Chapter : હજ્જ અને ઉમરહ "ફલાહી ના હમરાહ"
(Page : 218 to 234)
રિયાઝુલ જન્નત
હૈ જન્નતમેં સબ કુછ, મદીના નહીં
હા, જન્નત મદીનામેં મવજૂદ હૈ !
વહ મસ્જિદ, વહ રવઝહ, વહ જન્નતકા ટુકડા
ખૂશા મંઝરે પૂર બહારે મદીનહ
જયારે તમો મસ્જિદે નબવી (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)માં ”બાબે જિબ્રઈલ”થી દાખલ થશો તો તમારા ડાબા હાથ બાજુ એક રૂમ દેખાશે, આ હઝરત ફાતિમહ (રદિ.)નું ઘર હતું. જયારે તમો એના સામેથી આગળ વધશો, તો તરતજ ડાબા હાથ ઉપર મસ્જિદે નબવી (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)નો જે ભાગ છે, તેને ”રિયાઝુલ જન્નત” કહેવામાં આવે છે. મિમ્બરે રસૂલ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) અને કબર શરીફના વચ્ચેનો પૂરો ભાગ રિયાઝુલ જન્નત છે.આ જગા વિશે હદીસ શરીફમાં આવ્યું છે, કે ”જે જગા મારા ઘર અને મારા મિમ્બરના વચમાં છે, તે જન્નતના બાગોમાંથી એક બાગ છે.”
(ઘરથી મુરાદ હઝરત આઈશા (રદિ.)નો રૂમ છે, કે જેમાં હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ની કબર શરીફ છે, અને હઝરત ફાતિમહ (રદિ.)ના રૂમના પાછળ છે.)
અર્થ આ છે, કે આ જગા હકીકતમાં જન્નતનો એક ટુકડો છે, જેને દુન્યામાં લાવવામાં આવ્યો છે, અને કયામતના દિવસે આ ટુકડો પાછો જન્નતમાં જતો રહેશે. આ ”રિયાઝુલ જન્નત”માં હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)નો મુસલ્લો પણ છે, જયાં ઉભા રહી આપ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) ઈમામત ફરમાવતા હતા. આ જગાએ એક ખૂબસૂરત મેહરાબ બનાવવામાં આવી છે, જેને મેહરાબે નબવી (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) કહેવામાં આવે છે.
વલીદ ઈબ્ને અ.મલિકના ઝમાનામાં વલીદના હુકમથી હઝરત ઉમર બિન અ.અઝીઝે, જયારે મસ્જિદે નબવીને મોટી કરી તો આ જગાએ મેહરાબ પણ બનાવી આપી.
હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ના ઈન્તિકાલ પછી, મુસલ્લએ રસૂલ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ની મુબારક જગાની તઅઝીમ બાકી રાખવા ખાતર, હઝરત અબૂ બક્ર સિદદીક (રદિ.)એ હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ની નમાઝ પઢવાની જગાએ, પગ મુબારકની જગા છોડીને, બાકી જગા ઉપર દીવાર બનાવી આપી હતી, જેથી આપ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ની સિજદહની જગા લોકોના પગોથી બચી રહે. પાછળથી તુરકોએ પણ આ દીવારની હદ સુધી મેહરાબ બનાવી આપી, એટલે હવે કોઈ હાજી મુસલ્લએ રસૂલ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ના સામે ઉભા થઈને નમાઝ પઢે, તો તેનો સિજદહ હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ના કદમ મુબારકની જગા ઉપર થાય છે.
અત્યારે જે પવિત્ર મેહરાબ બનેલી છે તે ૯, ફૂટની અને સંગે મરમરના એક જ ટુકડાની છે, જેના ઉપર સોનેરી પાણીથી ખૂબસૂરત ડીઝાઈન કરેલ છે અને બંને તરફ લાલ સંગે મરમરથી અજોડ થાંભલાઓ બનાવેલા છે. મેહરાબના ઉપર તે આયત લખેલ છે, જેમાં હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) ઉપર દુરૂદ શરીફ પઢવાનો હુકમ આપવામાં આવ્યો છે.
એટલે કે સૂરએ અહઝાબની પ૬મી આયત :
} اِنَّ اللّٰہَ وَ مَلٰٓئِکَتَہٗ یُصَلُّوْنَ عَلَی النَّبِیِّط یَآ اَیُّھَا الَّذِیْنَ اٰمَنُوْ صَلُّوْ عَلَیْہِ وَ سَلِّمُوْا تَسْلِیْمًا۔{
(ઇન્નલ્લાહ વ મલાઇકતહૂ યુસલ્લૂન અલન્નબિય્યી યા અય્યુહલ લ્લઝીન આમનૂ સલ્લૂ અલયહિ વ સલ્લિમૂ તસ્લીમા.)
”અલ્લાહ તઆલા અને તેના ફરિશ્તાઓ નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) ઉપર દુરૂદ મોકલે છે, અય ઈમાનવાળાઓ! તમો પણ આપ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) ઉપર દુરૂદો સલામ મોકલો.”
