Chapter : ઝિયારતે મદીનહ
(Page : 4)
મસ્જિદે નબવી (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ના બરકતવંત સાત થાંભલાઓ: એમ તો મસ્જિદે નબવી (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)નો ખુણે ખુણો બાબરકત છે, પણ રિયાઝુલ જન્નતના સાત થાંભલાઓ, ખાસ વર્ણનના કાબિલ છે, જેમને સંગે મરમર અને સોનેરી ડીઝાઈનોથી મુમતાઝ પણ કરવામાં આવ્યા છે. આ થાંભલાઓને ”સુતૂનહાએ રહમત” કહેવામાં આવે છે.
(૧) ઉસ્તુવાને આઈશહ સિદ્દીકહ (રદિ.)(ર) ઉસ્તુવાને અબૂ લુબાબહ (રદિ.) (૩) ઉસ્તુવાને વુફૂદ (૪) ઉસ્તુવાનેે સરીર :(પ) ઉસ્તુવાને અલી ( અથવા ઉસ્તુવાને હારિસ)ઃ(૬) ઉસ્તુવાને તહજજુદ :(૭)ઉસ્તુવાને હન્નાનહ :
આ બધા સુતૂનો મસ્જિદે નબવી (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ના તે જ ભાગ અને જગામાં છે, કે જે હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ના ઝમાનામાં હતી, ત્યાં જઈને દુઆ માંગો, ઈસ્તિગ્ફાર કરો અને જયારે પણ મૌકો મળે, ત્યાં સુન્નતો તથા નફલો અદા કરો. આ તે મુબારક જગા છે, જેને હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ની મુબારક નઝર અને મુબારક કદમોના સ્પર્શનું સૌભાગ્ય પ્રાપ્ત છે.
Log in or Register to save this content for later.