં વંદે માતરમનું ગીત શાળાઓમાં ગાવાનું ફરજીયાત કરેલું છે. તેથી ત્યાંના મુસ્લિમ આગેવાનોએ તેનો વિરોધ કરી આ ગીત ગાવામાંથી મુસ્લિમ વિદ્યાર્થીઓને બાકાત કરવા માંગણી કરી છે.
આ સાથે શામિલ કરેલ ભરૂચની રૂંગટા વિદ્યાલયની પ્રાર્થના પોથીમાં પણ વંદે માતરમ જેવી શિર્કિયહ કવિતાઓ છે. તેમાં હિન્દુઓના દેવ-દેવી અને ભગવાન શીવ-મહેશ-વિષ્ણું-નીલકંઠ અને નર્મદ વગેરેને નમનનું લખાણ છે. તેમજ હિન્દુઓની પૂજામાં બોલાતું ઓમ નવકાર પત્ર પણ છે. વળી પ્રાર્થના વખતે હાથ જોડવાનું તથા આંખો મીચવાનું પણ કહેવામાં આવે છે.
શાળામાં છોકરા-છોકરીઓને ભેગા એક જ વર્ગમાં ભણાવવામાં આવે છે. તેમાં બાલિગ તથા નાબાલિગ વિદ્યાર્થીઓ હોય છે. આ સંજોગોમાં વાલીઓ તથા વિદ્યાર્થીઓને દીનનો શું હુકમ લાગુ પડે છે ?
જવાબ : કોઈ બાલિગ કે નાબાલિગ મુસ્લિમે એવી કવિતાઓ બોલવી નાજાઈઝ અને હરામ છે કે જેમાં શિર્કિયહ અને કુફ્રિયહ શબ્દો હોય અને ગૈર ઈસ્લામી ક્રિયાઓમાં ભાગ લેવો એ પણ જાઈઝ નથી અને વાલીઓએ પોતાના બાળકોને એવી સ્કૂલોમાં મોકલવાથી બચવું જરૂરી છે. અને જો એવી સ્કૂલો સિવાય દુન્યવી શિક્ષાણની કોઈ વ્યવસ્થા ન હોય તો પોતાના બાળકોને તેવા કાર્યક્રમોમાં ભાગ ન લેવાની તાકીદ કરીને મોકલવામાં આવે. અને મુસ્લિમ બાળકો માટે એવા ગીતોના ફરજિયાત હોવા બાબત કાનૂની કાર્યવાહી કરી તેઓને બાકાત કરવામાં આવે. [“કિફાયતુલ્ મુફતી”, ભાગ : ૯] Log in or Register to save this content for later.