اَللّٰھُمَّ صَلِّ عَلٰی مُحَمَّدٍ وَّ عَلٰیٓ اٰلِ مُحَمَّدٍ کَمَا صَلَّیْتَ عَلٰیٓ اِبْرَاھِیْمَ وَ عَلٰیٓ آلِ اِبْرَاھِیْمَ اِنَّکَ حَمَیْدٌ مَّجِیْدٌ۔
اَللّٰھُمَّ بَارِکْ عَلٰٰی مُحَمَّدٍ وَ عَلٰیٓ اٰلِ مُحَمَّدٍ کَمَابَارَکْتَ عَلٰیٓ اِبْرَاھِیْمَ وَ عَلٰیٓ آلِ اِبْرَاھِیْمَ اِنَّکَ حَمِیْدٌ مَّجِیْد۔
આ મેહરાબની પશ્ચિમે લખેલું છે કે ” આ રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ની મેહરાબ છે.”
આ ”રિયાઝુલ જન્નત”માં બે રકા’ત તહિય્યતુલ મસ્જિદ પઢો અને અહીંયા જગા ના મળે, તો મસ્જિદમાં ગમે ત્યાં પઢી શકો છો. આવી નેકબખ્તી પ્રાપ્ત થવા ઉપર અલ્લાહ તઆલાનો શુક્ર અદા કરો, કે તે કેટલો મોટો મહેરબાન છે કે જેણે આ જગા ઉપર જનારાઓને આ દુન્યવી ઝિંદગીમાં જ જન્નતના ફર્શ ઉપર સિજદહ કરવાનો મૌકો આપ્યો.
જો મસ્જિદે નબવીમાં દાખલ થતી વખતે જમાઅત થઈ રહી હોય, તો પહેલા ફર્ઝ નમાઝમાં શરીક થઈ જાઓ, એ ફર્ઝ નમાઝમાં તહિય્યતુલ મસ્જિદ પણ અદા થઈ જશે, પાછળથી તહિય્યતુલ મસ્જિદ પઢવાની જરૂરત નથી.
મસ્જિદે નબવી (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)માં મસ્જિદે હરામની જેમ પોતાની ઓરતોને સાથે લઈને દાખલ થવા નહિ દે, માટે ઓરતોને, ઓરતોના વિભાગમાં મોકલી આપશો.
પણ યાદ રાખો, ઓરતોને ત્યાં મોકલતા પહેલાં એ નકકી કરી લેશો કે મસ્જિદમાંથી કેટલા વાગ્યે બહાર નીકળવાનું છે, તેમજ બહાર નીકળા પછી આપની મુલાકાત કઈ જગાએ થશે, અથવા ઓરત આપનો ઈન્તિઝાર કઈ જગાએ કરશે, એ બધું નકકી કરી લેશો, પછી જ ઓરતને તમારાથી અલગ કરશો.
અથવા તો પછી પોતાના રૂમની બધી ઓરતોનું ગ્રુપ બનાવીને તેણીઓને રહેઠાણનું પાકુ સરનામુ આપીને એમની રીતે આવવા જવા દો.
મસ્જિદે નબવી (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)માં ઓરતો માટે નમાઝ પઢવાની તેમજ પેશાબ, પાખાના અને વુઝૂ વગેરે માટે, અલગ વ્યવસ્થા કરવામાં આવી છે. મસ્જિદે નબવી (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ના બહાર, સહનમાં વુઝૂ વગેરે માટે જે જગાએ વ્યવસ્થા કરવામાં આવી છે, ત્યાં અરબીમા
رواق المیاہ (રુવાકુલ મિયાહ) બોર્ડ લગાવેલું છે. એવીજ રીતે મસ્જિદે નબવી (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ના અંદર ઓરતોને નમાઝ પઢવા માટે, અલગ ભાગ કરી દેવામાં આવ્યો છે.
રિયાઝુલ જન્નતમાં પઢવાની એક ખાસ દુઆ આ છે :
اَللّٰھُمَّ اِنَّ ھٰذِہٖ رَوْضَۃٌ مِنْ رِیَاضِ الْجَنَّۃِ، شَرَّفْتَھَا وَکَرَّمْتَھَا، وَ مَجَّدْتَھَا، وَ عَظَّمْتَھَا، وَ نَوَّرْتَھَا بِنُوْرِ نَبِیِّکَ، وَ حَبِیْبِکَ مُحَمَّدٍ ﷺ۔ اَللّٰھُمَّ کَمَا بَلَّغْتَنَا فِی الدُّنْیَا زِیَارَتَہٗ، وَ مَأٰثِرَہُ الشَّرِیْفَۃَ، فَلا تَحْرِمْنَا یَا اَللّٰہُ، فِی الآخِرَۃِ مِنْ فَضْلِ شَفَاعَۃِ مُحَمَّدٍ ﷺ، وَ احْشُرْنَا فِیْ زُمْرَتِہٖ، وَ تَحْتَ لِوٓائہٖ وَ اَمِتْنَا عَلٰی مَحَبَّتِہٖ، وَ سُنَّتِہٖ، وَ اسْقِنَا مِنْ حَوْضِہِ الْمَوْرُوْدِ بِیَدِہِ الشَّرِیْفَۃِ، شَرْبَۃً ھَنِیْئَۃً، لانَظْمَأُ بَعْدَھَا اَبَدًا، اِنَّکَ عَلٰی کُلِّ شیْ ئٍ قَدِیْرٌ۔
(અલ્લાહુમ્મ ઇન્ન હાઝિહી રવઝતુમ મિન રિયાઝિલ જન્નતિ, શર્રફ્તહા વ કર્રમ્તહા, વ મજ્જદ્તહા, વ અઝઝમ્તહા, વ નવ્વરતહા બિનૂરિ નબિય્યીક, વ હબીબિક મુહમ્મદિન (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ), અલ્લાહુમ્મ કમા બલ્લગ્તના ફીદ્ દુન્યા ઝિયારતહૂ , વ મઆષિરહૂ શ્શરીફત, ફલા તહ્રિમ્ના યા અલ્લાહુ, ફિલ આખિરતિ મિન ફઝલિ શફાઅતિ મુહમ્મદિન (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ), વહ્શુર્ના ફી ઝુમ્રતિહી, વ તહ્ત લિવાઈહી વ અમિત્ના અલા મહબ્બતિહી, વ સુન્નતિહી, વસ્કિના મિન હવઝિહીલ મવરૂદ બિયદિહિ શ્શરીફતિ, શર્બતન હનીઅતન, લાનઝ્મઉ બઅ્દહા અબદન, ઇન્નક અલા કુલ્લિ શયઈન કદીર.)
