Chapter : ઝિયારતે મદીનહ
(Page : 5)
મદીનહ મુનવ્વરહની ખજૂર : હદીસ શરીફમાં મદીનહ મુનવ્વરહની ખજૂરની ઘણી ફઝીલત આવેલી છે. મદીનહ શરીફનું ખજૂર ”અજવા” ખાવાથી ઝહેર પણ અસર કરતું નથી. (મુસ્લિમ શરીફ ભાગ–ર પેઈજ ૧૮૧)
એટલે તમો જયારે મદીનહ મુનવ્વરહથી પાછા પોતાના વતન આવો ત્યારે ઝમઝમનું પાણી અને મદીનહ મુનવ્વરહનું ખજૂર જરૂરથી સાથે લાવો અને પોતાનાં સગાવહાલા, સંબંધીઓ અને દોસ્તોને ખવડાવો અને પીવડાવો આ બરકતનો સબબ છે અને આપણા બુઝુર્ગોથી સાબિત છે. (મુસ્તફાદ નકશે હયાત, જિલ્દ,૧ સફા–૮પ)
લોકોને તોહફો આપવા માટે મકકહ મુકર્રમહનું ઝમઝમ અને મદીનહ મુનવ્વરહના ખજૂરથી વધીને દુન્યાની કોઈ પણ વસ્તુ અફઝલ નથી.
નોટ :– મદીનહ શરીફમાં ખજૂરનું મોટું માર્કેટ છે, ત્યાંથી ખજૂર લેવું વધુ મુનાસિબ રહે છે.
Log in or Register to save this content for later.