દરબારે રિસાલતની ફઝીલત

Chapter : બહેનોની હજ્જ

(Page : 169 to 174)

દરબારે રિસાલતની ફઝીલત

કરેં કુછ યૂંહી શોકે દિલ અપના પૂરા

કરેં, આઓ જિકરે દિયારે મદીનહ

                અલ્લાહ તઆલાના પવિત્ર ઘર ”ખાનએ કઅબહ”ના દીદાર અને ”હજ્જ”ના મુબારક ફર્ઝથી ફારિગ થઈ, ઝિંદગીની સૌથી મોટી નેઅમત અને સઆદત, મસ્જિદે નબવી (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) અને મસ્જિદે નબવી (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)માં રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ના મુબારક રવઝહની ઝિયારત માટે મદીનહ મુનવ્વરહનો સફર કરવો છે.

                ”મસ્જિદે નબવી” (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ની ઝિયારતની તડપ અને શોખ દરેક મુસ્લિમના દિલમાં હોય છે અને આ એક એવી હકીકત છે, જેના માટે કોઈ જ દલીલની જરૂરત નથી.

                દરબારે રિસાલત (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)માં હાજરી આપવાની બરકતો, અને ફઝીલતો નું શું પુછવું ! આ મુબારક જગાએ આપણે અદબો એહતિરામનો શકય એટલો ખ્યાલ રાખવો જોઈએ. આ ગલીઓમાં અવલિયાએ કિરામે, મુદદતો સુધી પગમાં જોડાં નથી પહેર્યા, અને આ મુબારક ઝમીનનો ખૂણે ખૂણો બરકતવાળો છે.

                હઝરત શૈખ મુહદિદસ દહેલ્વી (રહ.) પોતાની કિતાબ ”જઝબુલ કુલૂબ” માં લખે છે કે : ”ખૂબ જાણી લો, કે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ની ઝિયારતનો ઈરાદો કરવો અને મસ્જિદે નબવીની ઝિયારતથી બાબરકત થવું મકબૂલ હજ્જના બરાબર છે, અરે જે હજ્જ કરીને આવી છો, તેના કબૂલ થવાનો સબબ અને વાસ્તો પણ આ જ છે.

                મદીનહ મુનવ્વરહ જાઓ, તો ”રવઝએ પાક” અને ”મસ્જિદે નબવી” (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) બંનેની ઝિયારતની નિય્યત કરો. અમુક મુહક્કિકીને, ફકત ”રવઝએ પાક”ની ઝિયારતની નિય્યતને વધારે સારૂં કહયું છે. સારુ એ છે, કે ખુદ આપ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ની ઝિયારતની નિય્યત કરે.

                તમો જો હજ્જ પછી મદીનહ મુનવ્વરહ જઈ રહી છો તો તવાફે વદાઅ કરવાનું ભૂલશો નહિ. અને પોતાનો બધો જ સામાન (ઝમઝમનું પાણી પણ) સાથે લઈ જશો, કારણ કે હવે તમારે મદીનહ મુનવ્વરહથી સીધા જ જિદદહ જવાનું થશે અને ત્યાંથી હવાઈ માર્ગે પોતાના વતન પાછા ફરવાનું થશે.

                જો તમો કોઈ કારણ સર ઝમઝમનું પાણી મદીનહ શરીફ સાથે નથી લઈ જઈ શકતી તો યાદ રાખો કે મદીનહ શરીફમાં પણ ઝમઝમના પાણી ભરવાનો ઈન્તિઝામ રહે છે, હય્ય અલસ્સલાહ (જમણી) તરફ જયાં ઓરતોની નમાઝનો વિભાગ છે, તેના બહાર ખુલ્લા સહેનના છેવાડે ઝમઝમના પાણીની સબીલ (નળો) લાગેલા છે, ત્યાં જઈ કેનમાં પાણી ભરી શકો છો.

                અને જો હજ્જ પહેલાં મદીનહ મુનવ્વરહ જઈ રહી છો, તો ફકત જરૂરત પુરતો જ સામાન સાથે લઈ જવો.