”અય અલ્લાહ, બેશક આ જગા જન્નતના બાગોમાંથી એક બાગ છે.જેને તમોએ શર્ફ, ઇઝઝત, બુઝુર્ગી અને અઝમત અતા કરી છે, અને તેને પોતાના નબી (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ના નૂરથી રોશન કરી છે. અય અલ્લાહ, તમોએ જેવી રીતે દુન્યામાં હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) અને આપની પવિત્ર યાદગારોની ઝિયારત કરાવી, એવી જ રીતે અય અલ્લાહ, આખિરતમાં પણ અમોને મુહમ્મદ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ની શફાઅતથી મહરૂમ ન ફરમાવશો, અને આપ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ની જમાઅત અને આપ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ના ઝંડા નીચે અમોને ભેગા ફરમાવશો, અને આપ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ની મુહબ્બત તથા આપની સુન્નત ઉપર ટકી રહેવાની હાલતમાં મૌત અતા ફરમાવશો અને આપ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ના મુબારક હાથોથી એવો સુમધુર શરબત પીવડાવજો, કે પછી અમોને કયારેય તરસ ના લાગે. બેશક તમો દરેક વસ્તુ ઉપર કાદિર છો.”
નમાઝથી ફારિગ થઈ, જયારે ”મઝારે પાક” તરફ આવો, તો એમ ખ્યાલ જમાવો કે આપણે મેલા–ગંદા અને એવા ગુનેહગાર છીએ કે, કયા મોંએ હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ની સામે આવીએ? પોતાની રૂહ તરફ ધ્યાન કરશો, કે એ કેટલી ગંદી છે? તે છતાં અલ્લાહ તઆલા પોતાના મહબૂબના સામે આવવા બોલાવી રહયા છે.
આ મૌકા ઉપર આ વાત યાદ રાખવી જોઈએ કે, હુઝૂર પાક (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ના મઝાર મુબારક સામે ત્રણ જાળી (મોટી કમાનો બનાવેલી) છે,લગભગ લોકો અને ઘણા અરબો પણ આ ગલતફહમીમાં છે, કે પહેલી (કમાન) જાળીમાં હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ), બીજી (કમાન) જાળીમાં હઝરત અબૂબકર (રદિ.) અને ત્રીજી (કમાન)માં હઝરત ઉમરે ફારૂક (રદિ.) આરામ ફરમાવી રહયા છે, પણ હકીકતમાં આવું નથી, ફકત વચ્ચેની જ (કમાન) જાળીમાં ત્રણેવ હઝરાત આરામ ફરમાવી રહયા છે. વચ્ચેની જાળીમાં એક મોટું ગોળ કાણુ રાખવામાં આવ્યું છે, જે આપ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ના મુબારક ચહેરાની સામે છે. આ જ કાણાથી થોડુંક હટીને હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ની છાતી મુબારક છે, જયાં હઝરત અબૂબકર (રદિ.)નું માથું મુબારક છે,અહીંયા પણ એક નાનું ગોળ કાણુ છે,જે હઝરત અબૂબકર (રદિ.)ના મોં સામે છે. અને હઝરત અબૂબકર (રદિ.)ના સીનાની પાસે હઝરત ઉમરે ફારૂક (રદિ.)નું માથું મુબારક છે, તેમના મુબારક ચેહરાની સામે પણ એક નાનું ગોળ કાણું છે. ખુલાસો એ કે ત્રણેવ હઝરાત વચ્ચેની જાળીમાં જ આરામ ફરમાવી રહયા છે.
