Chapter : નેકી-બદી, જઝા-સઝા, હિસાબ-કિતાબ
(Page : 362)
[૧રપ] અજમેર શરીફની ઝિયારત પર હજના સવાબની માન્યતા
સવાલ : અમુક લોકો કહે છે કે જો આપણે સાત વખતે અજમેર શરીફની ઝિયારત કરીએ તો એક હજજનો સવાબ મળે છે. તો શું આ મંતવ્ય શરીઅતની દ્રિષ્ટએ બરાબર છે ?
જવાબ : ઈસાલે સવાબની નિય્યતથી અને પોતાને ઇબરત પ્રાપ્ત થવાના મકસદથી અને સહીહ મકસદથી ઝિયારતે કબ્રનો સવાબ પ્રાપ્ત કરવાના હેતુથી નજીક દૂરની કબ્રોની ઝિયારત કરવી મુસ્તહબ છે; પરંતુ મજકૂર મંતવ્ય મુજબ કોઈ મખ્સૂસ વલીની કબ્રની ઝિયારત ઉપર કે અન્ય કોઈ નેક કામ ઉપર સવાબનું પ્રમાણ નકકી કરવા માટે કુર્આન શરીફની કોઈ આયત કે સહીહ હદીસ હોવી જરૂરી છે. કોઈ અમલના સવાબનું પ્રમાણ પોતાના તરફથી નકકી ન કરી શકાય અને કોઈ આયત કે હદીસની બુન્યાદ વગર સવાબનું પ્રમાણ નકકી કરી અને માની કોઈ અમલ કરવો એ બિદઅત અને રદપાત્ર છે.
સવાલમાં વર્ણન કરેલ અમલ ઉપર લખવા મુજબ ફઝીલત અને સવાબનું મળવું એ હદીસ-ફિકહની કોઈ કિતાબમાં આવ્યું નથી, માટે એવી માન્યતાથી બચવું જરૂરી છે.
Log in or Register to save this content for later.