Chapter : ઝિયારતે મદીનહ
(Page : 1)
મદીનહ તય્યિબહ : કાઝી અયાઝ ફરમાવે છે, કે જે જગાઓ ઉપર વહી ઉતરી હોય અને કુર્આને પાક નાઝિલ થયું હોય, હઝરત જિબ્રઈલ (અલયહિસ્સલામ) તથા હઝરત મીકાઈલ (અલયહિસ્સલામ) વારંવાર ત્યાં હાજર થતા રહયા હોય, જયાંનું મૈદાન અલ્લાહ વાળાઓના ઝિક્ર અને તિલાવત તથા તસ્બીહોથી ગુંજતુ રહયું હોય, અલ્લાહના દીન અને તેના રસૂલે પાક (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ની સુન્નતો જયાંથી ઝરણાની માફક વહેતી હોય તે પાક જગા (મદીનહ મુનવ્વરહ)ના મેદાનો એ લાયક છે કે તેની તઅ્ઝીમ કરવામાં આવે તેની ધૂળમાં આળોટવામાં આવે અને તેની ખૂશ્બૂ સુંઘવામાં આવે. મદીનહ મુનવ્વરહની એક એક વસ્તુ અનહદ કાબિલે કદ્ર છે.
Log in or Register to save this content for later.