ખૈર ! તહિય્યતુલ મસ્જિદથી ફારિગ થઈ, ”રવઝએ અકદસ” પાસે હાજર થાઓ અને અદબથી, એવી રીતે ઉભા રહો, કે જાણે આપ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ની ઝિંદગીમાં આપ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ની સામે ઉભા છો. પોતાનું મોં આપ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ના મોં મુબારકની સામે અને પીઠ કિબ્લહ તરફ રહેશે. આપ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ની મુબારક સૂરતનો દિલમાં ખ્યાલ જમાવો અને આ ખ્યાલ કરો કે આપ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) કબર મુબારકમાં હયાત છે, મારી હાજરીની એમને ખબર છે અને મારી દરખ્વાસ્ત સાંભળી રહયા છે,અને ધીમી અવાઝે, નઝર નીચી રાખીને સલામ પઢો. સલામ આ પ્રમાણે છે :
اَلسَّلامُ عَلَیْکَ اَیُّھَا النَّبِیُّ السَّیِّدُ الْکَرِیْمُ، وَ الرَّسُوْلُ الْعَظِیْمُ، اَلرَّؤُفُ الرَّحِیْمُ، وَ رَحْمَۃُ اللّٰہِ، وَ بَرَکَاتُہٗ، اَلصَّلٰوۃُ، وَ السَّلامُ عَلَیْکَ یَا رَسُوْلَ اللّٰہِ، اَلصَّلٰوۃُ، وَ السَّلامُ عَلَیْکَ یَا حَبِیْبَ اللّٰہِ۔ اَلصَّلٰوۃُ، وَ السَّلامُ عَلَیْکَ، یَا خَیْرَ خَلْقِ اللّٰہِ۔ اَلصَّلٰوۃُ وَ السَّلامُ عَلَیْکَ، یَا مَنْ اَرْسَلَہُ اللّٰہُ تَعَالٰی رَحْمَۃً لِلْعٰالَمِیْنَ۔ اَلصَّلٰوۃُ، وَ السَّلامُ عَلَیْکَ، یَا خَاتَمَ النَّبِیِّنَ۔ اَنْتَ الْحَبِیْبُ، یَا حَبِیْبَ اللّٰہِ۔اَشْھَدُ اَنَّکَ یَا رَسُوْلَ اللّٰہِ، قَدْ بَلَّغْتَ الرِّسَالَۃَ، وَ اَدَّیْتَ الامَانَۃَ، وَ نَصَحْتَ الاُمَّۃَ، وَ جَاھَدْتَ فِی سَبِیْلِ اللّٰہِ، حَقَّ جِھَادِہٖ، وَ عَبَدْتَ رَبَّکَ حَتّٰی یَاْتِیَکَ الْیَقِیْنُ۔ جَزَاکَ اللّٰہُ تَعَالٰی عَنَّا، وَ عَنْ وَالِدَیْنَا، وَ عَنِ الاسْلامِ، خَیْرَ الْجَزَآئِ۔ اَلصَّلٰوۃُ، وَ السَّلامُ عَلَیْکَ یَا سُلْطَانَ الاَنْبِیَائِ، وَ الْمُرْسَلِیْنَ، وَ رَحْمَۃُ اللّٰہِ وَ بَرَکَاتُہٗ۔
”અસ્સલામુ અલય્ક અય્યુહન નબિય્યુસ સય્યિદુલ કરીમ, વ ર્રસૂલુલ અઝીમ, અર્રઉફુ ર્રહીમ, વ રહ્મતુલ્લાહિ વ બરકાતુહ, અસ્સલાતુ વ સ્સલામુ અલય્ક યા રસૂલલ્લાહ, અસ્સલાતુ વ સ્સલામુ અલયક યા હબીબલ્લાહ, અસ્સલાતુ વ સ્સલામુ અલયક યા ખય્ર ખલ્કિલ્લાહ, અસ્સલાતુ વ સ્સલામુ અલય્ક યા મન અર્સલહુ લ્લાહુ તઆલા રહમતન્ લિલ્આલમીન, અસ્સલાતુ વ સ્સલામુ અલયક યા ખાતિમન નબીય્યીન. અન્તલ હબીબુ યા હબીબલ્લાહ, અશ્હદુ અન્નક યા રસૂલલ્લાહ કદ બલ્લગ્ત ર્રિસાલત, વ અદ્દય્તલ અમાનત, વ નસહ્તલ ઉમ્મત, વ જાહદ્ત ફી સબીલિલ્લાહિ હકક જિહાદિહી, વ અબદ્ત રબ્બક હત્તા યઅ્તિયકલ યકીન. જઝાક લ્લાહુ તઆલા અન્ના, વ અન વાલિદય્ના, વ અનિલ ઈસ્લામિ, ખય્રલ જઝાઅ. અસ્સલાતુ વ સ્સલામુ અલયક યા સુલ્તાનલ અંબિયાએ વલ્ મુરસલીન, વ રહમતુલ્લાહિ વ બરકાતુહ.”
(અય નબી અને અય સરદારે મુહતરમ અને રસૂલે મુઅઝઝમ, શફકત અને રહમતવાળા, તમારા ઉપર સલામ, અને તમારા ઉપર અલ્લાહની (હજારો હજાર) રહમતો અને બરકતો નાઝિલ થાય, તમારા ઉપર સલાતો સલામ. અય અલ્લાહના રસૂલ, તમારા ઉપર સલાતો સલામ. અય અલ્લાહના હબીબ, તમારા ઉપર સલાતો સલામ. અય અલ્લાહની મખ્લૂકમાં સૌથી સારા, તમારા ઉપર સલાતો સલામ. અય (તે મુકદ્દસ ઝાત) જેમને અલ્લાહ તઆલાએ બંને દુન્યા માટે રહમત બનાવીને મોકલ્યા, તમારા ઉપર સલાતો સલામ. અય નબીયોના ખત્મ કરનાર, અય અલ્લાહના હબીબ તમો અમારા મહબૂબ છો. અય અલ્લાહના રસૂલ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) હું સાચા દિલથી ગવાહી આપું છું કે તમોએ અલ્લાહનો સંદેશો (લોકો સુધી) પહોંચાડી આપ્યો અને રિસાલતની અમાનત પૂરી કરી આપી અને ઉમ્મતને (પૂરી પૂરી) નસીહત ફરમાવી દીધી અને અલ્લાહના રસ્તામાં એવી કોશીશ કરી, જેવો કે કોશિશનો હક છે અને પોતાના રબની એટલી ઈબાદત કરી કે તેની રાહમાં મૌત આવી ગયું, અલ્લાહ તઆલા આપને, અમારા અને અમારા મા–બાપ તેમજ બધા ઇસ્લામ વાળાઓ તરફથી, સવોત્તમ બદલો ઈનાયત ફરમાવે, તમારા ઉપર સલાતો સલામ અય નબિયો અને રસૂલોના બાદશાહ, અને આપ ઉપર અલ્લાહની રહમતો અને બરકતો નાઝિલ થાય.)
