મદીનહ તય્યિબહ

Chapter : બહેનોની હજ્જ

(Page : 174 to 178)

મદીનહ તય્યિબહ

આ ગયા; હાસિલે ઈન્તિઝાર આ ગયા,

હાજીયો, લો નબીકા દિયાર આ ગયા !

દેખો દેખો ખજૂરોંકી જુરમુટમેં વો –

સામને શહરે રશ્કે બહાર આ ગયા !

 

                   આ શહેરની ફઝીલત કોઈ માણસ કયારેય લખી નથી શકતો, એટલું જ કહેવું બસ છે, કે જે શહેરને અલ્લાહ તઆલાએ પોતાના પ્યારા હબીબ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) માટે કિયામગાહ તથા આરામગાહ ઠેરવ્યું અને હકતઆલા શાનહુએ પોતાના હબીબ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ના રહેવા માટે પસંદ કર્યુ. તેના થી અફઝલ બીજું કયું શહેર હોઈ શકે ?

                કાઝી અયાઝ ફરમાવે છે, કે જે જગાઓ ઉપર વહી ઉતરી હોય અને કુર્આને પાક નાઝિલ થયું હોય, હઝરત જિબ્રઈલ (અલયહિસ્સલામ) તથા હઝરત મીકાઈલ (અલયહિસ્સલામ) વારંવાર ત્યાં હાજર થતા રહયા હોય, જયાંનું મૈદાન અલ્લાહ વાળાઓના ઝિક્ર અને તિલાવત તથા તસ્બીહોથી ગુંજતુ રહયુ હોય, અલ્લાહના દીન અને તેના રસૂલે પાક (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ની સુન્નતો જયાંથી ઝરણાની માફક વહેતી હોય તે પાક જગા (મદીનહ મુનવ્વરહ)ના મેદાનો એ લાયક છે કે તેની તઅ્‌ઝીમ કરવામાં આવે તેની ધૂળમાં આળોટવામાં આવે અને તેની ખૂશ્બૂ સુંઘવામાં આવે. મદીનહ મુનવ્વરહની એક એક વસ્તુ અનહદ કાબિલે કદ્ર છે..

મદીનહ મુનવ્વરહમાં દાખલ થવાની દુઆ :

                ”અય અલ્લાહ તમોએ જે કરમ અને એહસાનથી મને આ મુબારક દિવસ દેખાડયો, કે હું તમારા મહબૂબ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ના મહબૂબ શહેરમાં દાખલ થઈ રહી છું, તમારા તે જ કરમ અને એહસાનથી, મને અહિયાની ખાસ બરકતો ઈનાયત કરો અને તે તમામ બાબતોથી મારી હિફાઝત ફરમાવો, જે અહિયાની બરકતોથી મહરૂમીનો સબબ બને.”

                જયારે પોતાના મકામ ઉપર પહોંચો તો શાંતિથી પોતાનો સામાન પોતાના ઠેકાણે મુકી આપો અને જો મદીનહ મુનવ્વરહ આવતાં પહેલાં આપને ગુસલ કે કપડાં બદલવાનો મોકો ના મળ્યો હોય, તો હવે જો શકય હોય તો ગુસલ કરી લો અથવા મિસ્વાક કરી, વુઝૂ કરી ચોખ્ખા કપડાં પહેરી લો અને પછી સૌથી પહેલાં મસ્જિદે નબવી (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)માં દાખલ થવા માટે અને રવઝએ અકદસ ઉપર હાજરી આપવાના ઇરાદાથી મસ્જિદે નબવી (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) તરફ જવાનું શરૂ કરો.

વસીમ” એક મુઅજિઝહ મૈંને અરબકે ચાંદ કા દેખા,

કિ ખુદ ગાઈબ હૈ, લેકિન ચાંદની મઅલૂમ હોતી હૈ !

                તો દુરૂદ શરીફ પઢતાં પઢતાં, મસ્જિદે નબવી (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)મા દાખલ થાઓ અને જો શકય હોય તો ”બાબે જિબ્રઈલ”થી દાખલ થશો અને દાખલ થતાં પહેલા થોડો સદકો કરી આપો, પહેલાં જમણો પગ અંદર મુકો અને આ દુઆ પઢો :

                اَللّٰھُمَّ صَلِّ عَلٰی سَیِّدِنَا مُحَمَّدٍ، وَّ عَلٰی اٰلِہٖ، وَ اَصْحَابِہٖ اَجْمَعِیْنَ۔ اَللّٰھُمَّ اغْفِرْلِیْ ذُنُوْبِیْ، وَ افْتَحْ لِیْ اَبْوَابَ رَحْمَتِکَ۔ اَللّٰھُمَّ اجْعَلْنِیْ الْیَوْمَ مِنْ اَوْجَہِ مَنْ تَوَجَّہَ اِلَیْکَ، وَ اَقْرَبِ مَنْ تَقَرَّبَ اِلَیْکَ، وَ اَنْجَحِ مَنْ دَعَاکَ وَ ابْتَغٰی مَرْضَاتِکَ۔

                                ”અલ્લાહુમ્મ સલ્લિ અલા સય્યિદિના મુહમ્મદિંવ વ અલા આલિહી વ અસ્હાબિહી અજ્‌મઈન, અલ્લાહુમ્મ ગ્ફિરલી ઝુનૂબી વફ્‌તહ્‌લી અબ્વાબ રહમતિક, અલ્લાહુમ્મજ્‌ અલ્‌નીલ યવ્‌મ મિન અવજુહે મન તવજ્જહ ઈલય્‌ક વ અક્‌રબિ મન તકર્રબ ઈલયક વ અન્‌જહે મન દઆક વબ તગા મરઝાતિક.”

                (અય અલ્લાહ ! અમારા સરદાર હઝરત મુહમ્મદ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) ઉપર અને આપના બધા સહાબએ કિરામ (રદિ.)ઉપર રહમત ઉતારો. અય અલ્લાહ, મારા ગુનાહોને માફ કરી આપો અને મારા માટે પોતાની રહમતના દરવાઝા ખોલી આપો. અય અલ્લાહ ! તમારા તરફ મુતવજ્જેહ થનારાઓમાં સૌથી વધુ મને તમારા તરફ ધ્યાન આપનારી બનાવો. તમારી નઝદીકી હાસિલ કરનારાઓમાં મને સૌથી નઝદીક બનાવો અને જેઓએ તમારાથી દુઆઓ માંગી અને પોતાની મુરાદો માંગી, તેમા સૌથી વધારે મને કામ્યાબી નસીબ ફરમાવો.)

                થોડીવાર માટે પણ એઅ્‌તિકાફની નિય્યત કરવી મુસ્તહબ છે, એટલે આ નિય્યત કરો કે અય અલ્લાહ જયાં સુધી હું મસ્જિદે નબવી (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)માં રહું, હું એ’અતિકાફની નિય્યત કરું છું.

Log in or Register to save this content for later.