                ”મકકહ મુકર્રમહ”થી જુદાઈના રંજ અને ગમને ”મદીનહ મુનવ્વરહ”ની હાજરી અને રવઝએ પાકની ઝિયારત અને બારગાહે નબુવ્વતમાં હાજરીની ખૂશીઓથી દૂર કરો. મસ્ત થઈને આપ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) ઉપર દુરૂદો સલામ પઢો :

اَللّٰھُمَّ صَلِّ عَلٰی سَیِّدِنَا مُحَمَّدٍ وَ عَلٰی آلِہِ وَ اَصْحَابِہِ وَ بَارَکْ وَ سَلَّمْ کَمَا تُحِبُّ وَ تَرْضٰی عَدَدَ مَا تُحِبُّ وَ تَرْضٰی۔

                હવે તમો હર ઘડી મકકહ મુકર્રમહથી દૂર અને મદીનહ મુનવ્વરહથી કરીબ થઈ રહી છો, પણ છો તો બે હરમો વચ્ચે જ.

                ”મકકહ મુકર્રમહ”થી ”મદીનહ મુનવ્વરહ” ૪૮પ કિલો મીટર દૂર છે, ૭ થી ૮ કલાક પહોંચતા થાય છે. પૂરા રસ્તામાં એવો ખ્યાલ જમાવવો કે બંને જહાનના સરદાર (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ના દરબારમાં હાજર થવાનું છે. અલ્લાહ અને અલ્લાહના રસૂલ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) તરફ જ પોતાનું ધ્યાન રહે, અને પૂરા રસ્તામાં સલામ અને દુરૂદનો જ વઝીફો પઢતા રહેવું જોઈએ.

                ”સઊદી હુકૂમતે” મકકહ મુકર્રમહથી મદીનહ મુનવ્વરહ સુધી, ડબલ લાઈન પાકી સડક બનાવી છે આ તે જ રસ્તો છે, જે રસ્તે થી હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)એ મકકહ મુકર્રમહથી મદીનહ મુનવ્વરહનો સફર કર્યો હતો અને એ કારણે આ સડકનું નામ પણ ”શારિઉલ હિજરત” (હિજરતનો રસ્તો)રાખવામાં આવ્યું છે.આ સડકના કારણે મકકહ મુકર્રમહથી મદીનહ મુનવ્વરહનો સફર ઘણો જ આસાન થઈ ગયો છે.

                આપ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)નો સફર હઝરત અબૂ બક્ર સિદ્દીક (રદિ.)ના મકાનથી શરૂ થયો હતો અને ”મદીનહ મુનવ્વરહ”ની એક વસ્તી ”કુબા” પર પૂરો થયો હતો. આ સડક પણ ”કુબા” થઈને ”મદીનહ મુનવ્વરહ” જાય છે. આ સડકની આસાનીનો અંદાઝ એનાથી લગાવી શકાય છે, કે જો ઈશાની નમાઝ હરમે મકકહમાં જમાઅત સાથે પઢીને, કોઈ સારી ટેક્ષીથી મદીનહ મુનવ્વરહનો સફર કરવામાં આવે, તો ઈન્શાઅલ્લાહ ફજરની નમાઝ મસ્જિદે નબવી (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)માં જમાઅત સાથે પઢી શકાય છે. અને અમુક વખતે તો, તહજજુદના ટાઈમે, ”મદીનહ મુનવ્વરહ” પહોંચી જવાય છે.

                એ પણ યાદ રાખો કે સઊદિય્યહમાં લગભગ અને મસ્જિદે નબવી (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)માં ખાસ કરીને ફજરની અઝાનથી એક કલાક પહેલાં, તહજજુદની અઝાન પણ આપવામાં આવે છે. બંને અઝાનમાં ફરક એ રીતે કરી શકાશે કે તહજજુદની અઝાનમાં ”અસ્સલાતુ ખયરૂમ્મિનન્વ્‌મ” પઢવામાં નહી આવે જયારે કે ફજરની અઝાનમાં એ પઢવામાં આવે છે.

                ”મદીનહ મુનવ્વરહ” જતાં રસ્તામાં ગુસલ કરવાનો કે કપડાં બદલવાનો મૌકો નથી મળતો, માટે મદીનહ મુનવ્વરહ રવાનગી પહેલાં જ ”મદીનહ મુનવ્વરહ” હાજરીની નિય્યતથી ગુસલ કરી, કપડાં બદલી લો

Log in or Register to save this content for later.