સલામ પેશ કરતી વખતે, ઘણા હાજીઓ અરબી ઝુબાનથી નાવાકિફ હોવાના કારણે ઉલટ સુલટ બોલે છે, જેનાથી અર્થ બદલાઈ જાય છે. યાદ રાખો, કે સલામ તે સારી છે, કે જે અકીદત, મુહબ્બતથી પેશ કરવામાં આવે,ભલેને તે નાની હોય, એટલે જેઓ પઢવાનું નથી જાણતા, તેઓએ નીચેની નાની સલામ યાદ કરી લેવી જોઈએ અને તે જ વારંવાર પઢતો રહે.
اَلسَّلامُ عَلَیْکَ یَارَسُوْلَ اللّٰہ
”અસ્સલામુ અલય્ક યા રસૂલલ્લાહ”
(અય અલ્લાહના રસૂલ તમારા ઉપર સલામ)
અને જો એથી વધુ યાદ કરી શકતા હોય, તો નીચે પ્રમાણેની સલામ જરૂર યાદ કરી લો.
اَلصَّلٰوۃُ وَ السَّلامُ عَلَیْکَ یَا رَسُوْلَ اللّٰہِ
اَلصَّلٰوۃُ وَ السَّلامُ عَلَیْکَ یَا نَبِیَّ اللّٰہِ
اَلصَّلٰوۃُ وَ السَّلامُ عَلَیْکَ یَا حَبِیْبَ اللّٰہِ
اَلصَّلٰوۃُ وَ السَّلامُ عَلَیْکَ یَا خَیْرَ خَلْقِ اللّٰہِ
اَلصَّلٰوۃُ وَ السَّلامُ عَلَیْکَ یَا خَاتَمَ الانْبِیَائِ
اَلصَّلٰوۃُ وَ السَّلامُ عَلَیْکَ یَا سَیِّدَ الانْبِیَائِ وَ الْمُرْسَلِیْنَ وَ رَحْمَۃُ اللّٰہِ وَ بَرَکَاتُہٗ۔
રવ્ઝએ અકદસ પર સલાત અને સલામ વખતે ઝોક અને શોખ વધારવાની ઈચ્છા હોય તો આ નઅત શરીફ પઢો :
ઈલાહી ! મહબૂબે કુલ જહાંકો મલક મલક કા દુરૂદ ઉતરે બિસાતે આલમકી વુસ્અતોં સે મલક મલક કા દુરૂદ ઉતરે હુઝૂર કી શામ શામ મેહકે મલાઈકહ કે હસીં જિલવ મેં ઝુબાને ફિતરત હય ઉસપે નાતિક શજર શજર કા દુરૂદ જાએ રસૂલે રહમતકા બારે ઈહસાં તો ઐસે મુહસિન કો બસતી બસતી મેરા કલમ ભી હય ઉનકા સદકા હુઝૂર આકા ! મેરે કલમ કા યે ઈલ્તિજા હય કે રોઝે મહશર શફીએ ઉમ્મત કો હમ ગરીબોં ”ફલાહી” કી બસ દુઆ યહી હય સવાદે તયબહ મેં રેહને વાલોં |
સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ
|
દિલો જિગર કા સલામ પહોંચે. નઝર નઝર કા સલામ પહોંચે. જહાંને બાલા કી રફઅતોં સે, બશર બશર કા સલામ પહોંચે. હુઝૂર કી રાત રાત જાગે, સહર સહર કા સલામ પહોંચે. બ બારગાહે નબિય્યે સાદિક, હજર હજર કા સલામ પહોંચે. તમામ ખલકત કે દોશ પર હય, નગર નગર કા સલામ પહોંચે. મેરે હુનર પર હય ઉનકી રહમત, મેરે હુનર કા સલામ પહોંચે. ગુનાહગારોં પે ભી નઝર હો, કી ચશ્મે તર કા સલામ પહોંચે. ફકીર કી અબ સદા યહી હય, કો ઉમર ભરકા સલામ પહોંચે.
|
નોટઃ ”ફલાહી”ની જગાએ તમારૂ નામો બોલો.
તમારી સલામ પઢાઇ જાય ત્યાર પછી, જો કોઈએ તમોને હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ની સેવામાં સલામ રજૂ કરવાની દરખ્વાસ્ત કરી હોય, તો હવે તેના તરફથી સલામ પેશ કરો. જેની રીત આ છે કે :
اَلصَّلٰوۃُ وَ السَّلامُ عَلَیْکَ یَا رَسُوْلَ اللّٰہِ مِنْ مُحَمَّدْ اِقْبَال فَلاحِی
”અસ્સલાતુ વસ્સલામુ અલયક યા રસૂલલ્લાહિ મિન મુહમ્મદ ઇકબાલ ફલાહી.”
(મતલબ એ છે કે مِنْ પછી તે માણસનું નામ લેવામાં આવે, જેણે તમોને સલામ કરવાની દરખ્વાસ્ત કરી છે.)અને જો ઘણા બધા લોકોએ સલામ પેશ કરવાની દરખ્વાસ્ત કરી હોય અને તમને બધાના નામો યાદ ના હોય, તો તેમના તરફથી આ પ્રમાણે સલામ પેશ કરો :
اَلصَّلٰوۃُ وَ السَّلامُ عَلَیْکَ یَا رَسُوْلَ اللّٰہِ مِنْ جَمِیْعِ مَنْ اَوْصَانِیْ بِالسَّلامِ عَلَیْکَ۔
”અસ્સલાતુ વસ્સલામુ અલય્ક યા રસૂલલ્લાહિ મિન જમીઅ મન અવ્સાની બિસ્સલામિ અલય્ક”
(અય અલ્લાહના રસૂલ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) ! જે લોકોએ મને, આપના ઉપર સલામ પહોચાડવાની દરખ્વાસ્ત કરી છે, તે તમામ તરફથી આપને સલામ.)
ત્યાર પછી હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)થી શફાઅતની દરખ્વાસ્ત કરો, કે હુઝૂરેવાલા, ગુનાહોના ભારે મારી કમર તોડી નાખી છે, હું આપની રૂબરૂ અલ્લાહ તઆલાથી મારા ગુનાહોની તવબહ કરું છું અને અલ્લાહથી માફી ચાહું છું. આપ પણ મારા માટે મગફિરત માંગો, અને કયામતના દિવસે મારી શફાઅત ફરમાવશો. જો આપ મારી શફાઅત નહિ ફરમાવો તો મારું શું થશે !
મતલબ આ છે, કે દિલની કોઈ ઉમ્મીદ બાકી ના રહી જાય, એ પ્રમાણે દુઆ કરશો અને કોઈકવાર ફકત આંસુઓની ઝૂબાનથી કામ લેશો, તો કોઈકવાર ઝોક–શોખની ઝૂબાનથી કામ લેશો.
દુઆથી ફારિગ થઈ લગભગ એક હાથ જેટલું આગળ ચાલો, અને આપ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) ઉપર સૌથી વધુ જાન કુર્બાન કરનારા હઝરત અબૂબકર (રદિ.)ની ખિદમતમાં આ પ્રમાણે સલામ પેશ કરો :
اَلسَّلامُ عَلَیْکَ یَا اَبَا بَکْرِنِ الصِّدِّیْقِ
اَلسَّلامُ عَلَیْکَ یَا خَلِیْفَۃَ رَسُوْلِ اللّٰہِ
اَلسَّلامُ عَلَیْکَ یَا وَزِیْرَ رَسُوْلِ اللّٰہِ
اَلسَّلامُ عَلَیْکَ یَا صَاحِبَ رَسُوْلِ اللّٰہِ فِی الْغَارِ وَ رَحْمَۃُ اللّٰہِ وَبَرَکَاتُہٗ۔
(અસ્સલામુ અલય્ક યા અબા બક્ર સિદ્દીક, અસ્સલામુ અલયક યા ખલીફત રસૂલિલ્લાહિ, અસ્સલામુ અલયક યા વઝીર રસૂલિલ્લાહિ, અસ્સલામુ અલય્ક યા સાહિબ રસૂલિલ્લાહિ ફીલ ગારિ વ રહ્મતુલ્લાહિ વ બરકાતુહ.)
”તમારા ઉપર સલામ અય હઝરત અબૂ બક્ર (રદિ.), તમારા ઉપર સલામ અય રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ના ખલીફા, તમારા ઉપર સલામ અય રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ના વઝીર, તમારા ઉપર સલામ અય રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ના ગારના સાથી, અને આપ ઉપર અલ્લાહની રહમતો અને બરકતો નાઝિલ થાય.”
ત્યાર પછી એક હાથ આગળ વધીને હઝરત ઉમર ફારૂક (રદિ.)ને સલામ પેશ કરો :
اَلسَّلامُ عَلَیْکَ یَا عُمَرَ بْنِ الْخَطَّابِؓ
اَلسَّلامُ عَلَیْکَ یَا اَمِیْرَ الْمُؤْمِنِیْنَ
اَلسَّلامُ عَلَیْکَ یَا عِزَّ الاسْلامِ وَ الْمُسْلِمِیْنَ
اَلسَّلامُ عَلَیْکَ یَا اَبَا الفُقْرَائِ وَ الضُّعَفَآئِ وَ الاَرَامِلِ وَ الاَیْتَامِ وَ رَحْمَۃُ اللّٰہِ وَ بَرَکَاتُہٗ۔
(અસ્સલામુ અલય્ક યા ઉમરબ્નલ ખત્તાબ, અસ્સલામુ અલયક યા અમીરલ મુઅ્મિનીન, અસ્સલામુ અલયક યા ઈઝઝલ ઈસ્લામિ વલ મુસ્લિમીન, અસ્સલામુ અલય્ક યા અબલ ફુકરાએ વ ઝઝુઅ્ફાએ વલ અરામિલે વલ અયતામિ વ રહમતુલ્લાહિ વ બરકાતુહ.)
”તમારા ઉપર સલામ અય હઝરત ઉમર બિન ખત્તાબ (રદિ.), અય મુસલમાનોના સરદાર તમારા ઉપર સલામ, અય મુસલમાન અને ઇસ્લામની ઈઝઝત આપ ઉપર સલામ, અય ફકીરો, કમઝોરો, બેવાઓ, અને યતીમોના મદદ કરનાર, આપ ઉપર સલામ અને આપ ઉપર અલ્લાહના તરફથી રહમત અને બરકતો નાઝિલ થાય.”
ઈમામ નવવી (રહ.)એ લખ્યું છે કે હઝરત ઉમર (રદિ.) ઉપર સલામ પઢયા પછી, ફરીવાર પહેલી જગાએ, એટલે કે હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ની સામે આવે અને અલ્લાહની તા’રીફ બયાન કરે, તેની આ નેઅ્મતનો શુક્રિયહ અદા કરે, અને આપ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) ઉપર ખૂબ દુરૂદો સલામ મોકલે અને આપ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ના વસીલહથી પોતાના માટે, પોતાના વાલિદૈન માટે, પોતાના મશાઈખ માટે, પોતાના અહલો અયાલ માટે, પોતાના સગા માટે, પોતાના દોસ્તો માટે, જીવતા તથા ઈન્તિકાલ કરી ગયેલાઓ માટે, ખૂબ ખૂબ દુઆઓ કરે અને પોતાની દુઆ, ”આમીન” ઉપર પૂરી કરે. યાદ આવી જાય, તો આ ”ઇકબાલ ફલાહી”ને પણ પોતાની દુઆમાં જરૂર ભાગીદાર કરશો.
કબર મુબારકની સામે ઉભા રહી એક વખત આ આયત પઢો :
} اِنَّ اللّٰہَ وَ مَلٰٓئِکَتَہٗ یُصَلُّوْنَ عَلَی النَّبِیِّط یَآ اَیُّھَا الَّذِیْنَ اٰمَنُوْ صَلُّوْا عَلَیْہِ وَ سَلِّمُوْا تَسْلِیْمًا۔{
(ઇન્નલ્લાહ વ મલાઇકતહૂ યુસલ્લૂન અલન્નબિય્યી યા અય્યુહલ લ્લઝીન આમનૂ સલ્લૂ અલયહિ વ સલ્લિમૂ તસ્લીમા.)
”અલ્લાહ તઆલા અને તેના ફરિશ્તાઓ નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) ઉપર દુરૂદ મોકલે છે, અય ઈમાનવાળાઓ! તમો પણ આપ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) ઉપર દુરૂદો સલામ મોકલો.”
ત્યાર પછી ૭૦, વખતે આ દુરૂદ શરીફ પઢોઃ
صَلَّی اللّٰہُ عَلَیْکَ وَ سَلَّمَ یَا رَسُوْلَ اللّٰہِ
”સલ્લલ્લાહુ અલય્ક વસલ્લમ યા રસૂલલ્લાહ”
નોટ : ઠ્ઠ બયાન કરવામાં આવે છે, કે જે માણસ આપ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ની કબર મુબારક પાસે ઉભા થઈ, એક વખત ઉપર લખેલી આયત તિલાવત કરી, ૭૦ વખતે ઉપરનું દુરૂદ શરીફ પઢે તો ફરિશ્તાઓ તેને પુકારશે :
صَلَّی اللّٰہُ عَلَیْہِ وَ سَلَّمَ وَ عَلَیْکَ یَا فلاں
”સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ વ અલયક યા ફુલાં”
અને તેની જરૂરતો પૂરી કરવામાં આવશે. (ઈન્શાઅલ્લાહ) (ઉમ્દતુલ ફિક્હ બહવાલા ફત્હ વ ગુનિય્યહ)
યાદ રાખો કે સઊદી હુકૂમતના ઈન્તિજામના કારણે, લાંબા દુરૂદ કે લાંબા સલામ પઢવાનો મોકો ત્યાં મળી શકે એમ નથી, માટે આપ પ્રથમતો ચાલતા ચાલતા ત્રણેવ હઝરાતને મુખ્તસર સલામ પેશ કરી, આહિસ્તાથી કિબ્લહ તરફની દિવાલ પાસે જતા રહેશો અને કબ્ર મુબારક તરફ મોઢું કરી દુરૂદો સલામનો અમલ પૂરો કરશો અને ત્યાર પછી કિબ્લારૂખ ઉભા રહી, દુઆ વગેરેનો અમલ પૂરો કરશો.
અનુભવ પ્રમાણે ત્રણ ટાઈમો એવા છે, જેમાં ઈત્મીનાન અને સુકૂનના સાથે, સલાતો સલામ પઢવાનો મૌકો મળે છે. (૧) ઈશાની નમાઝના લગભગ એક કલાક પછી (ર) ફજરની નમાઝ પછી દોઢ કલાકે (૩) ઝુહરની નમાઝ પછી એક કલાકે.
યાદ રાખો કે સલામ પેશ કરવા જતી વખતે હાથમાં બૂટ–ચપ્પલ લઈને જવું અદબના વિરૂધ્ધ છે. પહેલા સલામત જગાએ બૂટ–ચપ્પલ મૂકી દો પછી સલાતો – સલામ માટે જવું જોઈએ.
જો મુવાજહ શરીફમાં, ઈત્મિનાન અને સુકૂનની સાથે સલાતો સલામનો મોકો ના મળે, તો મસ્જિદે નબવી (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)માં જયાંથી પણ સહૂલત હોય ત્યાંથી, સલાતો સલામનો વઝીફો પઢવો જોઈએ.
એ પણ યાદ રાખો કે દુરૂદો સલામ તથા દુઆ માટે કોઈ શબ્દો નકકી નથી. અને દુરૂદો સલામ લાંબા પણ છે અને ટૂંકા પણ, માટે જેનું જેમાં દિલ લાગે એ પ્રમાણે કરે.
નોટઃ ઓરતો માટે સલાતો સલામ પઢવા માટે તેમજ રિયાઝુલ જન્નતમાં બે રકા’ત નમાઝ પઢવા માટે દરરોજ બે વખત અલગ ઈન્તિઝામ કરવામાં આવે છે. સવારના ૯ વાગ્યે અને ઝુહરની નમાઝ પછી અર્ધો કલાકે. માટે ઓરતો આને યાદ રાખે.
મદીનહ મુનવ્વરહના રોકાણ દરમિયાન, દરેકે દરેક સેકન્ડને ગનીમત સમજશો, તમારો વધુ પડતો વખત મસ્જિદે નબવીમાં જવો જોઈએ. અલ્લાહ તઆલાની લાખો, કરોડો માઈલો ઝમીનમાં, આ જ તે ખૂશનસીબ ટુકડો છે, જયાં રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)એ અલ્લાહના હુઝૂરમાં સૌથી વધુ સિજદહ કર્યા છે, નમાઝો પઢી છે, ખુતબહ આપ્યા છે, એઅ્તિકાફ કર્યા છે, જો કે હાલનું મસ્જિદે નબવીનું બાંધકામ નબુવ્વતના ઝમાનાનું જૂનુ બાંધકામ નથી પણ એમાં કોઈ શક નથી, કે ઝમીન તો તે જ છે, ફિઝા પણ તે જ છે, અનવારો બરકાત પણ તે જ છે, અને રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) આજે પણ, ત્યાંના જ એક ભાગમાં આરામ ફરમાવી રહયા છે.
બસ હવે તમે છો અને મસ્જિદે નબવી (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) છે દિલની કોઈ તમન્ના અને ઉમ્મીદ બાકી ના રહી જાય! દુરૂદ શરીફ પઢવા માટે આનાથી સારો કયો ઝમાનો હોઈ શકે છે ? જયારે દિલ ચાહે અને દિવસમાં જેટલી વાર ચાહે, હાજરી આપો અને સલામ પેશ કરો, તમારૂ નસીબ ખૂલી ગયું છે, માટે હવે કમી કેમ કરો છો ? હાં, દરેક વખતે અઝમત, અદબ, અને શોખ તથા મુહબ્બતની સાથે કરશો. દિલની હાલત હંમેશા એક જેવી નથી હોતી, તે પણ સુઈ જાય છે, અને જાગે છે, જો તમારુ દિલ જાગે, તો સમજો કે તમારુ નસીબ જાગ્યું છે.
ઈમામ અહમદ (રહ.)એ હઝરત અનસ (રદિ.)થી રિવાયત બયાન કરી છે કે આપ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)એ ફરમાવ્યું : જે માણસ મારી મસ્જિદમાં ચાળીસ નમાઝો એ રીતે અદા કરે, કે કોઈ નમાઝ ફૌત ના થાય, તો તેને દોઝખના અઝાબ અને નિફાકથી પાક કરી દેવામાં આવશે.
માટે તમો આઠ દિવસ મદીનહ મુનવ્વરહમાં રોકાઓ, અને ચાળીસ નમાઝો પૂરી કરો. અને મસ્જિદે નબવીની ખાસ ઈબાદત, દુરૂદ શરીફ પઢવું છે, એટલે પહેલે થી પોગ્રામ બનાવીને જાઓ, કે આ આઠ દિવસના સમયગાળામાં ૭૦૦૦ અથવા ઓછામાં ઓછા પ૦૦૦ વાર દુરૂદ શરીફ પણ પઢીશ. એક મુખ્તસર દુરૂદ આ પણ છે :
اَللّٰھُمَّ صَلِّ عَلٰی مُحَمَّدِنِ النَّبِیِّ الاُمِّیِّ وَ عَلٰی اٰلِہٖ وَ سَلِّمْ تَسْلِیْمَا۔
”અલ્લાહુમ્મ સલ્લિ અલા મુહમ્મદિ નિન્નબિય્યીલ ઉમ્મિય્યિ વ અલા આલિહી વ સલ્લિમતસ્લિમા”
આ દુરૂદ શરીફ ઘણી જ આસાનીથી, આઠ દિવસમાં દસ હજાર, વખતે પઢી શકાય એમ છે. રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)નો ઈર્શાદ છે, કે જે મારી કબર પાસે દુરૂદ શરીફ પઢે છે તેને હું ઓળખું છું.
ઈમામ ગઝાલી (રહ.) લખે છે કે મુસ્તહબ આ છે કે દરરોજ હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) ઉપર સલામ પઢીને, જન્નતુલ બકીઅની ઝિયારત માટે જાય, જો દરરોજ બકીઅમાં ના જઈ શકાતું હોય તો, જુમ્અહના દિવસે ખાસ ઝિયારત કરે.
Log in or Register to save this content for later.